ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલની ચાલી રહેલી કામગીરીની સ્ટાફ દ્વારા મુલાકાત કરાઈ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલની ચાલી રહેલી કામગીરીની સ્ટાફ દ્વારા મુલાકાત કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં પાણી સંરક્ષણ અને જમીન સંવર્ધન માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટર શેડ) હેઠળ કરવામાં આવી રહેલી આ કામગીરીથી વરસાદી પાણીનો યોગ્ય રીતે પ્રવાહ જળવાઈ રહે તેમજ જમીનની ધોવાણ પ્રક્રિયા અટકાવવામાં મદદ મળશે. ફ્લો ચેનલના નિર્માણથી પાણીનો વહેવટ સુવ્યવસ્થિત બનશે અને આસપાસના વિસ્તારોમાં જમીનની ભેજ જાળવવામાં પણ સહાય મળશે. ચાલી રહેલી કામગીરી દરમિયાન સંબંધિત વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કામની પ્રગતિ અને ગુણવત્તા અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ પ્રકારના પાણી સંરક્ષણના કાર્યો ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મજબૂત બનાવવા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલની ચાલી રહેલી કામગીરીની સ્ટાફ દ્વારા મુલાકાત કરાઈ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલની ચાલી રહેલી કામગીરીની સ્ટાફ દ્વારા મુલાકાત કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં પાણી સંરક્ષણ અને જમીન સંવર્ધન માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ફ્લો ચેનલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (વોટર શેડ) હેઠળ કરવામાં આવી રહેલી આ કામગીરીથી વરસાદી પાણીનો યોગ્ય રીતે પ્રવાહ જળવાઈ રહે તેમજ જમીનની ધોવાણ પ્રક્રિયા અટકાવવામાં મદદ મળશે. ફ્લો ચેનલના નિર્માણથી પાણીનો વહેવટ સુવ્યવસ્થિત બનશે અને આસપાસના વિસ્તારોમાં જમીનની ભેજ જાળવવામાં પણ સહાય મળશે. ચાલી રહેલી કામગીરી દરમિયાન સંબંધિત વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કામની પ્રગતિ અને ગુણવત્તા અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ પ્રકારના પાણી સંરક્ષણના કાર્યો ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મજબૂત બનાવવા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.
- दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।1
- દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી #GujaratPolitics #GujaratNews #bjpvavtharad #vavtharadnivato #vavtharad #ન્યૂઝ1
- દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વારંવાર ખાનગી ટ્રાવેલશોના અકસ્માતો થઈ રહ્યા છે અને નિર્દોષ મુસાફરો ઈજાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આ બેફામ દોડતી ખાનગી ટ્રાવેલશો ઉપર અંકુશ આવેતો અકસ્માતોની ઘટનાઓ ઓછી થવા પામે1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- Post by Ramabhai Taviyad1
- ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.1