Shuru
Apke Nagar Ki App…
રસ્તો નહીં… તો વિકાસ ક્યાં? રસ્તાના અભાવે 🚑 108 સેવા નિષ્ફળ, વિકાસના દાવાઓ પર સવાલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા ગામ સુધી પહોંચી શકી નહોતી. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તંત્ર સામે પાકા રોડની તાત્કાલિક માંગ ઉઠાવી છે.
E Kranti News
રસ્તો નહીં… તો વિકાસ ક્યાં? રસ્તાના અભાવે 🚑 108 સેવા નિષ્ફળ, વિકાસના દાવાઓ પર સવાલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા ગામ સુધી પહોંચી શકી નહોતી. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તંત્ર સામે પાકા રોડની તાત્કાલિક માંગ ઉઠાવી છે.
More news from ગુજરાત and nearby areas
- બ્રેકિંગ : નાલેજ ઓડી અંબા પાધરવાટમાં દિવસદાઢે રેતી ખનનનો વીડિયો વાયરલ ખુલ્લેઆમ રેતી ચોરી? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં ટ્રેક્ટરથી ખનનનો વીડિયો ચર્ચામાં, ખનિજ વિભાગ સુતો? નાલેજ ઓડી અંબા પાધરવાટમાં બેફામ રેતી ખનન છોટાઉદેપુર જિલ્લાના પાધરવાટ નાલેજ ઓડી અંબા વિસ્તારમાં બેફામ નદીમાંથી દિવસના સમયે ટ્રેક્ટર દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ટ્રેક્ટર નદીના પટમાંથી રેતી ભરતા નજરે પડે છે. સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે જો ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ દિવસ દરમિયાન જ નદી વિસ્તારમાં તપાસ કરે તો મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનનો ભંડાફોડ થઈ શકે. પ્રાપ્ત માહિતી મુજબ આ ગેરકાયદેસર ધંધામાં “મોટા માથા” સંકળાયેલા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ કાર્યવાહી અથવા નિવેદન સામે આવ્યું નથી. વારંવાર ગેરકાયદેસર ખનનના બનાવો સામે આવતા હોવા છતાં ખનિજ વિભાગ આ પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. શું તંત્ર કડક પગલાં લેશે? શું જવાબદાર સામે કાર્યવાહી થશે? સ્થાનિકોમાં હવે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.1
- છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તાની સુવિધાના અભાવે 108 એમ્બ્યુલન્સ સેવા ગામ સુધી પહોંચી શકી નહોતી. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી મહિલાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તંત્ર સામે પાકા રોડની તાત્કાલિક માંગ ઉઠાવી છે.1
- Post by Janshe Gujarat1
- નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એ વિધાનસભા ગૃહમાં શું પ્રશ્ન પૂછ્યો? #ચૈતરવસાવા #ગુજરાતવિધાનસભા #નર્મદા #છોટાઉદેપુર #આદિવાસીવિસ્તાર #વિકાસપ્રશ્નો #ગુજરાતરાજકારણ1
- Post by Jasmin B Shah1
- મયુરી ફેશન મંદિર ફળિયા પાસે મેઈન બજાર હાલોલ અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો.. સંપર્ક 📱8951495702 📱63633361231
- મયુરી ફેશન મંદિર ફળિયા પાસે મેઈન બજાર હાલોલ અમારે ત્યાં આપને લગ્ન પ્રસંગ તેમજ તમામ શુભ પ્રસંગો સહિત વ્યવહારની તમામ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટીમાં એક થી એક ચઢીયાતી સાડીઓ તેમજ ચણિયાચોળીનો ફુલ સ્ટોક મળી રહેશે. તો આજે જ પધારો અને આપના દરેક પ્રસંગને ખાસ બનાવો.. સંપર્ક 📱8951495702 📱63633361231
- રિપોર્ટર : Local Area,,ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર સ્લગ : અંતરિયાળ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવેલા એક વીડિયોએ વિકાસના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી પરત ફરતી એક મહિલાને યોગ્ય માર્ગ સુવિધાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નલિયાબારી ગામની રહેવાસી ભીલ કુંતાબેન રાગેશભાઈ કુટુંબ નિયોજન યોજના અંતર્ગત નસવાડી દવાખાને ઓપરેશન માટે ગયા હતા. ઓપરેશન સફળ રહ્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફરવા માટે 108 ઇમરજન્સી સેવા નો સહારો લઈ રહ્યા હતા. પરંતુ નલિયાબારી ગામ સુધી પાકો અને વાહનયોગ્ય રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશ કરી શકી નહોતી. રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે એમ્બ્યુલન્સને અંદાજે પાંચ કિલોમીટર દૂર આવેલા નિશાણા ગામ પાસે મહિલાને ઉતારવી પડી હતી. ત્યારબાદ 108 સેવા ત્યાંથી પરત ફરી ગઈ હતી. આ સંજોગોમાં નલિયાબારી ગામના લોકોએ માનવતા દાખવી પોતાના ખાનગી વાહન દ્વારા મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આઝાદીના અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં આજદિન સુધી નલિયાબારી ગામમાં પાકો રોડ બનાવાયો નથી. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે અને ઇમરજન્સી સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. આ ઘટના બાદ ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે તાત્કાલિક સારવાર જેવી જીવનદાયી સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી, ત્યારે વિકાસના દાવાઓ પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. ગામલોકોએ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે ગ્રામજનો દ્વારા તાત્કાલિક નલિયાબારી ગામ સુધી પાકો રોડ બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ દર્દી, ગર્ભવતી મહિલા કે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.1