તાલુકા સબ જેલ સંતરામપુરમાં ચિત્રકલા માર્ગદર્શન સાથે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી.. જેલો ના વડા અને ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એન. રાવ સાહેબ તથા આઇ.જી. અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા સબ જેલ સંતરામપુર ખાતે સર્જનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લાના પ્રસિદ્ધ ચિત્રકાર બીપીનભાઈ પટેલ દ્વારા બંદીવાનોને ચિત્રકલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે ચિત્ર દોરવાની મૂળભૂત રીતો, વિવિધ રંગોના સમન્વયથી આકર્ષક ચિત્રો કેવી રીતે રચી શકાય તે અંગે પ્રાયોગિક સમજ આપી. બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી. કાર્યક્રમ બાદ હોળી પર્વની નિમિત્તે સ્ટાફ તથા બંદીવાનોને ખજૂર વિતરણ કરવામાં આવ્યું અને પરસ્પર રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે જેલ પ્રશાસન દ્વારા બંદીવાનોમાં સકારાત્મકતા, સર્જનાત્મકતા અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.
તાલુકા સબ જેલ સંતરામપુરમાં ચિત્રકલા માર્ગદર્શન સાથે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી.. જેલો ના વડા અને ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એન. રાવ સાહેબ તથા આઇ.જી. અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા સબ જેલ સંતરામપુર ખાતે સર્જનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લાના પ્રસિદ્ધ ચિત્રકાર બીપીનભાઈ પટેલ દ્વારા બંદીવાનોને ચિત્રકલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે ચિત્ર દોરવાની મૂળભૂત રીતો, વિવિધ રંગોના સમન્વયથી આકર્ષક ચિત્રો કેવી રીતે રચી શકાય તે અંગે પ્રાયોગિક સમજ આપી. બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી. કાર્યક્રમ બાદ હોળી પર્વની નિમિત્તે સ્ટાફ તથા બંદીવાનોને ખજૂર વિતરણ કરવામાં આવ્યું અને પરસ્પર રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે જેલ પ્રશાસન દ્વારા બંદીવાનોમાં સકારાત્મકતા, સર્જનાત્મકતા અને સામાજિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- પુષ્ટિભકિતમાં અને માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.3
- સંખેડાની પરંપરાગત કળા દ્વારા બહેનો બની આત્મનિર્ભર1
- Post by Janshe Gujarat1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- 📍 વિસનગર – ધુળેટીનો અનોખો રંગ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધુળેટી માત્ર રંગોથી નહીં, પરંતુ અનોખી પરંપરાથી ઓળખાય છે. અહીં લગભગ 300 વર્ષ જૂની ‘ખાસડા યુદ્ધ’ પરંપરા આજે પણ જીવંત છે. 🥦 શું છે ખાસડા યુદ્ધ? ધુળેટીના દિવસે લોકો એકબીજા પર સડેલા શાકભાજી અને ટામેટાં ફેંકીને આનંદ વ્યક્ત કરે છે. આ પ્રતિકાત્મક “યુદ્ધ”માં કોઈ દ્વેષ નથી—માત્ર મોજ, મસ્તી અને પરંપરાનો ગૌરવ છે. 🤝 કોમી એકતાનો સંદેશ આ અનોખી ઉજવણીમાં તમામ સમાજ અને ધર્મના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. 🎉 ઉત્સાહ અને ઉમંગ ઢોલ-નગારા, નૃત્ય અને રમૂજી વાતાવરણ વચ્ચે આખું શહેર રંગબેરંગી બની જાય છે. યુવાનો થી લઈને વડીલો સુધી સૌ કોઈ આ અનોખા ઉત્સવમાં જોડાય છે. ધુળેટીનો આ અનોખો રંગ વિસનગરને માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ દેશભરમાં વિશેષ ઓળખ આપે છે. 🌈2
- Post by Salman moravala3
- DAHOD_आदिवासी भील समाज में लगन प्रसंग को लेकर विशेष नियम कायदे #news #dahodlive #adivasi #breaking1
- Post by Janshe Gujarat1