AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે: ઈસુદાન ગઢવી કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ ફાઇનલ કરીશું: ઈસુદાન ગઢવી 28-29 માર્ચ સુધીમાં ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરીશું: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને AAP ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ - બાપ બેટાની પાર્ટીઓને છોડો: ઈસુદાન ગઢવી ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું: ઈસુદાન ગઢવી કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: ઈસુદાન ગઢવી
AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે: ઈસુદાન ગઢવી AAP સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં: ઈસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે: ઈસુદાન ગઢવી કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ દરમિયાન જ ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ ફાઇનલ કરીશું: ઈસુદાન ગઢવી 28-29 માર્ચ સુધીમાં ઉમેદવારોનું બીજું લીસ્ટ જાહેર કરીશું: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને AAP ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે: ઈસુદાન ગઢવી ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ - બાપ બેટાની પાર્ટીઓને છોડો: ઈસુદાન ગઢવી ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું: ઈસુદાન ગઢવી કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: ઈસુદાન ગઢવી
- અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે. પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.1
- રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.1
- Post by ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર1
- વિજાપુરમાં ઈદ-ઉલ-ફિત્ર શાંતિપૂર્ણ રીતે સંપન્ન: ખુશીઓ અને ભાઈચારાનો માહોલ રમઝાનના ૩૦ દિવસના રોઝા પૂરા થયા બાદ આજે શહેરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી ખુશીઓ, અમન-શાંતિ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચાંદ ન દેખાતા ભારતમાં આ વર્ષે ઈદ ૨૧ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવી હતી. વિજાપુર સુન્નત જમાત મુસ્લિમ ઈદગાહ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ અનુસાર શાહી ઈદગાહમાં સવારે ૮ વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જમાત સાથે જવા માટેની સવારી સુબ્હ ૭:૩૦ વાગ્યે રવાના થઈ હતી. હજારો મુસ્લિમ ભાઈ-બહેનો નવા કપડાં પહેરીને ઈદગાહ પહોંચ્યા હતા અને નમાઝ તથા ખુતબા બાદ એકબીજાને ગળે મળીને "ઈદ મુબારક"ની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધન કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી હતી અને શિક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ એ માત્ર જ્ઞાનનું માધ્યમ નથી, પરંતુ સમાજના વિકાસ, એકતા અને ભાઈચારાનું મજબૂત આધારસ્તંભ છે. આ નવી શાળા દ્વારા બાળકોને આધુનિક તેમજ ધાર્મિક શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે, જેથી નવી પેઢી સારા નાગરિક તરીકે તૈયાર થાય અને સમાજને આગળ વધારે. આ ઉજવણીમાં શહેરના મુસ્લિમ અને હિંદુ ભાઈઓએ પણ એકબીજાને મળીને ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગળે મળવું, હાથ મિલાવવો અને ઘરે જઈને મીઠાઈઓ વહેંચવાની પરંપરાએ અંતરસમુદાયી ભાઈચારાને વધુ મજબૂત કર્યો છે. નમાઝ પછી લોકો પરિવાર સાથે સીવીયાં, શીરખુર્મા, બિરયાની જેવા વ્યંજનોનો આનંદ માણ્યો હતો. બાળકોને ઈદી આપવાની પરંપરા પણ ભરપૂર રીતે નિભાવવામાં આવી હતી. આ ઈદ પર વિજાપુરના મુસ્લિમ સમુદાયે ગરીબો અને જરૂરિયાતમંદોને ખાવાનું વહેંચીને ઉદારતા અને સેવાનો દાખલો બેસાડ્યો હતો. શહેરની ગલીઓમાં ખુશીઓની લહેર છવાઈ રહી હતી અને સમગ્ર વાતાવરણમાં શાંતિ, પ્રેમ તથા એકતાનો માહોલ રહ્યો હતો.1
- Post by Pooja patel1
- Post by RAMESH ZALA1
- Post by Sanjay Zala Official1
- વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડાલીના જૂના પોલીસ સ્ટેશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી ઘાયલ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ (નંબર: GJ-09-CK-4577) પર પસાર થઈ રહેલા દંપતીને રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલા (નંબર: RJ-19-GJ-1244) ના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દંપતી રોડ પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે બાઈકને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.1
- Post by THE BEALERT NEWS1