Shuru
Apke Nagar Ki App…
હજીરા ખાતે આવેલી AMNS કંપનીમાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં એક કર્મચારી ડમ્પરની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું.
INDIAnews24
હજીરા ખાતે આવેલી AMNS કંપનીમાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં એક કર્મચારી ડમ્પરની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ શહેરમાં એક જમીન વિવાદ મામલે નિવૃત્ત DYSP દ્વારા ભડાકા કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.1
- સુરત ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે કતારગામ વેડ રોડ પર એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસે નગરપાલિકાની ટીમ સાથે મળીને આ રોડ પરથી ગેરકાયદેસર વાહનોને હટાવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન, રસ્તામાં અવરોધ ઊભો કરી રહેલા લોરી ગેંગને નગરપાલિકાની ટીમે જપ્ત કર્યા હતા, જ્યારે નિયમોનું પાલન ન કરતા ડ્રાઇવરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી આ રોડ પર લોરી ગેંગના દબાણને કારણે લોકોને ભારે અસુવિધા અને માથાનો દુખાવો થઈ રહ્યો હતો, અને પોલીસની આ કાર્યવાહીથી વેડ રોડ પરની ટ્રાફિક સમસ્યા હલ થશે તેવી અપેક્ષા છે.1
- સુરત ગ્રામીણ એલસીબી દ્વારા નવાગામ ઉદ્યોગનગર ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 'શુદ્ધ ગાયનું ઘી'ના નામે શંકાસ્પદ ઘી બનાવતી એક યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ભેળસેળવાળા ઘી અને નકલી પેકિંગ નેટવર્કની તપાસ ચાલુ છે.1
- સુરતમાં NH-48 પર ભ્રષ્ટાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઉદ્ઘાટન થાય તે પહેલાં જ એક નિર્માણાધીન ઓવરબ્રિજને તોડી પાડવામાં આવ્યો છે. આ ઘટનાથી કરોડો રૂપિયાનો જાહેર ભંડોળ વેડફાઈ ગયો છે, જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે.1
- સુરતના ઉધના વિસ્તારમાં આવેલા M4 માર્કેટ નજીક સુવિધા નગર સોસાયટી પાસે એક મોટો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક યુવકે ગંભીર આરોપ લગાવ્યા છે. યુવકે જણાવ્યું છે કે આ અડ્ડા પર તેની બહેન સાથે પણ છેડતી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ દારૂનો અડ્ડો રેખા અને અજય દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે!1
- સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક કલહ અને માનસિક તાણથી આહત બનેલી 13 વર્ષની એક કિશોરીએ ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી આ કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 25 મેના રોજ રાત્રે આશરે સાડા નવ વાગ્યે બની હતી. પરિવારજનો સાથે કોઈ બાબતે બોલાચાલી અને ઠપકો મળતાં કિશોરી માયાબેન માંગીલાલ ચૌધરી માનસિક રીતે વ્યથિત થઈ ગઈ હતી. ઘટનાના થોડા સમય બાદ કિશોરી ગુસ્સા અને આવેશમાં ઘરના ચોથા માળે ધાબા પર પહોંચી ગઈ હતી. પરિવારજનોને કિશોરી છત પર ગઈ હોવાની જાણ થતાં તેઓ તરત જ તેને સમજાવવા દોડી ગયા હતા, જોકે તેઓ કંઈ સમજે તે પહેલાં જ કિશોરીએ અચાનક ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી કિશોરીને નજીકમાં રહેતા પીનાક રમેશભાઈ પટેલ પોતાની કારમાં ચલથાણ સ્થિત સંજીવની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટરોએ કિશોરીને બચાવવા ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ 26 મેના રોજ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે CCTV ફૂટેજ કબજે લઈ તપાસ શરૂ કરી છે, ઉપરાંત પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ બની છે અને તે કિશોરાવસ્થાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારમાં સંવાદના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કિશોરાવસ્થામાં બાળકો અત્યંત સંવેદનશીલ હોય છે, અને તેથી માતા-પિતા તથા વાલીઓએ બાળકો સાથે વાતચીત કરતી વખતે ધીરજ, સંવેદનશીલતા અને સમજદારી દાખવવી ખૂબ જ જરૂરી છે. બદલાતા સમયમાં બાળકોના વર્તનમાં આવતા ફેરફારો અને તેમના માનસિક તાણના સંકેતોને સમયસર ઓળખી યોગ્ય માર્ગદર્શન અને હૂંફ આપવામાં આવે તો આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાય છે.3
- સુરત સાયબર ક્રાઈમ પોલીસે કેનેડાના નકલી વર્ક પરમિટ અને વિઝા અપાવવાના નામે રૂપિયા 7 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીને પંજાબના મોહાલીથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહાલીમાં “Scientific Group Of Consultant” નામની એક ફર્મ ચલાવતો હતો. તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોનો સંપર્ક કરતો અને તેમને કેનેડાના બનાવટી વર્ક પરમિટ મોકલીને ઠગાઈ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપી વિરુદ્ધ સુરત સિવાય ગાંધીનગર અને રાજકોટમાં પણ છેતરપિંડી સંબંધિત ફરિયાદો NCCRP પોર્ટલ પર દાખલ થયેલી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી તેના સમગ્ર નેટવર્ક અને અન્ય સાથીદારો વિશે વધુ તપાસ કરી શકાય.1
- દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગરોને મળેલી ખુલ્લી છૂટ અને કાયદાના ડર વગરના વાતાવરણને કારણે છેડતીની એક ઘટના બની છે.1