Shuru
Apke Nagar Ki App…
ડભોઈ : મહુડીભાગોળ જોગણી માતા મંદિર પાસે સતત ૧૫ દિવસ થી ઉભરાતી ગટર નગરપાલિકા અને કોર્પોરેટર ને રજુવાત કરવા છતાં કોઈ નિકાલ નહિ..
Dabhoi_Attractions
ડભોઈ : મહુડીભાગોળ જોગણી માતા મંદિર પાસે સતત ૧૫ દિવસ થી ઉભરાતી ગટર નગરપાલિકા અને કોર્પોરેટર ને રજુવાત કરવા છતાં કોઈ નિકાલ નહિ..
More news from ગુજરાત and nearby areas
- Post by Dabhoi_Attractions1
- Post by Janshe Gujarat1
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- વાલિયા તાલુકાના શીર, દોલતપુર, નવાનગર મળી અંદાજીત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિમિ પેદલ યાત્રા કરવા મજબુર બન્યા છે. વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે. "ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત" જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવા નગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી.1
- ઈલાવ ગામ નાપારસી શેઠના બંધ પેલેસ ની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ1
- અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.1
- Post by Dabhoi_Attractions1