Shuru
Apke Nagar Ki App…
ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
A12 Guj.News
ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
More news from ગુજરાત and nearby areas
- તાપી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સોમગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.1
- સુરત શહેરમાં ચાલી રહેલી સ્વજનગણના પ્રક્રિયાને લઈને સુરત પોલીસ કમિશનરે નાગરિકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સ્વજનગણના કરાવવાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પ્રક્રિયા દેશના એક મહત્વપૂર્ણ અભિયાનનો ભાગ છે અને તમામ નાગરિકોએ તેમાં સહભાગી થવું જોઈએ. પોલીસ કમિશનરે નાગરિકોને સ્વજનગણના કરાવવા અને નિર્ભીક બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે, પરંતુ સાથે જ એક અત્યંત મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, નાગરિકોએ સ્વજનગણના કરાવતી વખતે પોતાનો OTP કોઈને પણ ન આપવો.1
- સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.1
- સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે. એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.” હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.1
- વિશ્વ ટોબેકો નિષેધ દિવસ, જે ૩૧ મેના રોજ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાય છે, તેની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટખા વગેરેની ‘હોળી’ પ્રગટાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વ્યસનમુક્તિનો સંદેશ આપવાનો હતો. આ ‘ગુટખાની હોળી’ પ્રગટાવવામાં સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી બી. ડી. કામલીયા સાહેબ, કોન્સ્ટેબલ શ્રી જગદીશ સોલંકી, અલ્પેશ ભાટિયા સહિત ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી, પુરુષોતમ સ્વામી, શ્રી આત્મીયદાસજી સ્વામી, શ્રી ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા જેવા મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે લોકો શત્રુઓને ડામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રોગને જાણતા હોવા છતાં તેને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમાકુના ભયાનક આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારતમાં દરરોજ ૩૭૦૦ લોકો એટલે કે દર મિનિટે ૩ લોકો તમાકુના કેન્સરને કારણે જીવ ગુમાવે છે. તમાકુના સેવનથી મોં, જીભ અને ફેફસાના કેન્સર થાય છે. શ્રી સ્વામીએ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, સરકાર કરોડો રૂપિયાનું બજેટ કેન્સરની પાછળ ફાળવે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, કેન્સરના મૂળ સ્ત્રોત સમાન તમાકુ ઉત્પાદનોને બંધ કેમ નથી કરાવતી? તેમણે એ પણ ઉમેર્યું કે એકલા સુરતમાં જ તમાકુ એટલે કે પાન, બીડી, માવા-મસાલા, ગુટખાથી થતા કેન્સરને કારણે ૮૦૦૦થી વધુ મૃત્યુ થાય છે. આ સંદેશ સાથે તેમણે લોકોને વ્યસન છોડીને ખરી ખુમારીથી જીવવા, સંતાનના સંસ્કાર, પૈસા અને પરિવારને બરબાદ કરતા વ્યસનોથી મુક્ત થવાનો સંકલ્પ લેવા અને આવા સ્થાન તથા મિત્રોથી દૂર રહેવા અપીલ કરી હતી.4
- સુરત રેલ્વે પોલીસે (GRP) નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં ચોરી થયેલા ૧૦૦ ગ્રામના ત્રણ સોનાના બિસ્કિટ શોધી કાઢવામાં આવ્યા છે, જેની કુલ કિંમત ૪૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત, CEIR પોર્ટલની મદદથી ૬૭ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઇલ ફોન પણ રિકવર કરવામાં સફળતા મળી છે, જેમની કુલ કિંમત ૧૧.૯૯ લાખ રૂપિયાથી વધુ છે. આમ, સુરત રેલ્વે પોલીસે કુલ ૫૬.૯૯ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે.2