કુકરમુંડા તાલુકાના રણાઈચી ગામમાં એક 8 વર્ષની બાળકી ધનિશા હર્ષદભાઈ વળવીને કૂતરાએ હુમલો કરતાં સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોરણ-2માં અભ્યાસ કરતી આ બાળકીને ગત શનિવારે ગામમાં કૂતરાએ પગમાં બચકા ભર્યા હતા, જેના પછી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયાસ કર્યા હતા. હુમલા બાદ બાળકીના પિતા તેને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, પરંતુ ત્યાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું. તેમને નિઝર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવાનું સૂચન મળ્યું, પરંતુ ત્યાં પણ રેબિસ રસીનો અભાવ જોવા મળ્યો. પીડિત બાળકીના પિતા હર્ષદભાઈ વળવીએ જણાવ્યું કે, તેઓ પુત્રીને નજીકના અક્કલકુવા આરોગ્ય કેન્દ્ર પણ લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ રસી ન મળતાં નિરાશ થવું પડ્યું હતું. આખરે, બાળકીને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવી પડી, જ્યાં તેને રેબિસ રસી આપી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. આ ઘટનાએ તાલુકાની આરોગ્ય સેવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નિઝર જેવા મહત્વના કેન્દ્રમાં પણ જીવનરક્ષક રેબિસ રસી ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો સવાલ કરી રહ્યા છે કે, જો કૂતરા કરડ્યા પછી તાત્કાલિક રસી ઉપલબ્ધ ન હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવલેણ રોગોથી કેવી રીતે બચાવી શકાય? આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મુદ્દે ધ્યાન આપી રેબિસ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. બાળકીના પિતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો પરિસ્થિતિ વધુ ગંભીર હોત, તો શું થાત? અને ભારપૂર્વક જણાવ્યું કે, આવા બનાવોને પહોંચી વળવા તમામ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ હોવી અનિવાર્ય છે.
કુકરમુંડા તાલુકાના રણાઈચી ગામમાં એક 8 વર્ષની બાળકી ધનિશા હર્ષદભાઈ વળવીને કૂતરાએ હુમલો કરતાં સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોરણ-2માં અભ્યાસ કરતી આ બાળકીને ગત શનિવારે ગામમાં કૂતરાએ પગમાં બચકા ભર્યા હતા, જેના પછી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયાસ કર્યા હતા. હુમલા બાદ બાળકીના પિતા તેને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, પરંતુ ત્યાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું. તેમને નિઝર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવાનું સૂચન મળ્યું, પરંતુ ત્યાં પણ રેબિસ રસીનો અભાવ જોવા મળ્યો. પીડિત બાળકીના પિતા હર્ષદભાઈ વળવીએ જણાવ્યું કે, તેઓ પુત્રીને નજીકના અક્કલકુવા આરોગ્ય કેન્દ્ર પણ લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ રસી ન મળતાં નિરાશ થવું પડ્યું હતું. આખરે, બાળકીને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવી પડી, જ્યાં તેને રેબિસ રસી આપી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. આ ઘટનાએ તાલુકાની આરોગ્ય સેવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નિઝર જેવા મહત્વના કેન્દ્રમાં પણ જીવનરક્ષક રેબિસ રસી ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો સવાલ કરી રહ્યા છે કે, જો કૂતરા કરડ્યા પછી તાત્કાલિક રસી ઉપલબ્ધ ન હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવલેણ રોગોથી કેવી રીતે બચાવી શકાય? આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મુદ્દે ધ્યાન આપી રેબિસ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. બાળકીના પિતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો પરિસ્થિતિ વધુ ગંભીર હોત, તો શું થાત? અને ભારપૂર્વક જણાવ્યું કે, આવા બનાવોને પહોંચી વળવા તમામ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ હોવી અનિવાર્ય છે.
- ચૈતર વસાવાના સમર્થનમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભીલ પ્રદેશમાંથી આદિવાસીઓ નર્મદામાં એકત્ર થશે.1
- કુકરમુંડા તાલુકાના રણાઈચી ગામમાં એક 8 વર્ષની બાળકી ધનિશા હર્ષદભાઈ વળવીને કૂતરાએ હુમલો કરતાં સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોરણ-2માં અભ્યાસ કરતી આ બાળકીને ગત શનિવારે ગામમાં કૂતરાએ પગમાં બચકા ભર્યા હતા, જેના પછી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયાસ કર્યા હતા. હુમલા બાદ બાળકીના પિતા તેને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, પરંતુ ત્યાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું. તેમને નિઝર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવાનું સૂચન મળ્યું, પરંતુ ત્યાં પણ રેબિસ રસીનો અભાવ જોવા મળ્યો. પીડિત બાળકીના પિતા હર્ષદભાઈ વળવીએ જણાવ્યું કે, તેઓ પુત્રીને નજીકના અક્કલકુવા આરોગ્ય કેન્દ્ર પણ લઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ રસી ન મળતાં નિરાશ થવું પડ્યું હતું. આખરે, બાળકીને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવી પડી, જ્યાં તેને રેબિસ રસી આપી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. આ ઘટનાએ તાલુકાની આરોગ્ય સેવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નિઝર જેવા મહત્વના કેન્દ્રમાં પણ જીવનરક્ષક રેબિસ રસી ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકો સવાલ કરી રહ્યા છે કે, જો કૂતરા કરડ્યા પછી તાત્કાલિક રસી ઉપલબ્ધ ન હોય તો ગ્રામ્ય વિસ્તારના લોકોને જીવલેણ રોગોથી કેવી રીતે બચાવી શકાય? આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મુદ્દે ધ્યાન આપી રેબિસ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. બાળકીના પિતાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો પરિસ્થિતિ વધુ ગંભીર હોત, તો શું થાત? અને ભારપૂર્વક જણાવ્યું કે, આવા બનાવોને પહોંચી વળવા તમામ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રેબિસ વિરોધી રસી ઉપલબ્ધ હોવી અનિવાર્ય છે.1
- છોટાઉદેપુરમાં મોહર્રમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હઝરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં પરંપરાગત તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા. આ પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તાજીયા જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા.1
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવાના નિર્ણય બાદ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કવાંટના નસવાડી રોડ પરથી થઈ હતી, જેમાં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ આ રેલી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. વિરોધ રેલી દરમિયાન કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચારો કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ પ્રસંગે સજાના ચુકાદા અંગે સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યકરોએ ન્યાયની માંગ સાથે આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં કાનૂની લડત ચાલુ રાખવાની વાત કરી હતી. ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવતા આદિવાસી વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલાને કાનૂની રીતે આગળ લઈ જશે અને જરૂર પડ્યે, આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.1
- બોડેલીમાં 37 વર્ષ જૂની પાણીની ટાંકી પરથી 25 ફૂટની લોખંડની રેલિંગ તૂટી પડી, મોટી દુર્ઘટના ટળી જર્જરિત ટાંકી તાત્કાલિક દૂર કરવાની માંગ!? #Bodeli #ChhotaUdepur #Gujarat #WaterTank #BreakingNews #LocalNews #PublicSafety #SomnathSociety #BodeliNagarpalika #GujaratNews #Infrastructure #SafetyAlert #GujaratiNews #NewsUpdate #બોડેલી #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #જાહેરસલામતી #પાણીનીટાંકી #નગરપાલિકા#BreakingNews #Bodeli #SevaSadan #SDMOffice #FireIncident #FireBrigade #BodeliNews #Chhotaudepur #GujaratNews #LatestNews #EmergencyResponse #ShortCircuit #MadhyaGujaratNoAawaj #GujaratiNews #HasmukhVaria #BodeliUpdate #FireSafety #NewsUpdate #GujaratBreakingNews #MadhyaGujaratNoAvaj1
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે યોજાયેલી આ સપોર્ટ રેલીને લોકો તરફથી ઠેર ઠેર સારો આવકાર મળ્યો હતો.1
- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, વિનુ રાઠવા, નાનુ ભીલ, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામે ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ અંગેની વધુ વિગતો ઈ ક્રાંતિ ન્યૂઝના વિશેષ અહેવાલમાં દર્શાવવામાં આવી હતી.1
- ડેડીયાપાડાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલા પોતાના ખેતરે જવા માટે નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં તે તણાઈ ગઈ હતી.1