ધ્રાંગધ્રા શહેરમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન રેલીનું આયોજન: કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને પગલે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. તે જ ક્રમમાં ધ્રાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો જોડાતા રેલી એક શક્તિ પ્રદર્શન રૂપ બની હતી. આ પ્રસંગે ગીતાબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત્ છે. નાગરિકોને પાણી, રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના શાસનમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આગળ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં ભય અને ગુંડાગીરીનું વાતાવરણ ઉભું થયું છે, જેના કારણે સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો સાથે સીધી વાતચીત કરી પોતાની યોજનાઓ અને વિકાસના વચનો રજૂ કર્યા હતા. કાર્યકરો દ્વારા “પરિવર્તન લાવો” જેવા નારા લગાવી શહેરમાં રાજકીય ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો. આ પરિવર્તન રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
ધ્રાંગધ્રા શહેરમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન રેલીનું આયોજન: કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને પગલે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. તે જ ક્રમમાં ધ્રાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો જોડાતા રેલી એક શક્તિ પ્રદર્શન રૂપ બની હતી. આ પ્રસંગે ગીતાબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત્ છે. નાગરિકોને પાણી, રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના શાસનમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આગળ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં ભય અને ગુંડાગીરીનું વાતાવરણ ઉભું થયું છે, જેના કારણે સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો સાથે સીધી વાતચીત કરી પોતાની યોજનાઓ અને વિકાસના વચનો રજૂ કર્યા હતા. કાર્યકરો દ્વારા “પરિવર્તન લાવો” જેવા નારા લગાવી શહેરમાં રાજકીય ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો. આ પરિવર્તન રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
- ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by Motilal Solanki1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- અણીયારી ટોલનાકા પાસે યુવાનની હત્યા પ્રકારના ૬ આરોપીની ધરપકડ1
- *ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો1
- માળીયા મીયાણા તાલુકાના અણિયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટલ ખાતે યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી એલ.સી.બી. અને માળીયા (મી.) પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક અનિલ હરિલાલ કંડિયા પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (મોરબી), રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી), પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા (મોરબી), ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (મોરબી), કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (મોરબી) અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપી સાબરમતી જેલ હવાલે* રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશિયલ કસ્ટડીમાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડના બે આરોપી રિઝવાન અને સમીરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને ધંધુકા કોર્ટમાં રજુ કરાયા. હાલ બંને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે.1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1