Shuru
Apke Nagar Ki App…
હરમડીયા ગામમાં હોળીના પર્વે કાયદો વ્યવસ્થાનો ભંગ: દારૂબંધીના લીરેલીરા, ગ્રામજનોમાં રોષ...| ગીર ગઢડાના હરમડીયામાં હોળીના પર્વે દારૂબંધીના લીરેલીરા ઉડતા દારૂડિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષનો માહોલ છે. પોલીસના ડર વગર ગલીએ-ગલીએ ધમધમતા દારૂના અડ્ડાઓને લીધે મહિલાઓ અને બાળકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
Parthiv MAKDIYA
હરમડીયા ગામમાં હોળીના પર્વે કાયદો વ્યવસ્થાનો ભંગ: દારૂબંધીના લીરેલીરા, ગ્રામજનોમાં રોષ...| ગીર ગઢડાના હરમડીયામાં હોળીના પર્વે દારૂબંધીના લીરેલીરા ઉડતા દારૂડિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષનો માહોલ છે. પોલીસના ડર વગર ગલીએ-ગલીએ ધમધમતા દારૂના અડ્ડાઓને લીધે મહિલાઓ અને બાળકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- ગીર ગઢડાના હરમડીયામાં હોળીના પર્વે દારૂબંધીના લીરેલીરા ઉડતા દારૂડિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષનો માહોલ છે. પોલીસના ડર વગર ગલીએ-ગલીએ ધમધમતા દારૂના અડ્ડાઓને લીધે મહિલાઓ અને બાળકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.1
- કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું ૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારના માંગરોળ મુકામે આવેલ કે.કા. શાસ્ત્રી વિદ્યાલય ના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ના હસ્તે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું. નવા બિલ્ડિંગના નિર્માણથી વિસ્તારમાં શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે આગેવાનો, શિક્ષકમિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. #89mangrol #bhagvanjikargatiya1
- લોહાણા ક્રાંતિ સેના કેશોદ ધુળેટી મહોત્સવ ની મોજ રઘુવંશી પરિવાર સાથે1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી2
- બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમ ના રોજ હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. બાબરકોટ ગામે દર વર્ષે સાંજે હોલિકા દહન થયા બાદ ગામના જન્મ થયેલા પુત્રોની ગિમ્ભ ધામધુમથી કાઢવામાં આવે છે. અને હોળીકા માતાજીના દર્શન કરાવવામાં આવે છે. હોલિકા માતાજીના ફરતા પ્રદક્ષિણા કરીને દર્શન કરવામાં આવે છે. ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત દરમ્યાન ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબાઓ રમવામાં આવે છે. જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે. અને ઢોલ નગારા વગાડીને રાસ રમવામાં આવે છે. બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામની મહિલાઓ દ્વારા પાળવામાં આવે છે. બાબરકોટ ગામે ધુળેટીના રોજ વહેલી સવારથી સાંજ સુધી ગેરૈયા દ્વારા ગેર કાઢીને મનોરંજન કરવામાં આવે છે. તેમજ ગામમાં જેમના ઘેર ગિમ્ભ હોઈ છે તેમના ઘેર લાણ લેવા માટે જાય છે. અને વિવિધ પ્રકારની વેશભૂષા કાઢીને અને ઢોલ નગારા સાથે તથા રામ ધૂન સાથે ગામમાં ફરવામાં આવે છે. અને આનંદ ઉલ્લાસ કરવામાં આવે છે. બાબરકોટ ગામે આવેલ ગૌ સેવા ધૂન કીર્તન મંડળ દ્વારા રામ ધૂન કીર્તન કરીને ગેર કાઢવામાં આવે છે. સાથો સાથ હોલિકા માતાજીની પ્રસાદ ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે. અને તેમાં જે કઈ રકમ દાન મળે છે તે રકમ ગૌશાળામાં વારપવામા આવે છે. આ હોળી અને ધૂળેટીમાં પાવન પર્વ પ્રસંગે બાબરકોટ ગામના યુવા સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોને હોળી અને ધૂળેટીમાં પર્વની શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ4
- Post by Dharmik Parmar1
- અમરેલી ના લીલીયા મોટા ખાતે હોલિકા દહન કરવમાં આવ્યું. હોલિકા દહન મા લીલીયા ની જનતા મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા1
- રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ની ડોક્ટર ટીમે અત્યંત ઓછા વજન સાથે જન્મેલી નવજાત બાળકીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉના તાલુકાના ગીર કોદીયા ગામે રહેતા અલ્પેશભાઈ મકવાણાના ઘરે તા. 06-01-2026ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું વજન માત્ર 590 ગ્રામ હતું. સામાન્ય રીતે આટલા ઓછા વજનની નવજાત માટે જીવતા રહેવું ખૂબ જ કઠિન માનવામાં આવે છે, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. બાળકીની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનો તેને તાત્કાલિક રાજુલા શહેરમાં આવેલ કાશીબા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી. અહીં બાળરોગ નિષ્ણાત ડો. દિનેશ કલસરીયા અને તેમની ટીમ દ્વારા બાળકીની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલની ટીમે બે મહિના સુધી સતત દેખરેખ, જરૂરી દવાઓ, ખાસ નર્સિંગ કાળજી અને આધુનિક સાધનોની મદદથી સારવાર આપી હતી. ડોક્ટરોની અવિરત મહેનત અને યોગ્ય સારવારના પરિણામે બે મહિના બાદ બાળકીનું વજન વધીને 1 કિલો 200 ગ્રામ થયું હતું. હાલ બાળકીની તબિયત સ્થિર અને તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાળકીની તમામ સારવાર રાજ્ય સરકારની PM-JAY યોજના હેઠળ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ યોજના પરિવાર માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઓછા વજનની નવજાત બાળકીનો જીવ બચાવી કાશીબા હોસ્પિટલની ડોક્ટર ટીમે પ્રેરણાદાયી અને માનવતાભર્યું કાર્ય કર્યું છે, જે સમગ્ર રાજુલા શહેર માટે ગૌરવની વાત બની છે.1