ગુજરાતમાં દુષ્કાળના એંધાણ! બનાસકાંઠા-વાવ થરાદમાં ખેડૂતોની ચિંતા વધી વરસાદમાં લાંબા વિરામથી ખેતી પર સંકટ : મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ, સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નહીં છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં લાખણી:- ગુજરાતમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. આ વિસ્તારમાં પૂરતો વરસાદ ન પડતાં ખેતરોમાં ઊભા પાકને જરૂરી ભેજ અને પાણી મળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા મગફળીના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર, દવા અને ખેતી પાછળ કરાયેલા ખર્ચ બાદ હવે પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. ---> મગફળીના પાકને નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો વરસાદના લાંબા વિરામથી મગફળીના પાકના વિકાસ પર માઠી અસર પડી રહી છે. સમયસર વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે. જેના કારણે ભારે ખર્ચ કરીને પાક ઉછેરનારા ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ---> સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડાતું નથી એક તરફ વરસાદની રાહ જોતા ખેડૂતો પરેશાન છે, ત્યારે બીજી તરફ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને સિંચાઈ માટે કેનાલના પાણીની આશા રાખતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો કેનાલમાં સમયસર પાણી છોડવામાં આવે તો વરસાદના લાંબા વિરામ દરમિયાન અનેક ખેડૂતોને પાક બચાવવામાં રાહત મળી શકે તેમ છે. હાલ ખેડૂતો તરફથી કેનાલમાં પાણી છોડવાની માંગ પણ ઉઠી રહી છે. વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ બનાસકાંઠા અને વાવ-થરાદ ના વિસ્તારોમાં ખેતી માટે ચોમાસાનો વરસાદ અત્યંત મહત્વનો છે. વરસાદના લાંબા વિરામને કારણે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઊભા પાકને બચાવવો મુશ્કેલ બનવાની સાથે ખેતી અને પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલમાં ખેડૂતોની નજર આકાશ તરફ છે. એક તરફ મેઘરાજાની રાહ અને બીજી તરફ કેનાલના પાણીની આશા—બન્ને તરફથી રાહત મળે તો જ ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે. અહેવાલ:- મુકેશ સોની લાખણી
ગુજરાતમાં દુષ્કાળના એંધાણ! બનાસકાંઠા-વાવ થરાદમાં ખેડૂતોની ચિંતા વધી વરસાદમાં લાંબા વિરામથી ખેતી પર સંકટ : મગફળીના પાકને ભારે નુકસાનની ભીતિ, સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નહીં છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં લાખણી:- ગુજરાતમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં વરસાદ ખેંચાતા ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. આ વિસ્તારમાં પૂરતો વરસાદ ન પડતાં ખેતરોમાં ઊભા પાકને જરૂરી ભેજ અને પાણી મળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતા મગફળીના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર, દવા અને ખેતી પાછળ કરાયેલા ખર્ચ બાદ હવે પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. ---> મગફળીના પાકને નુકસાન, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો વરસાદના લાંબા વિરામથી મગફળીના પાકના વિકાસ પર માઠી અસર પડી રહી છે. સમયસર વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે. જેના કારણે ભારે ખર્ચ કરીને પાક ઉછેરનારા ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ---> સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડાતું નથી એક તરફ વરસાદની રાહ જોતા ખેડૂતો પરેશાન છે, ત્યારે બીજી તરફ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને સિંચાઈ માટે કેનાલના પાણીની આશા રાખતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો કેનાલમાં સમયસર પાણી છોડવામાં આવે તો વરસાદના લાંબા વિરામ દરમિયાન અનેક ખેડૂતોને પાક બચાવવામાં રાહત મળી શકે તેમ છે. હાલ ખેડૂતો તરફથી કેનાલમાં પાણી છોડવાની માંગ પણ ઉઠી રહી છે. વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ બનાસકાંઠા અને વાવ-થરાદ ના વિસ્તારોમાં ખેતી માટે ચોમાસાનો વરસાદ અત્યંત મહત્વનો છે. વરસાદના લાંબા વિરામને કારણે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઊભા પાકને બચાવવો મુશ્કેલ બનવાની સાથે ખેતી અને પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલમાં ખેડૂતોની નજર આકાશ તરફ છે. એક તરફ મેઘરાજાની રાહ અને બીજી તરફ કેનાલના પાણીની આશા—બન્ને તરફથી રાહત મળે તો જ ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે. અહેવાલ:- મુકેશ સોની લાખણી
- ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ઇદે મિલાદૂન નબી નિમિત્તે ધાનેરામાં ભવ્ય જુલુસ યોજાયું: મુસ્લિમ સમુદાય દ્વારા પયગંબર સાહેબના જન્મદિનની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ધાનેરામાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર ઇદે મિલાદૂન નબી (પેગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મજિન) નિમિત્તે શહેરભરમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર પર મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નબીના આશિકો અને શહેરીજનો જોડાયા હતા. મુખ્ય આકર્ષણો: * શાંતિ અને ભાઈચારો: જુલુસ દરમિયાન સહુએ અમીની અને ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો હતો. * નારે તકબીરનો ગુંજારવ: નબીની શાનમાં નારાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. * રૂટ અને સુરક્ષા: ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવી શકાય. > આ પ્રસંગે વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહીને માનવતા, શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરામાં આ તહેવાર ઉત્સાહભેર ઉજવાતા સર્વધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું.4
- થરાદ ના શિવનગરની સુફ કશીદાકારીનું દેશના સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચવું સમગ્ર વાવ-થરાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ બની છે. થરાદ: વાવ-થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકાના શિવનગર ગામની પેઢીઓ જૂની પરંપરાગત ‘સુફ કશીદાકારી’ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શિવનગરની અસલ સુફ કશીદાકારીથી તૈયાર કરાયેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી. સુફ કશીદાકારીમાં કોઈ પૂર્વ રેખાંકન કે છાપકામ વિના માત્ર દોરાના તારની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે. શિવનગરના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ હસ્તકળાની ઝીણવટભરી કારીગરી અને પરંપરાગત કળાને વડાપ્રધાનશ્રીએ નિહાળી તેની પ્રશંસા કરી હતી. શિવનગરની આ કળા દેશના વડાપ્રધાન સુધી પહોંચતા સ્થાનિક કારીગરો અને સમગ્ર વાવ-થરાદ પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી સરહદી વિસ્તારની આ પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ મળી છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી શિવનગરની સુફ કશીદાકારી સાથે જોડાયેલા કારીગરોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. આ સન્માનથી સ્થાનિક હસ્તકળાને આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી તકો મળવાની સંભાવના પણ ઉભી થઈ છે.1
- સરહદી થરાદની ‘સુફ’ કળાનો દિલ્હીમાં ડંકો! PM મોદીના હાથમાં પહોંચી શિવનગરની શાન વાવ - થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકા સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા ‘સુફ કશીદાકારી’ હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે. નવી દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન પરંપરાગત રીત-રિવાજ મુજબ શિવનગરની અસલ સુફ કશીદાકારીથી સુશોભિત વિશિષ્ટ ‘શાલ’ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સન્માન કર્યું હતું. સ્થાનિક ગ્રામીણ કારીગરો દ્વારા સોય અને દોરાના અદભુત સંયોજનથી તૈયાર કરાયેલી આ કલાકૃતિને દેશના સર્વોચ્ચ નેતૃત્વ સમક્ષ પ્રસ્તુત કરવાની આ ક્ષણ સમગ્ર વાવ - થરાદ પંથક માટે અતિ ગૌરવશાળી સાબિત થઈ છે. સુફ કશીદાકારી એ કોઈ સામાન્ય ભરતકામ નથી, પરંતુ કાપડ પર કોઈપણ પૂર્વ છાપકામ કે રેખાંકન વગર માત્ર દોરાના તારની ગણતરી (કાઉન્ટિંગ) કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો કંડારતી અત્યંત જટિલ અને પ્રાચીન હસ્તકળા છે. વડાપ્રધાનશ્રીએ આ શાલમાં રહેલી અતિ ઝીણવટભરી કારીગરી, પરંપરાગત રંગોની પસંદગી અને સ્થાનિક મહિલા કારીગરોની અથાક મહેનતને અત્યંત આત્મીયતાપૂર્વક નિહાળી હતી. તેમણે ભારતીય લોકવારસાને જીવંત રાખતા ગ્રામીણ કલાકારોના અપ્રતિમ કૌશલ્ય અને સમર્પણની મુક્તકંઠે સરાહના કરી હતી, જેનાથી શિવનગરના કસબીઓમાં આનંદ અને ગર્વની લાગણી પ્રસરી છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સ્થાનિક હસ્તકળા, ગ્રામીણ રોજગારી અને સરહદી વિસ્તારના સાંસ્કૃતિક વારસાને સતત પ્રોત્સાહન આપવા માટે અગ્રેસર રહ્યા છે. વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને જમીની સ્તરે સાકાર કરતાં, શિવનગર જેવા છેવાડાના વિસ્તારની પરંપરાગત કળાને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડી તેમણે સ્થાનિક કારીગરોને રાષ્ટ્રીય સ્તરની ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ સેતુરૂપ ભૂમિકા ભજવી છે. જનપ્રતિનિધિ તરીકેના તેમના આ નિષ્ઠાવાન પ્રયાસોથી હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા પરિવારોમાં નવી આશા, ઉત્સાહ અને આત્મનિર્ભરતાનો સંચાર થયો છે. વડાપ્રધાનશ્રી દ્વારા મળેલી આ સર્વોચ્ચ સ્વીકૃતિ માત્ર એક ગામ કે કારીગર પૂરતી સીમિત ન રહેતાં, સમગ્ર થરાદ અને ગુજરાતના સમૃદ્ધ વારસાનું બહુમાન બની રહી છે. દેશના સર્વોચ્ચ નેતૃત્વનું ધ્યાન આ લુપ્તપ્રાય કળા તરફ આકર્ષિત થવાથી આગામી સમયમાં શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન મંચો, ઈ-કોમર્સ માર્કેટ અને સરકારી પ્રોત્સાહક યોજનાઓ થકી વિશાળ આર્થિક તકો ઉપલબ્ધ બનશે. આ ઐતિહાસિક સન્માનથી થરાદની કળાને નવી ઓળખ મળશે અને નવી પેઢી પણ આ પારંપરિક વારસાને આગળ ધપાવવા પ્રેરિત થશે.1
- થરાદ મેઈન બજારમાં એક તસ્કર કેવી રીતે ચોરી કરેલો મુદામાલ તાબાના સળિયા છુપાવે છે જાણો વિડીયો માં. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- ખેડુત ની માંગ છે કેનાલ માં પાણી છોડાવો .,,,,,,,,,,,,,,,1
- ભાભર ખાતે ભવ્યથી અતિ ભવ્ય સંસ્કૃતિક ગૌરવ યાત્રા નિકળતા આ ગૌરવ યાત્રા સમગ્ર ભાભર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી... ભાભર ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી ચારેય વેદોની ઝાંખી સાથે નીકળેલી શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર.. ભારતીય સંસ્કૃતિ, દેવભાષા સંસ્કૃત અને આપણી પ્રાચીન વૈદિક પરંપરાના જતન તેમજ સંવર્ધનના ઉમદા હેતુથી ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આજે ભાભર સ્થિત સર્વોદય વિદ્યામંદિર ખાતે એક સુવ્યવસ્થિત અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક પરંપરા અને સાંસ્કૃતિક વેશભૂષા સાથે નગરચર્યા કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે ભાભર શહેરના મુખ્ય માર્ગો પર એક દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ચારેય વેદોની ભવ્ય ઝાંખી સાથે વિવિધ પૌરાણિક અને વૈદિક પાત્રોની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભાભરની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો રજૂ કર્યા હતા. બાળકોનું આ નયનરમ્ય અને સંસ્કૃતિસભર રૂપ સમગ્ર ભાભર નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ શોભાયાત્રા ભાભર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે નગરજનો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા સાથે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાભર નગરપાલિકા પરિવાર દ્વારા શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરી પધારેલા મહાનુભાવો અને શોભાયાત્રાના સહભાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન નગરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શિક્ષણપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સર્વોદય વિદ્યામંદિર ખાતે યોજાયેલા સભા કાર્યક્રમમાં વક્તાઓએ સંસ્કૃત ભાષાના મહત્વ, વૈદિક જ્ઞાન અને સંસ્કૃતિના સંવર્ધન અંગે ગહન વિચારો રજૂ કર્યા હતા. આ ભાષા માત્ર એક માધ્યમ નથી પરંતુ આપણી વિરાસત છે તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન નગરજનો માટે અત્યંત પ્રેરણાદાયી અને ભક્તિમય બની રહ્યું હતું.1
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- ब्यूरो चीफ चन्द्र भान सेन पन्ना जिला शिक्षा अधिकारी (deo)एवं जिला शिक्षा केन्द्र (dpc) के समन्वय से क्रीड़ा अधिकारी खेलों में कर रहे पन्ना के खिलाड़ी उत्कृष्ट प्रदर्शन और उत्साह से ले रहे भाग। * * जिला स्तरीय शतरंज प्रतियोगिता सम्पन्न* *पन्ना, 25 अगस्त 2026।* आज दिनांक *25/08/2026* को *Education Mentors Academy School, Panna* में जिला स्तरीय शतरंज प्रतियोगिता का सफलतापूर्वक आयोजन किया गया। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए छात्र-छात्राओं ने उत्साहपूर्वक बढ़-चढ़कर हिस्सा लिया। कार्यक्रम में *मुख्य अतिथि के रूप में जिला शिक्षा अधिकारी, पन्ना, श्रीमती आकांक्षा रावत जी* उपस्थित रहीं। *विशिष्ट अतिथियों* के रूप में *जिला परियोजना समन्वयक, जिला शिक्षा केंद्र, पन्ना, किरण कौशिक जी* एवं *जिला क्रीड़ा अधिकारी, पन्ना, श्री राजेश मिश्रा जी* की गरिमामयी उपस्थिति रही। इसके साथ ही *सीनियर खेल शिक्षक श्री मनोज खरे जी (सांदिपनी स्कूल, पन्ना)*, *श्री पहलवान सिंह जी (MDRL School, Panna)* एवं *जिला खेल और युवा कल्याण विभाग से मोहम्मद मुस्तकीम जी* विशेष रूप से उपस्थित रहे। प्रतियोगिता में जिले के विभिन्न विद्यालयों एवं विकासखण्डों से आए हुए खिलाड़ियों ने उत्साह, अनुशासन एवं खेल भावना के साथ प्रतिभागिता की और अपनी उत्कृष्ट *शतरंज प्रतिभा, रणनीतिक सोच एवं खेल कौशल* का प्रदर्शन किया। इस अवसर पर विद्यालय संचालक *श्री प्रवर्ध गुप्ता जी* एवं प्राचार्या *डाॅ. श्रीमती पुष्पा यादव* ने प्रतियोगिता के सफल आयोजन में सहयोग प्रदान करने के लिए शिक्षा विभाग, सभी सम्माननीय अतिथियों, खेल शिक्षकों, प्रतिभागी विद्यालयों एवं खिलाड़ियों का हार्दिक आभार व्यक्त किया। प्रतियोगिता का सफल आयोजन विद्यालय के खेल शिक्षक *श्री शमीम अहमद सिद्दीकी* के मार्गदर्शन एवं समस्त सहयोगी स्टाफ के अथक प्रयासों से सम्पन्न हुआ। *Education Mentors Academy School, Panna* परिवार की ओर से सभी प्रतिभागी खिलाड़ियों एवं विद्यालयों को हार्दिक शुभकामनाएँ एवं उज्ज्वल भविष्य की मंगलकामनाएँ दी गयीं।1