વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!
વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!
- વડાલી ખાતે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી રાજસ્થાનથી ઝડપાયો વડાલી પોલીસ મથક ખાતે સગીરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ ઈડર તાલુકાના રાવોલ ગામના એક ઇસમએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું અપહરણ બાદ આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું સગીરા ગુમ થતા તેના પરિવારજનો દ્વારા વડાલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી અને આરોપીને રાજસ્થાનના શિવગંજમાંથી ઝડપી પાડ્યો આરોપીની અટકાયત કરીને મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે તારીખ 9 3 2026 ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાંબડીયા દેડકા પોલાપાણ ખરણીયા ટેબડાના દોતડઅને માલવાસ ગામનો સમાવેશ કરવામાં આવેલ જોકે હાલમાં ઘઉંની સિઝન ચાલી રહી હોય સેવાસેતુ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠયા લોકો જોવા મળે આઈ સી ડી એસ આરોગ્ય વિભાગ યુ જી વી સી એલ જનસેવા કેન્દ્ર હેલ્થ ડેસ્ક પશુ વિભાગ આઈ ટી આઈ પ્રાકૃતિક ખેતીની સાથે આધાર કાર્ડ જાતિ આવક માગદર્શ રેશનકાર્ડ સમેતની કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમમાં રાખવામાં આવેલ જેમાં સંબંધીત વિભાગના કર્મચારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જોકે અહીંયા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદરોની પાંખી હાજરી આંખે વાગીને જોવા મળેલ1
- સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.1
- राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला। पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया। नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है1
- Post by Artist Satyam1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં એક ખેતમજૂર મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે પાંચ બાળકોએ તેમની માતા ગુમાવી છે. મહિલાના આપઘાતનું કારણ હજુ અગમ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પોશીના તાલુકાના વલસાડી ગામના વતની અને હાલ વડાલીના કેશરગંજ મુકામે ખેતરમાં મજૂરીકામ કરતા અમિયાબેન બકાભાઈ બુબડીયા (આશરે ૩૦ વર્ષ) એ પોતાના રહેઠાણના સ્થળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેઓ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ ચાલી રહી છે. વડાલી પોલીસે હાલમાં અકસ્માત મોત (A.D.) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- Post by Artist Satyam1
- 💔❤️yuo🕎♋⭕🈶8