ઈડર-વડાલી હાઈવે પર બાઈક અકસ્માત, ચાર લોકો ઇજાગ્રસ્ત: વડાલી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે આગળ રિફર કરાયા સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.
ઈડર-વડાલી હાઈવે પર બાઈક અકસ્માત, ચાર લોકો ઇજાગ્રસ્ત: વડાલી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે આગળ રિફર કરાયા સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી. ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી. જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી. પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- વર્ષ 2021 માં ખરણીયા ગામે નલ સે જલ યોજનામાં આપવામાં આવેલ પાણીના કનેક્શન બાદ આખી યોજના ઘાયબ1
- Post by Nationgujarat.com1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે તારીખ 9 3 2026 ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાંબડીયા દેડકા પોલાપાણ ખરણીયા ટેબડાના દોતડઅને માલવાસ ગામનો સમાવેશ કરવામાં આવેલ જોકે હાલમાં ઘઉંની સિઝન ચાલી રહી હોય સેવાસેતુ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠયા લોકો જોવા મળે આઈ સી ડી એસ આરોગ્ય વિભાગ યુ જી વી સી એલ જનસેવા કેન્દ્ર હેલ્થ ડેસ્ક પશુ વિભાગ આઈ ટી આઈ પ્રાકૃતિક ખેતીની સાથે આધાર કાર્ડ જાતિ આવક માગદર્શ રેશનકાર્ડ સમેતની કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમમાં રાખવામાં આવેલ જેમાં સંબંધીત વિભાગના કર્મચારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જોકે અહીંયા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદરોની પાંખી હાજરી આંખે વાગીને જોવા મળેલ1