logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભિલોડા માહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશ (શિવજી)ની ઉત્પત્તિ દિવસ નિમિત્તે મહેશ નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પાવન અવસરે માહેશ્વરી સેવા સમાજ, માહેશ્વરી મહિલા સંગઠન, અને માહેશ્વરી યુવા સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી રામપાલ ભાઈ લઢા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, વરિષ્ઠ વડીલોનું સન્માન શ્રીમતી રાધાબેન રામકુમાર મુદડા દ્વારા કરવામાં આવ્યું. મંચ સંચાલનની જવાબદારી ભૂમિકા બેન મુદડા અને યોગિતાબેન પોરવાલ દ્વારા સુપેરે નિભાવવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર સાહેબ અને ગામના આગેવાનોની પ્રેરક હાજરી પણ નોંધપાત્ર રહી. આ જ દિવસે માહેશ્વરી યુવા સંગઠનની નવીન કાર્યકારણીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ મુગડને અધ્યક્ષ, પુષ્કર મુદડાને ઉપાધ્યક્ષ અને નવનીત દેવપુરાને મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. સમાજના રાવજી (જાગાજી) બનવારી લાલ પણ ઉપસ્થિત રહી સમાજની ઉત્પત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામપાલ લઢા, શિવજી મુગડ, વિષ્ણુ મુદડા, સુરેશ બાગડ, યુવાનો અને મહિલા સંગઠનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગને અનુરૂપ સમાજના અધ્યક્ષ રામપાલ લઢાએ ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ઉપાધ્યક્ષ શિવજી ભાઈએ આભાર વિધિ કરી. મહાઆરતી પછી સામૂહિક આરતી કરી સૌએ સાથે ભોજન પ્રસાદી લઈને આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

6 hrs ago
user_Jaydip bhatiya
Jaydip bhatiya
મોડાસા, અરવલ્લી, ગુજરાત•
6 hrs ago

ભિલોડા માહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશ (શિવજી)ની ઉત્પત્તિ દિવસ નિમિત્તે મહેશ નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પાવન અવસરે માહેશ્વરી સેવા સમાજ, માહેશ્વરી મહિલા સંગઠન, અને માહેશ્વરી યુવા સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી રામપાલ ભાઈ લઢા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, વરિષ્ઠ વડીલોનું સન્માન શ્રીમતી રાધાબેન રામકુમાર મુદડા દ્વારા કરવામાં આવ્યું. મંચ સંચાલનની જવાબદારી ભૂમિકા બેન મુદડા અને યોગિતાબેન પોરવાલ દ્વારા સુપેરે નિભાવવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર સાહેબ અને ગામના આગેવાનોની પ્રેરક હાજરી પણ નોંધપાત્ર રહી. આ જ દિવસે માહેશ્વરી યુવા સંગઠનની નવીન કાર્યકારણીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ મુગડને અધ્યક્ષ, પુષ્કર મુદડાને ઉપાધ્યક્ષ અને નવનીત દેવપુરાને મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. સમાજના રાવજી (જાગાજી) બનવારી લાલ પણ ઉપસ્થિત રહી સમાજની ઉત્પત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામપાલ લઢા, શિવજી મુગડ, વિષ્ણુ મુદડા, સુરેશ બાગડ, યુવાનો અને મહિલા સંગઠનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગને અનુરૂપ સમાજના અધ્યક્ષ રામપાલ લઢાએ ઉદ્બોધન કર્યું હતું, જ્યારે ઉપાધ્યક્ષ શિવજી ભાઈએ આભાર વિધિ કરી. મહાઆરતી પછી સામૂહિક આરતી કરી સૌએ સાથે ભોજન પ્રસાદી લઈને આ ભવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં આગામી 28 થી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય લક્ષ્યાંક જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 1.15 લાખથી વધુ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાનો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 28 જૂનના રોજ જિલ્લાના 642 પોલિયો બુથ પર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. ત્યારબાદ, 29 અને 30 જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), આશા કાર્યકરો, આશા ફેસિલિટેટર તેમજ આંગણવાડી કાર્યકરો સહિત કુલ 2568 ટીમો કાર્યરત રહેશે. આ ઉપરાંત, દેખરેખ અને માર્ગદર્શન માટે સુપરવાઇઝરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઈરિસ્ક વિસ્તારો, ઈંટના ભઠ્ઠાઓ, ઔદ્યોગિક વિસ્તારો, સ્લમ વિસ્તારો તેમજ સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને આવરી લેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે. આ ઝુંબેશ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે માઈકિંગ, પોસ્ટર, બેનર, રેલી તેમજ વિવિધ પ્રચાર-પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવે. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે પોલિયોના આ બે ટીપા બાળકના સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને પોલિયોમુક્ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે.
    2
    રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં આગામી 28 થી 30 જૂન, 2026 દરમિયાન પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય લક્ષ્યાંક જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 1.15 લાખથી વધુ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાનો છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 28 જૂનના રોજ જિલ્લાના 642 પોલિયો બુથ પર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. ત્યારબાદ, 29 અને 30 જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), આશા કાર્યકરો, આશા ફેસિલિટેટર તેમજ આંગણવાડી કાર્યકરો સહિત કુલ 2568 ટીમો કાર્યરત રહેશે. આ ઉપરાંત, દેખરેખ અને માર્ગદર્શન માટે સુપરવાઇઝરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઈરિસ્ક વિસ્તારો, ઈંટના ભઠ્ઠાઓ, ઔદ્યોગિક વિસ્તારો, સ્લમ વિસ્તારો તેમજ સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને આવરી લેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે.

આ ઝુંબેશ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે માઈકિંગ, પોસ્ટર, બેનર, રેલી તેમજ વિવિધ પ્રચાર-પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવે. વિભાગે ભારપૂર્વક જણાવ્યું છે કે પોલિયોના આ બે ટીપા બાળકના સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને પોલિયોમુક્ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે એક યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. મૈત્રી કરારથી રહેતી નેન્સીબેન નામની યુવતીનું કાળા કલરની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અપહરણ નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ જીત પટેલે આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે એક યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. મૈત્રી કરારથી રહેતી નેન્સીબેન નામની યુવતીનું કાળા કલરની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ અપહરણ નેન્સીબેનના પિતા દિલીપ પ્રજાપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિ જીત પટેલે આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
    1
    અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાંથી એક પરિણીત યુવતીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા. લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.
    4
    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા.

લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.
    user_Mahisagar News
    Mahisagar News
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    1 day ago
  • વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજાપુરના ટીબી રોડ પર આવેલા લીલા શાહ મોલ નજીક ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું હતું, અને સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે. વિજાપુરના પંડ્યાવાસમાં રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની પત્ની મનોરમા ઉર્ફે મનિષાબેન સાથે એક્ટીવા નંબર GJ.01.UV.0822 પર બજારમાં જઈ રહ્યા હતા. લીલા શાહ મોલ આગળ તેમની આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે જ સમયે, સામેથી એક અજાણી મહિલા એક્ટીવા ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને આવી હતી. સામેથી આવતી એક્ટીવાથી બચવા માટે સંદિપભાઈએ પોતાની એક્ટીવાને બ્રેક મારી હતી. બ્રેક મારતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની મનિષાબેન નીચે પડી ગયા હતા અને તે જ ક્ષણે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેઇલરના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી સંદિપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. પત્નીના મૃત્યુ અને પોતાની ઈજાઓના કારણે સંદિપભાઈએ ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે આ બનાવ અંગે અજાણી એક્ટીવા ચાલક મહિલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ નિલેશકુમાર પરમારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    1
    વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિજાપુરના ટીબી રોડ પર આવેલા લીલા શાહ મોલ નજીક ૨૦ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું હતું, અને સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે.

વિજાપુરના પંડ્યાવાસમાં રહેતા સંદિપભાઈ અરવિંદભાઈ પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમની પત્ની મનોરમા ઉર્ફે મનિષાબેન સાથે એક્ટીવા નંબર GJ.01.UV.0822 પર બજારમાં જઈ રહ્યા હતા. લીલા શાહ મોલ આગળ તેમની આગળ એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું. તે જ સમયે, સામેથી એક અજાણી મહિલા એક્ટીવા ચાલક પોતાનું વાહન રોંગ સાઈડે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને આવી હતી. સામેથી આવતી એક્ટીવાથી બચવા માટે સંદિપભાઈએ પોતાની એક્ટીવાને બ્રેક મારી હતી. બ્રેક મારતા પાછળ બેઠેલાં તેમનાં પત્ની મનિષાબેન નીચે પડી ગયા હતા અને તે જ ક્ષણે આગળ જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેઇલરના ટાયર નીચે આવી જતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી સંદિપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.

ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો. પત્નીના મૃત્યુ અને પોતાની ઈજાઓના કારણે સંદિપભાઈએ ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે આ બનાવ અંગે અજાણી એક્ટીવા ચાલક મહિલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધીને પીએસઆઈ નિલેશકુમાર પરમારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • ગોગા વાડી સોસાયટી ધાનેરા પેટા જિલ્લો, GJ, IN
    1
    ગોગા વાડી સોસાયટી ધાનેરા પેટા જિલ્લો, GJ, IN
    user_Vinu.  Mavi
    Vinu. Mavi
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    13 hrs ago
  • આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બદપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના જાહેર રસ્તા પર ગંદકીનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ગંદકીના કારણે નાના બાળકોને શાળાએ જવા માટે ગંદકી અને લોકોના સંદેશાઓને ઓળંગીને પસાર થવાની ફરજ પડે છે. રસ્તા પર ફેલાયેલી ગંદકીને કારણે બાળકોને મજબૂરીવશ રસ્તાની વચ્ચે ચાલવું પડે છે, જેના પરિણામે વાહનોની અવરજવરથી અકસ્માત થવાનો ભય સતત રહે છે. સ્થાનિકો દ્વારા આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
    1
    આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બદપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના જાહેર રસ્તા પર ગંદકીનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ગંદકીના કારણે નાના બાળકોને શાળાએ જવા માટે ગંદકી અને લોકોના સંદેશાઓને ઓળંગીને પસાર થવાની ફરજ પડે છે. રસ્તા પર ફેલાયેલી ગંદકીને કારણે બાળકોને મજબૂરીવશ રસ્તાની વચ્ચે ચાલવું પડે છે, જેના પરિણામે વાહનોની અવરજવરથી અકસ્માત થવાનો ભય સતત રહે છે. સ્થાનિકો દ્વારા આ ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
    user_Shakil saiyed SARKAR
    Shakil saiyed SARKAR
    ઉમરેઠ, આણંદ, ગુજરાત•
    9 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની ખુલ્લેઆમ હેરાફેરી ચર્ચાનો વિષય બની છે. મેઘરજ, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડાના જથ્થા જાહેર રસ્તાઓ પરથી ખુલ્લેઆમ પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન વધી રહેલી આ હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મોટા પાયે લાકડાની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો લાકડાના જથ્થા કયા વિસ્તારથી આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરજ, બાયડ અને મોડાસા તાલુકાના અનેક માર્ગો પરથી ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડા પસાર થતા હોવાના દાવાઓ વચ્ચે હવે જવાબદાર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જોકે, લાકડાની હેરાફેરી કાયદેસર પરવાનગી સાથે થઈ રહી છે કે ગેરકાયદેસર રીતે, તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
    2
    અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લીલા લાકડાની ખુલ્લેઆમ હેરાફેરી ચર્ચાનો વિષય બની છે. મેઘરજ, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડાના જથ્થા જાહેર રસ્તાઓ પરથી ખુલ્લેઆમ પસાર થતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દિનપ્રતિદિન વધી રહેલી આ હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. 

સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે મોટા પાયે લાકડાની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તો લાકડાના જથ્થા કયા વિસ્તારથી આવે છે અને ક્યાં લઈ જવામાં આવે છે તે અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેઘરજ, બાયડ અને મોડાસા તાલુકાના અનેક માર્ગો પરથી ટ્રક અને ટ્રેક્ટરોમાં ભરેલા લાકડા પસાર થતા હોવાના દાવાઓ વચ્ચે હવે જવાબદાર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હકીકત બહાર લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. 

જોકે, લાકડાની હેરાફેરી કાયદેસર પરવાનગી સાથે થઈ રહી છે કે ગેરકાયદેસર રીતે, તે અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
    user_Patel Hitendra M
    Patel Hitendra M
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.