જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ
જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના
સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ
આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
- જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અસાડી બીજના ભવ્ય મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પરબધામ દ્વારા તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ભજન-કીર્તન, મહાપ્રસાદ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને વિવિધ ખાણી-પીણીના સ્ટોલની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પરબધામનો મુખ્ય સંકલ્પ 'કોઈપણ ભાવિક ભૂખ્યો ન જાય' તેને ધ્યાનમાં રાખીને વિશાળ રસોડામાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. અસાડી બીજના પાવન અવસરે સંતવાણીનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓ આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ પરબધામની વેબસાઇટ મારફતે કરવામાં આવશે. મહંત પૂજ્ય કરસનદાસ બાપુએ દેશભરના ભાવિકોને આ મેળામાં પધારી પરબધામના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ધર્મલાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.4
- જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.1
- વંથલી તાલુકાના સુખપુર ગામમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. ગામમાં આવેલી ગૌશાળાની અંદાજે ૧૫ ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી ગયો હતો અને ત્યાં બાંધેલી એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાના માત્ર એક જ દિવસ પહેલા વન વિભાગ દ્વારા આ જ ગામમાંથી એક દીપડીને પાંજરે પૂરી જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. આ સફળતાના ગણતરીના કલાકોમાં જ અન્ય દીપડાના હુમલાને કારણે વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની સીમ અને રહેણાંક વિસ્તારોમાં દીપડા તેમજ સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ડરનો માહોલ છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વન વિભાગ માત્ર પાંજરા મૂકીને કામચલાઉ ઓપરેશન કરે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો ભવિષ્યમાં કોઈ માનવ પર હુમલો થશે તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ વન વિભાગ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને વિસ્તારમાં ભમતા અન્ય હિંસક પ્રાણીઓને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.1
- ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.1
- ગીર પૂર્વના નગડિયા ગામની એક વાડીમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનવિભાગના કર્મચારીઓ દ્વારા આ મગરનું સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનાથી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.1
- રાજકોટ જિલ્લાના જસદણ નગરમાં ભાદર નદી પર આશરે રૂ. ૬.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે બ્રિજનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ બંને બ્રિજ ખુલ્લા મુકાતા જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે અને હુડકો સોસાયટીથી વાજસૂર પરા વિસ્તારના નાગરિકો માટે પરિવહન ઘણું સરળ બન્યું છે. આ પ્રસંગે લાતીપ્લોટ ખાતે યોજાયેલી સભામાં સંબોધન કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે ભાદર નદી પર રૂ. ૩૬૧.૬૪ લાખના ખર્ચે ૬૦ મીટર લાંબો અને ૧૦.૫ મીટર પહોળો બ્રિજ (કાળીયા) જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવ્યો છે, જેનાથી જસદણ તેમજ આસપાસના ૬૦ ગામના લોકો માટે આવાગમન વધુ સરળ બન્યું છે. જ્યારે બીજો બ્રિજ હુડકો સોસાયટીથી વાજસુર પરા વિસ્તારને જોડવા માટે રૂ. ૩૧૭.૦૭ લાખના ખર્ચે તૈયાર કરાયો છે. ચોમાસા દરમિયાન ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તો પણ લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે આ બંને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણને એક 'વિકસિત નગર' બનાવવાની કટિબદ્ધતા સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું કે અગાઉ ખાતરી આપેલા વિકાસકાર્યોમાંથી ૯૦ ટકા કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના ૧૦ ટકા મંજૂરીના તબક્કે છે. નગરના છેવાડાના વિસ્તારોમાં પણ વધુ એક બ્રિજ તેમજ રસ્તાનું નિર્માણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ વિસ્તારોને ભૂગર્ભ ગટર યોજના સાથે સાંકળી લેવાયા છે. વધુમાં, જસદણમાં ટાઉનહોલ માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યા મંજૂર કરી દેવામાં આવી છે, મુખ્ય પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે અને સ્થાનિક લાઈબ્રેરી માટે રૂ. ૧ લાખના પુસ્તકો પણ આવી ગયા છે. આ સાથે જ નવી ઉદ્યોગનીતિ સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના વ્યવસાયને વેગ આપશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.4
- ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.1
- અમરેલીના જેતપુર દેરડી આવાસ યોજના નજીક રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાઈક ચાલક સામે અચાનક ગાય આવી ગઈ હતી. ગાય સાથે બાઈકની ટક્કર થતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.1