Shuru
Apke Nagar Ki App…
ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
પત્રકાર
ગિરનાર પર સિંહ દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. આ હુમલાની ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ગિરનાર પરથી ૩ સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજીના લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે એક ભવ્ય અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ સમિતિ ધોરાજી અને ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ભાઈ-બહેનોએ શ્રી નરેશભાઈ પટેલ દીર્ઘાયુ બને, સ્વસ્થ રહે અને આ જ રીતે સદાય સમાજસેવાના કાર્યો કરતા રહે તે માટે માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ કેમ્પમાં સૌથી મોટું આકર્ષણ ખોડલધામ સમિતિના સદસ્ય રજનીભાઈ ચોવટીયા બન્યા હતા, જેમણે સમાજ સમક્ષ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા ૧૦૩મી વખત રક્તદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં લેઉઆ પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અરવિંદભાઈ વોરા અને દક્ષાબેન હિરપરા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવું ભારે પડ્યું છે, જ્યાં એક યુવાનના મોત બાદ વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.1
- મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.1
- જેતપુરના કણકિયા પ્લોટમાં મૈત્રીપૂર્ણ સંબંધમાં જીવવું એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયું છે. કણકિયા પ્લોટમાં અંબર સિનેમા પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ વાઘેલા જ્યારે બપોરે લંચ સમયે છાશ લેવા બહાર નીકળ્યા, ત્યારે તેમની સાથે રહેતી મહિલાના પુત્ર જયન વાઘેલાએ તેમને રસ્તામાં રોકીને ૫ થી ૬ વાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં કમલેશ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક કમલેશ વાઘેલા નીતા વાઘેલા સાથે દોસ્તીના સંબંધમાં રહેતા હતા. નીતાના પતિના અવસાન બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, આ સંબંધ નીતાના પુત્ર જયનને બિલકુલ પસંદ ન હતો, જેના કારણે તે સતત નારાજ રહેતો હતો અને રાજકોટમાં અલગ રહેતો હતો. પોતાની માતા વર્ષોથી અન્ય પુરુષ સાથે મૈત્રીપૂર્ણ સંબંધમાં રહેતી હોવાની બાબત સહન ન થતાં જયને કમલેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જયન વાઘેલા અને તેનો સાથી ધ્રુવ નૈયા અગાઉ પણ એક મર્ડર કેસમાં સંડોવાયેલા હતા. તેઓ એક દિવસ પહેલા જ જેતપુર પહોંચ્યા હતા અને કમલેશ વાઘેલાની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. હત્યામાં વપરાયેલું ચપ્પુ રાજકોટથી જેતપુર આવતી વખતે વીરપુરથી ખરીદવામાં આવ્યું હતું. તક મળતા જ જયને પૂર્વ આયોજિત કાવતરા મુજબ કમલેશ પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની ગણતરીની કલાકોમાં પોલીસે સપાટો બોલાવીને આરોપી જયન વાઘેલા અને ધ્રુવ નૈયા બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ ભક્તિમય અવસરે ભગવાન સમક્ષ ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.1
- જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે યાત્રા કરવા આવેલા એક પરિવારના ૧૧ વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે. વહેલી સવારે ૫:૪૫ કલાકે બનેલી આ કમનસીબ ઘટનામાં મયુર ચૌહાણ નામના બાળકનું મોત નીપજ્યું છે.1
- રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા અને ભીયાડ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અગાઉ વર્ષ 2025માં પણ દબાણ થયું હતું અને ત્યારબાદ ફરીથી કેટલાક તત્વો દ્વારા રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું હતું. આ દબાણને કારણે આસપાસના સામાન્ય ખેડૂતોને પોતાના ખેતરે જવા-આવવા માટે અને વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં લાંબા સમય સુધી દબાણો દૂર ન થતાં, આખરે અસરગ્રસ્ત 13 જેટલા ખેડૂતોએ આ મામલે 'તાલુકા સ્વાગત ઓનલાઈન' કાર્યક્રમમાં ન્યાયની ગુહાર લગાવી હતી. ખેડૂતોની આ રજૂઆત બાદ ધોરાજી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ધોરાજીના મામલતદાર એચ. ડી. બારોટ, પોલીસ કાફલો, પીજીવીસીએલ (PGVCL)ની ટીમ અને અન્ય જવાબદાર વિભાગના અધિકારીઓએ સાથે મળીને આ માર્ગ પર 'બાબાનું બુલડોઝર' ફેરવી તમામ ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા હતા. લાંબા સમયની હેરાનગતિ બાદ રસ્તો ખુલ્લો થતાં તોરણીયા ગામના ખેડૂતો કરણભાઈ આસોદડીયા અને મહેશભાઈ વાંક સહિતના પીડિત ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોએ તંત્રની આ સરાહનીય કામગીરીને બિરદાવી અધિકારીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં ફરી કોઈ આ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે તેવી તકેદારી રાખવા અપીલ કરી છે.1
- રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને તેમણે લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે દીકરીઓએ મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ અને સમાજે પણ આ બાબતે સાથે મળીને વિચારવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ.1
- ડીંડોલી વિસ્તારમાં આવેલા અલગ-અલગ મંદિરોમાંથી દાનપેટીઓની ચોરી કરનારા આરોપીઓને ડીંડોલી પોલીસની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વિગત મુજબ, ડીંડોલીમાં અંબિકા ટાઉનશિપની સામે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવાગામની રાજદીપ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર તેમજ દેલાડવા ગામમાં દીપદર્શન સ્કૂલની સામે આવેલી દેવનંદની સોસાયટીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરી અંગે ફરિયાદીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-૨ મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર 'આઈ' ડિવિઝન એન.પી. ગોહિલ દ્વારા અવારનવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટની સૂચના મુજબ, સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમે આ સફળ કામગીરી કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.4