"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી"- શ્રી ઉમાશંકર જોશીની પંક્તિ સાથે માતૃભાષા મહોત્સવની ઉજવણી બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્યકાર શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિમાં "વિશ્વ માતૃભાષા" મહોત્સવની ઉજવણી કરાઈ " ભાષા ભાવની અભિવક્તિ છે." - સાહિત્યકારશ્રી જય વસાવડા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદના પાળિયાદ રોડ સ્થિત કવિ શ્રી બોટાદકર કૉલેજ ખાતે "માતૃભાષા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી. ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી આવકાર્યા હતા. કવિ બોટાદકર કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાહિત્યકાર પી.આર.ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલ દ્વારા કવિ નર્મદની પંક્તિ જય જય ગરવી ગુજરાતનું ગાયન કરીને આપણી સંસ્કૃતિની ઝલક ઉપસ્થિતોના માનસ પટમાં જીવંત કરી હતી અંતે કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ મકવાણાએ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા સાહિત્યકાર શ્રી જય વસાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા ભાવની અભિવક્તિ છે જેમાં ગુજરાતીઓની બળુકી ગુજરાતી ભાષામાં દરેક શબ્દો અર્થ અને ભાવ દર્શાવે છે ગુજરાતી છંદ, અલંકાર, ચોપાઈ, છપ્પા, ગઝલના અદ્ભુત ખજાના વિશે વિદ્યાર્થીઓને સાહિત્ય રસપાન કરાવ્યું હતું ખાસ અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને તેની માતૃભાષા પર ગર્વ હોવું જોઈએ. ભાષા એ ઋતુ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા આધુનિકીકરણમાં પણ મહત્વ ફાળો ધરાવે છે. તેમણે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિ બોટાદકર, રમણભાઈ નીલકંઠ સહિતના સાહિત્યકારોના જીવનના વિવિધ ઉદાહરણો આપી જીવનમાં ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાષા લવચીક છે ભાષા ત્યારે જ સમૃદ્ધ થાય જયારે અન્ય ભાષાના શબ્દો મૂળ ભાષામાં ભળે છે જેનું શ્રેષ્ઠ ઉહારણ છે જગન્નાથ રથયાત્રા, ભારતની આઝાદીની ચળવળ તથા રોજિંદા જીવનમાં જુદી જુદી ચીજ વસ્તુઓ માટે વપરાતા શબ્દો. આ ઉપરાંત વસાવડાએ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો દ્વારા લિખિત વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કરીને વિવિધ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓના ઉદાહરણ આપીને માતૃભાષાના મહત્વ અંગે રસપાન કરાવ્યું હતું આ તકે પાલિતાણા કોલેજના અધ્યાપક હરેશભાઈ મહેતા, સાહિત્યકાર પી. આર.ભટ્ટ, પ્રોફેસર વૈશાલીબેન દવે અને શિક્ષક ભાવેશભાઈ પરમાર, બોટાદ કોલેજના પ્રોફેસરઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી"- શ્રી ઉમાશંકર જોશીની પંક્તિ સાથે માતૃભાષા મહોત્સવની ઉજવણી બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે સાહિત્યકાર શ્રી જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિમાં "વિશ્વ માતૃભાષા" મહોત્સવની ઉજવણી કરાઈ " ભાષા ભાવની અભિવક્તિ છે." - સાહિત્યકારશ્રી જય વસાવડા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદના પાળિયાદ રોડ સ્થિત કવિ શ્રી બોટાદકર કૉલેજ ખાતે "માતૃભાષા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી. ભારતીય પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યાર બાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી આવકાર્યા હતા. કવિ બોટાદકર કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સાહિત્યકાર પી.આર.ભટ્ટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થી હર્ષલ દ્વારા કવિ નર્મદની પંક્તિ જય જય ગરવી ગુજરાતનું ગાયન કરીને આપણી સંસ્કૃતિની ઝલક ઉપસ્થિતોના માનસ પટમાં જીવંત કરી હતી અંતે કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રિન્સિપાલ અનિરુદ્ધસિંહ મકવાણાએ કરી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા સાહિત્યકાર શ્રી જય વસાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ જીવનના વાણી, વર્તન, વિચાર અને વ્યવહારમાં ભાષા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ભાષા ભાવની અભિવક્તિ છે જેમાં ગુજરાતીઓની બળુકી ગુજરાતી ભાષામાં દરેક શબ્દો અર્થ અને ભાવ દર્શાવે છે ગુજરાતી છંદ, અલંકાર, ચોપાઈ, છપ્પા, ગઝલના અદ્ભુત ખજાના વિશે વિદ્યાર્થીઓને સાહિત્ય રસપાન કરાવ્યું હતું ખાસ અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને તેની માતૃભાષા પર ગર્વ હોવું જોઈએ. ભાષા એ ઋતુ, સંસ્કૃતિ, ઇતિહાસ તથા આધુનિકીકરણમાં પણ મહત્વ ફાળો ધરાવે છે. તેમણે ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે, મહાત્મા ગાંધી, ઉમાશંકર જોશી, નગીનદાસ સંઘવી, કવિ બોટાદકર, રમણભાઈ નીલકંઠ સહિતના સાહિત્યકારોના જીવનના વિવિધ ઉદાહરણો આપી જીવનમાં ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાષા લવચીક છે ભાષા ત્યારે જ સમૃદ્ધ થાય જયારે અન્ય ભાષાના શબ્દો મૂળ ભાષામાં ભળે છે જેનું શ્રેષ્ઠ ઉહારણ છે જગન્નાથ રથયાત્રા, ભારતની આઝાદીની ચળવળ તથા રોજિંદા જીવનમાં જુદી જુદી ચીજ વસ્તુઓ માટે વપરાતા શબ્દો. આ ઉપરાંત વસાવડાએ ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો દ્વારા લિખિત વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કરીને વિવિધ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓના ઉદાહરણ આપીને માતૃભાષાના મહત્વ અંગે રસપાન કરાવ્યું હતું આ તકે પાલિતાણા કોલેજના અધ્યાપક હરેશભાઈ મહેતા, સાહિત્યકાર પી. આર.ભટ્ટ, પ્રોફેસર વૈશાલીબેન દવે અને શિક્ષક ભાવેશભાઈ પરમાર, બોટાદ કોલેજના પ્રોફેસરઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશ ખબર વિપક્ષ ના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી તેને સફળતા આપી બોટાદ ફરતે રીંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ માં વિકાસ થવાના કારણે છેલ્લા ૩ વર્ષ માં વસ્તી પણ ખૂબ વધી ગઈ છે વાહનો પણ ખૂબ વધી ગયા છે બોટાદ માં છેલ્લા ૩ વર્ષ માંખૂબ વિકાસ થયો હોવાથી આજુબાજુના ગામ ના લોકો, શહેર ના લોકો, જિલ્લાના લોકો રોજગારી મેળવવા માટે, હિરા બજારમાં રત્નકલાકારો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવતા હોવાથી વાહનો વધવાને કારણે બોટાદ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા ખૂબ વધી ગઈ છે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની અનેક રજૂઆત થી અને વિધાનસભા સત્ર દરમિયાન નંબર ૮ પર પ્રશ્ન પૂછવામાં આવેલ કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી હાલ કયા તબક્કે છે? અને કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને રીંગરોડ કુલ કેટલા કિલોમીટર લંબાઈ અને કેટલી પહોળાઈ વાળો બનાવવામાં આવશે? તેના જવાબ માં માનનીય મંત્રી દ્વારા જવાબ આપવામાં આવેલ કે બોટાદ ફરતે રિંગરોડ ની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. ૫૫૬૦ લાખ કરતા વધારે રકમ આ સર્વે ની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે સાથોસાથ નજીક ના સમયમાં સર્વે ની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇમેન્ટની પ્રક્રિયા ચાલુ છે ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને બોટાદમાં જે ટ્રાફિક નો પ્રશ્ન હતો તેનું નિવારણ માટે રિંગરોડ બનવા જઈ રહ્યો છે બોટાદ ફરતે રિંગરોડ રૂ! ૫૫૬૦ લાખ કરતા વધુના ખર્ચે બનાવવામાં આવશે રિંગરોડ લંબાઈ ૪૦ કિમી અને ફોર લેન બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર,1
- Post by સંતકુપા સ્ટુડિયો ગોરડકા1
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- 12 દિવસથી હજારો કામદારો બન્યા બેરોજગાર કામદારોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું સાયલા મામલતદાર નેં આવેદનપત્ર આપ્યું હતું1
- Post by બાપા સીતારામ ન્યુઝ6
- વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સાંકડી શેરી લોખંડનો દરવાજો ઘણી ફરી સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા લોકોનો હોબાળો સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ દૂરના વિસ્તારમાં પણ હાલ પાણીની તંગી ઓરતા રહી છે ક્યારે વઢવાણ વિસ્તારના સાંકડી શેરી સાંકડી શેરી લોખંડનો દરવાજો સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોડ ઉપર આવી અને હોબાળો કર્યો હતો વઢવાણ શહેરી વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે ત્યારે આજે પાણીના વાળાના દિવસે ફક્ત બે થી ત્રણ ડોલ પાણી આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને શહેરી વિસ્તારમાં પૂરતું પાણી આપવા માંગ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ ઉપર આવી અને વિરોધ દર્શાવ્યો હતો1
- બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ૩૮ નંબર નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ માં બોટાદ જિલ્લામાં કેટલા નવા આંગણવાડી કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાના ખર્ચે કેટલા નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે?અને ઉકત સ્થિતિએ બોટાદ જિલ્લામાં હાલ કેટલા આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે? તેના જવાબ માં માનનીય મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જીલ્લામાં ૬૧ કરતા વધારે નવા આંગણવાડી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે. ૧,૦૮,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ આઠ લાખ) ના ખર્ચે ૫૬ નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવનાર છે લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF)વપરાશથી રૂ.૧,૨૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ પચ્ચીસ લાખ) ના ખર્ચે ૦૫ નવા આંગણવાડી કેંદ્રો આયોજનમાં લીધેલ છે તા.૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ હાલ બોટાદ જીલ્લામાં ૧૧૦ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે આવનાર સમયમાં જર્જરિત હાલત આંગણવાડીના પણ કામ શરૂ કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1