Shuru
Apke Nagar Ki App…
તાલુકાના શખ્સની દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અટકાયત કરાઈ ગઈકાલે સાંજે 7 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા વિજયનગરના આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી છે. તેને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલાયો છે.ત્યારે આરોપી રાજસ્થાનથી વિદેશી દારૂ લાવી જિલ્લામાં વેચાણ કરતો હતો તેમજ દેશી દારૂનો ધંધો પણ કરતો હતો. તેની સામે વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુના નોંધાયેલા હતા. વારંવાર ગુનાઓ છતાં પ્રવૃત્તિ બંધ ન કરતાં LCBએ પાસા હેઠળ દરખાસ્ત કરી, જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ખબર વડાલી
તાલુકાના શખ્સની દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અટકાયત કરાઈ ગઈકાલે સાંજે 7 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા વિજયનગરના આંતરી ગામના રાહુલકુમાર મનજીભાઈ ભગોરા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી છે. તેને અમરેલી મધ્યસ્થ જેલમાં મોકલાયો છે.ત્યારે આરોપી રાજસ્થાનથી વિદેશી દારૂ લાવી જિલ્લામાં વેચાણ કરતો હતો તેમજ દેશી દારૂનો ધંધો પણ કરતો હતો. તેની સામે વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુના નોંધાયેલા હતા. વારંવાર ગુનાઓ છતાં પ્રવૃત્તિ બંધ ન કરતાં LCBએ પાસા હેઠળ દરખાસ્ત કરી, જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
More news from ગુજરાત and nearby areas
- ગઈકાલે સાંજે 5 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામની સીમમાં રાત્રિના સમયે પૂરઝડપે દોડતું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ ડુંગરપુર (રાજસ્થાન)ના વતની બાપુભાઈ અહારી અને તેમનો સાથી હરીશભાઈ ડેડુણ ટ્રેક્ટરમાં સવાર હતા, ત્યારે ચાલક પ્રવીણે અંધારામાં વાહન પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તા બાજુની કોતરમાં ખાબક્યું હતું.આ અકસ્મતમાં બાપુભાઈ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરીશભાઈને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પ્રવીણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો1
- રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- માનવસેવા એ જ પ્રભુ સેવાને વરેલ અને અમેરિકામાં રહેતા પટેલ પરિવારના દાતાશ્રીઓકે જેમનો જીવન મંત્ર શુભશ્ય પુણ્યમ જે શુભ છે તે પુણ્ય છે ની ભાવના સાથે પટેલ પરિવાર ના કલ્પેશભાઈ પટેલ ચેતનાબેન પટેલ પિયુષભાઈ પટેલ યુએસએ દ્વારા લાંબડીયા પારસ વિદ્યાલયના બાળકોની સાથે આંગણવાડી આદર્શ પ્રા શાળા અને દેમતી સેવા નિકેતન શાળાના બાળકોને ભોજન આપી સત્ત કર્મનો ભાથુ બાંધવામાં આવેલ1
- Post by Eagle.479991
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- ગઈકાલે સાંજે છ વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર ગ્રામ્ય પોલીસે રાજપુર પાટિયા પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 1,10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બાઈક સવાર શંકાસ્પદોને પીછો કરીને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 60,340 નો દારૂ અને 50,000 ની પલ્સર બાઈક કબજે લેવાઈ હતી.પકડાયેલા આરોપીઓ લલિતકુમાર અને દિલીપકુમાર ડામોર છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર પંકજકુમાર ડામોર ફરાર છે. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.1