Shuru
Apke Nagar Ki App…
ગિર સોમનાથ : સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજવાનો છે. ગિર સોમનાથ : સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજવાનો છે. સાંજે ૭:૦૦ કલાકે વિશેષ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અનુસરી દેશભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પના ભાગરૂપે આયોજિત છે. આ કાર્યક્રમ વડાપ્રધાનની ૨૫ વર્ષની જનસેવાને ઉજવણીરૂપે રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બરે શરૂ થનારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત છે. નાગરિકો દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં દીપ પ્રાગટ્ય કરવાથી આધ્યાત્મિક અને દિવ્ય વાતાવરણ સર્જાશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ ભાવસભર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.
Aima Media
ગિર સોમનાથ : સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજવાનો છે. ગિર સોમનાથ : સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજવાનો છે. સાંજે ૭:૦૦ કલાકે વિશેષ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને અનુસરી દેશભરમાં ચાલી રહેલા સેવા સંકલ્પના ભાગરૂપે આયોજિત છે. આ કાર્યક્રમ વડાપ્રધાનની ૨૫ વર્ષની જનસેવાને ઉજવણીરૂપે રાજ્યભરમાં ૧૭ સપ્ટેમ્બરે શરૂ થનારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત છે. નાગરિકો દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગના પરિસરમાં દીપ પ્રાગટ્ય કરવાથી આધ્યાત્મિક અને દિવ્ય વાતાવરણ સર્જાશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ ભાવસભર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.
More news from Junagadh and nearby areas
- માળીયા હાટીના-ભંડુરી હાઈવે પર ગમખ્વાર અકસ્માતકાર અને ટુ-વ્હીલર વચ્ચે ધડાકાભેર ટક્કર : 71 વર્ષીય વૃદ્ધનું મોત, જુથળ ગામમાં અરેરાટી માળીયા હાટીના તાલુકાના ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ભંડુરી હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટના સ્થળેથી 108 એમ્બ્યુલન્સ મારફતે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ જુથળ ગામના રહેવાસી અમૃતભાઈ ગોરધનભાઈ વાછાણી (ઉંમર 71 વર્ષ) તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાના સમાચાર જુથળ ગામે પહોંચતા પરિવારમાં તથા ગ્રામજનોમાં શોકની લાગણી સાથે અરેરાટી પ્રસરી હતી. અકસ્મતમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે કયા સંજોગોમાં ટક્કર થઈ તે અંગેની વધુ વિગતો અને અકસ્માત અંગેની કાર્યવાહી પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ4
- સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો સુખપુર ના નદી ધોધમ નો હોકડો ના વિસ્તરમાં સિંહણ અને બે બચા સહિત સિંહ દિખાયો વંથલી ના સુખપુર ગામમાં ઓઝત નદી અને ઘોઘમ નામ ના હોકડા ના સંગમ વિસ્તાર પાસે થી 2સિંહ બાળ નું રેસ્ક્યુ કરેલ ફોરેસ્ટ ખાતા એ સિંહ બાળા ના રેશકિયું કરતા સિંહણ બાળા ને શોધવાની કોશિશ માં અલગઅલગ જગાઓ માં આંટાફેરા કરતા સુખપુર ના લોકો સામે હુમલા કરવા લાગી ફોરેસ્ટ ખાતા દ્વારા સિંહ બાળા રેશકિયું કરીયા પસી સિંહણ અને સિંહ માનવવો ઉપર ડોભો લગાડવા લાગી હતી સુખપુર ના મનોજ ભાઈ ગંભીર દ્વારા મીડિયા સમક્ષ જંવ્યુ હતું બચ પાછા મૂકી આપો કાતો સિંહણ ને પકડી લોવ એમ જંવ્યુ વિડીયો મારફત સુખપુર ગામના લોકોએ જણાવીયા મુજબ એક સિંહ અને સિંહર ને બે બચ્ચા સુખપુર માં દેખાયાં હતા ફોરેસ્ટ ખાતાને ખબર પડતાં ફોરેટ ખાતાની ટીમે સિંહણ ના બે બચાને રેશકિયું કરી ને લાયજાતા સિંહર રે હાહાકાર માચાવીયો હતો થોડાક દિવસ પેલા એક સિંહ પાંજરે પુરાયો હતો અને એક સિંહણ નું રેશકિયું કરીયું હતું સિંહણ ને એનીમલ કરે અમરપુર લાય ગયા હતા બે દિવસ થી સુખપુર ગામમાં સિંહ અને સિંહણ અને બે બાળા દેખાતા સુખપુર ગામના લોકોમાં ડર નો માહોલ સામે આવીયો હતો વધુ વિગતે ફોરેટર ખાતાની ટિમ દ્વારા સિંહરના બે બચનું રેશકિયું કારીયા પસી સિંહર રાત ના હુકડા કરતી હતી અને બચાને ગોતવા માટે ભાગ દોર કરતી હતી ગામના લોકોને વાડીએ જતા આવતા ડર નો સામે દેખાયો હતો1
- બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.1
- જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.1
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર... વડોદરાના માંજલપુર ગણપતિ બાપાના દર્શને ભક્તોનો મહાસાગર... ત્રણ દિવસમાં અંદાજે ૧ થી ૧.૫ લાખ ભક્તોએ કર્યા દર્શન; ભવ્ય ડેકોરેશન અને સુવ્યવસ્થિત આયોજન બન્યું આકર્ષણનું કેન્દ્ર...1
- માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1