logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ નજીક NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી 9.020 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સાબુદીન શૈલુખાન તૈલી (ઉંમર 38)ની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹4.51 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, બસ, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ ₹1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ અગાઉ પણ બે વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઇ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત ગ્રામ્ય SOG PI એલ.ડી. ઓડેદરા દ્વારા જણાવ્યા મુજબ, #IStandStrongAgainstDrus અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એસઓજીની આ એક મહત્વપૂર્ણ સફળતા છે.

1 hr ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
1 hr ago

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ નજીક NH-48 પર વાહન ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી 9.020 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સાબુદીન શૈલુખાન તૈલી (ઉંમર 38)ની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹4.51 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, બસ, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ ₹1.05 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ અગાઉ પણ બે વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઇ સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. સુરત ગ્રામ્ય SOG PI એલ.ડી. ઓડેદરા દ્વારા જણાવ્યા મુજબ, #IStandStrongAgainstDrus અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એસઓજીની આ એક મહત્વપૂર્ણ સફળતા છે.

More news from ગુજરાત and nearby areas
  • વિશ્વ ટોબેકો નિષેધ દિવસ, જે ૩૧ મેના રોજ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાય છે, તેની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટખા વગેરેની ‘હોળી’ પ્રગટાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વ્યસનમુક્તિનો સંદેશ આપવાનો હતો. આ ‘ગુટખાની હોળી’ પ્રગટાવવામાં સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી બી. ડી. કામલીયા સાહેબ, કોન્સ્ટેબલ શ્રી જગદીશ સોલંકી, અલ્પેશ ભાટિયા સહિત ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી, પુરુષોતમ સ્વામી, શ્રી આત્મીયદાસજી સ્વામી, શ્રી ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા જેવા મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે લોકો શત્રુઓને ડામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રોગને જાણતા હોવા છતાં તેને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમાકુના ભયાનક આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારતમાં દરરોજ ૩૭૦૦ લોકો એટલે કે દર મિનિટે ૩ લોકો તમાકુના કેન્સરને કારણે જીવ ગુમાવે છે. તમાકુના સેવનથી મોં, જીભ અને ફેફસાના કેન્સર થાય છે. શ્રી સ્વામીએ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, સરકાર કરોડો રૂપિયાનું બજેટ કેન્સરની પાછળ ફાળવે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, કેન્સરના મૂળ સ્ત્રોત સમાન તમાકુ ઉત્પાદનોને બંધ કેમ નથી કરાવતી? તેમણે એ પણ ઉમેર્યું કે એકલા સુરતમાં જ તમાકુ એટલે કે પાન, બીડી, માવા-મસાલા, ગુટખાથી થતા કેન્સરને કારણે ૮૦૦૦થી વધુ મૃત્યુ થાય છે. આ સંદેશ સાથે તેમણે લોકોને વ્યસન છોડીને ખરી ખુમારીથી જીવવા, સંતાનના સંસ્કાર, પૈસા અને પરિવારને બરબાદ કરતા વ્યસનોથી મુક્ત થવાનો સંકલ્પ લેવા અને આવા સ્થાન તથા મિત્રોથી દૂર રહેવા અપીલ કરી હતી.
    4
    વિશ્વ ટોબેકો નિષેધ દિવસ, જે ૩૧ મેના રોજ વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાય છે, તેની પૂર્વ સંધ્યાએ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરુકુળ દ્વારા બીડી, સિગારેટ, ગુટખા વગેરેની ‘હોળી’ પ્રગટાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વ્યસનમુક્તિનો સંદેશ આપવાનો હતો.

આ ‘ગુટખાની હોળી’ પ્રગટાવવામાં સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી બી. ડી. કામલીયા સાહેબ, કોન્સ્ટેબલ શ્રી જગદીશ સોલંકી, અલ્પેશ ભાટિયા સહિત ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી, પુરુષોતમ સ્વામી, શ્રી આત્મીયદાસજી સ્વામી, શ્રી ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા જેવા મહાનુભાવો જોડાયા હતા.

આ પ્રસંગે ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજે લોકો શત્રુઓને ડામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રોગને જાણતા હોવા છતાં તેને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તમાકુના ભયાનક આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારતમાં દરરોજ ૩૭૦૦ લોકો એટલે કે દર મિનિટે ૩ લોકો તમાકુના કેન્સરને કારણે જીવ ગુમાવે છે. તમાકુના સેવનથી મોં, જીભ અને ફેફસાના કેન્સર થાય છે. શ્રી સ્વામીએ સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, સરકાર કરોડો રૂપિયાનું બજેટ કેન્સરની પાછળ ફાળવે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, કેન્સરના મૂળ સ્ત્રોત સમાન તમાકુ ઉત્પાદનોને બંધ કેમ નથી કરાવતી? તેમણે એ પણ ઉમેર્યું કે એકલા સુરતમાં જ તમાકુ એટલે કે પાન, બીડી, માવા-મસાલા, ગુટખાથી થતા કેન્સરને કારણે ૮૦૦૦થી વધુ મૃત્યુ થાય છે.

આ સંદેશ સાથે તેમણે લોકોને વ્યસન છોડીને ખરી ખુમારીથી જીવવા, સંતાનના સંસ્કાર, પૈસા અને પરિવારને બરબાદ કરતા વ્યસનોથી મુક્ત થવાનો સંકલ્પ લેવા અને આવા સ્થાન તથા મિત્રોથી દૂર રહેવા અપીલ કરી હતી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    58 min ago
  • ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
    1
    ગરમી અને ભેજથી કંટાળેલા સુરતવાસીઓને વહેલી સવારે મેઘરાજાએ મોટી રાહત આપી છે. શહેરના લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે અચાનક આવેલા વરસાદી ઝાપટાંથી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હળવાથી મધ્યમ વરસાદે શહેરના ઘણા વિસ્તારોને ભીંજવી દીધા છે, જેને કારણે લોકોને આકરા તાપ અને ગરમીથી ચોમાસા પૂર્વેની રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
    1
    સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે. એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.” હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.
    1
    સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાર્થ પબ્લિક સ્કૂલથી માત્ર ૨૦ ડગલાં દૂર અને સચિન GIDC પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર નિર્ભયપણે ધમધમી રહ્યો છે. અહીં ખાખીનો ડર હોવા છતાં ક્રિમિનલો બેફામ ફરે છે, જ્યારે પોલીસ પોતે ‘મૂકપ્રેક્ષક’ બનીને આ તમાશો જોઈ રહી હોવાનો અને કાયદો દારૂ તસ્કરોના પગ તળે કચડાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારમાં એવી ચર્ચા છે કે સામાન્ય જનતા ભલે પરેશાન હોય, પરંતુ પોલીસ ચોકીના કથિત એડમિનિસ્ટ્રેટર ઘનશ્યામભાઈ માટે અહીં ‘બધું સલામત’ જેવું વાતાવરણ છે.

એક્સાઈઝ એક્ટ મુજબ શાળાના ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ નશીલા પદાર્થોનું વેચાણ ન થવું જોઈએ, ત્યારે આ જગ્યાએ માત્ર ૨૦ મીટર દૂર ‘મૃત્યુનો કૂવો’ કોણે ખોદવા દીધો તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સચિન GIDCની ગલીઓ અને ખૂણેખૂણે અત્યારે ફક્ત ‘નરેશભાઈ’ નામની જ ચર્ચા છે. લોકોમાં એવી વાત ચાલી રહી છે કે, જો આ વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ધંધો કે દારૂની દુકાન શરૂ કરવી હોય, તો પોલીસ સ્ટેશન પર નહીં, પરંતુ 'નરેશભાઈના ઓફિસ'માં લાઈન લગાવવી પડે છે. દુકાન ચલાવનાર ભલે મુકેશભાઈ હોય, પરંતુ કથિત રીતે તેમને આશ્રય આપનાર નરેશભાઈ જ હોવાનું કહેવાય છે. સચિન પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત વહીવટ અને પરવાનગીની બધી ફાઈલો નરેશભાઈના ટેબલ પરથી પસાર થાય છે કે કેમ, અને આ 'નરેશબ્રાન્ડ' સેટિંગ પાછળ કયા મોટા લોકો છે તેવા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

દરરોજ સેંકડો માસૂમ બાળકો આ રસ્તેથી પસાર થાય છે, અને યુવાન છોકરાઓ દારૂ તથા ગાંજાના કારણે બરબાદ થઈ રહ્યા છે, જેનાથી ભાવિ પેઢીના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આસપાસના લોકો, મહિલાઓ અને વાલીઓનો ગુસ્સો હવે હદ વટાવી ગયો છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે, “જો આ સ્ટોલ તરત જ હટાવવામાં નહીં આવે, તો અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. અમારી આવનારી પેઢીને બરબાદ થતી જોવાને બદલે, અમે રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરીશું.”

હવે ન્યૂઝ ચેનલોના કેમેરા અને અખબારોની શાહી સચિન GIDC પોલીસ સ્ટેશન અને મોટા અધિકારીઓ પર કેન્દ્રિત છે. સુરતના બહાદુર પોલીસ કમિશનર આ 'નરેશ-મુકેશ-ઘનશ્યામ' ત્રિપુટીની કથિત મિલીભગતનો પર્દાફાશ કરે છે કે પછી શિક્ષણના મંદિર પર દારૂના કાળા ડાઘ લાગેલા રહેશે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સચિન GIDC પોલીસની શાખ ધૂળમાં મળી રહી છે.
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ નોમ્સ અનુસાર ₹૩.૬૦ કરોડના ખર્ચે એક અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ નવા સેન્ટરમાં 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા પણ શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સુવિધા પીજીના વિદ્યાર્થીઓ માટે સંશોધન હેતુસર અત્યંત ઉપયોગી સાબિત થશે.
    4
    સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ નોમ્સ અનુસાર ₹૩.૬૦ કરોડના ખર્ચે એક અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ નવા સેન્ટરમાં 'પોસ્ટમોર્ટમ એક્સ-રે'ની વિશેષ સુવિધા પણ શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સુવિધા પીજીના વિદ્યાર્થીઓ માટે સંશોધન હેતુસર અત્યંત ઉપયોગી સાબિત થશે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં વૃદ્ધ મહિલાના કાન કાપીને ઘરેણાં લૂંટનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની ધરપકડ સાયલા અને માળિયા-મિયાણામાંથી કરવામાં આવી છે. આ ઘટના 26/05/2026ના રોજ વેલંજામાં બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલાને ધમકી આપીને કાનની બૂટી લૂંટી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રિતિક સંજયભાઈ કાવિથિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ કામધંધા માટે રિક્ષા લઈને એક મહિલા સાથે સુરત આવ્યા હતા. સુરતમાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ ખુલ્લામાં રહી રહ્યા હતા. વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતાં જ આરોપીઓએ તેમની બૂટી છીનવી લીધી હતી, જેના કારણે ફરિયાદકર્તાને ઈજાઓ પણ થઈ હતી. પકડાયેલા આરોપી રિતિકભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેમની વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ કેસ નોંધાયેલા છે. આ ધરપકડ દ્વારા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડીસીપી, ડીસીબી ભાવેશ રોઝિયાએ આ અંગે માહિતી આપી હતી.
    1
    સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં વૃદ્ધ મહિલાના કાન કાપીને ઘરેણાં લૂંટનારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની ધરપકડ સાયલા અને માળિયા-મિયાણામાંથી કરવામાં આવી છે. આ ઘટના 26/05/2026ના રોજ વેલંજામાં બની હતી, જ્યાં એક વૃદ્ધ મહિલાને ધમકી આપીને કાનની બૂટી લૂંટી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં રિતિક સંજયભાઈ કાવિથિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી છે.

આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેમની પાસે પૈસા ન હોવાથી તેઓ કામધંધા માટે રિક્ષા લઈને એક મહિલા સાથે સુરત આવ્યા હતા. સુરતમાં રહેવા માટે રૂમ ન મળતા તેઓ ખુલ્લામાં રહી રહ્યા હતા. વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતાં જ આરોપીઓએ તેમની બૂટી છીનવી લીધી હતી, જેના કારણે ફરિયાદકર્તાને ઈજાઓ પણ થઈ હતી.

પકડાયેલા આરોપી રિતિકભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેમની વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ કેસ નોંધાયેલા છે. આ ધરપકડ દ્વારા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડીસીપી, ડીસીબી ભાવેશ રોઝિયાએ આ અંગે માહિતી આપી હતી.
    user_SKT NEWS
    SKT NEWS
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.