Shuru
Apke Nagar Ki App…
कबीर, कौन ब्रह्मा का पिता है कौन विष्णु की मां, शंकर का दादा कौन है।, भाई हमको दियो बताय।। आध्यात्मिक ज्ञान जो अपने शास्त्रों में प्रमाण है तो आप पढ़े
DARBAR AJAY DAAS
कबीर, कौन ब्रह्मा का पिता है कौन विष्णु की मां, शंकर का दादा कौन है।, भाई हमको दियो बताय।। आध्यात्मिक ज्ञान जो अपने शास्त्रों में प्रमाण है तो आप पढ़े
More news from ગુજરાત and nearby areas
- कबीर, कौन ब्रह्मा का पिता है कौन विष्णु की मां, शंकर का दादा कौन है।, भाई हमको दियो बताय।। आध्यात्मिक ज्ञान जो अपने शास्त्रों में प्रमाण है तो आप पढ़े1
- રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી જન્મદિવસ ઉજવણી, 55 ગરીબ દીકરીઓને સાઇકલ ભેટ આપી1
- મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા IVF સેન્ટરમાં મહિલાના મોતથી ચકચાર.. મહેસાણામાં રાધનપુર રોડ પરના વાણી IVF માં સારવાર દરમિયાન મહિલાના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો.. મળતી માહિતી મુજબ, કડી તાલુકાના મેડાઆદરજ ગામના ૩૨ વર્ષીય રમીલાબેન દીપકભાઈ ચાવડા પાંચેક દિવસ અગાઉ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા વાણી IVF સેન્ટરમાં IVF પ્રક્રિયા દરમિયાન કોમામાં સરી પડ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ત્યારબાદ રમીલાબેનની સ્થિતિ ગંભીર બની હતી અને ગઈકાલે રમીલાબેનનું મોત નીપજ્યું હતું.. મહિલાના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો... પરિવારજનો દ્વારા IVF પ્રક્રિયા દરમિયાન તબીબી બેદરકારી થઈ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે જ પરિવાર દ્વારા ડોક્ટર કામિની પટેલ સામે પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે વાણી IVF સેન્ટર ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ IVF સેન્ટર સામે જ મરસિયા લઈને આક્રોશ દર્શાવ્યો હતો.. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટના બાદ ડોકટર કામિની પટેલ ગાયબ થઈ ગયા હતા. કલાકો બાદ ડોકટર કામિની પટેલનો સંપર્ક કરવામાં આવતાં કામિની પટેલના કહેવા મુજબ IVF ને લગતી પોતે જે કરવાની હતી એ ટ્રીટમેન્ટ શરૂ થઈ જ નોહતી પરંતુ એનેસ્થેસિયા અપાયા બાદ રમીલાબેન ની સ્થિતિ વણસી હતી. ત્યારબાદ રમીલાબેન કોમામાં ચાલ્યા ગયેલા.. ત્યારબાદ તેઓનું મોત નીપજ્યું હતું. ડોકટર કામિની પટેલે આડકતરી રીતે રમીલાબેનના મોત માટે એનેસ્થેસિયા આપવા બોલાવેલા ત્રણ ડોકટરો ડોકટર સુનિલ દરજી, ડોકટર દશરથભાઈ અને ડોકટર પૂર્વેશભાઈને જવાબદાર ઠેરવ્યા હતા. મોતના આશરે ત્રીસેક કલાક સુધી મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મૃતદેહ સ્વીકારેલ નોહતો.. ત્યારબાદ ડોક્ટરો અને પરિવારજનો વચ્ચે યેનકેન પ્રકારે સમાધાન થઈ જતા પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. સમગ્ર ઘટનામાં સૌથી મોટા સવાલ એ ઉભા થયેલા કે... IVF પ્રક્રિયા દરમિયાન એવું શું બન્યું કે મહિલા કોમામાં સરી પડી..? શુ એનેસ્થેસિયા માટે બોલાવેલા ત્રણ ડોક્ટરોની બેદરકારીથી મૃતક મહિલા કોમા માં સરી પડી હતી..? વાણી IVF ના માલિક ડૉકટર કામિની પટેલ આ ઘટના માટે કેટલા જવાબદાર.. ? આ તમામ સવાલોના જવાબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.1
- વડનગર થી વારાણસી સેવા સંકલ્પ બાઇક યાત્રા નું દિયોદરમાં ભવ્ય સ્વાગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અને તેમના જન્મદિવસ નિમિતે વડનગર થી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનો વડનગર થી વિશેષ સેવા સંકલ્પ બાઇક યાત્રા આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રેસ્ટ હાઉસ ખાતે પહોંચી હતી. જ્યાં દિયોદર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર આરામ ગૃહ ખાતે પહોંચેલ સેવા સંકલ્પ બાઇક યાત્રા નું ઢોલ નગારા સાથે દિયોદર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેની સાથે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ થરાદ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ આચાર્ય સહિત અધિકારીઓ લોકો દ્વારા સ્વછતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. દિયોદર ખાતે સંકલ્પ યાત્રા નું અને બાઇક રેલી નું ભવ્ય સ્વાગત બાદ યાત્રા થરાદ તરફ પ્રયાણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાઈ હતી2
- કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.1
- પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણ - પાટણમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી, ૬૬ આંગણવાડી બહેનોએ બનાવી પૌષ્ટિક વાનગીઓ પાટણમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈસીડીએસના ઉપક્રમે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટ એટલે કે ‘શ્રી અન્ન’માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. પોષણ ઉત્સવમાં જિલ્લાના ૬૬ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કઠોળ, મિલેટ અને ટેક હોમ રાશન જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી સ્વાદિષ્ટ અને પોષણસભર વાનગીઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વાનગીઓના પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરી વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે બાળકના માનસિક અને શારીરિક વિકાસનો પાયો આંગણવાડીથી જ નંખાય છે. તેમણે કુપોષણના લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર સારવાર પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પોષણ આરતી, બાળગીત અને પોષણ શપથ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રિપોર્ટર:અનિલ રામાનુજ, પાટણ4
- લગ્નના 10 વર્ષ બાદ IVF માટે આવેલી મહિલાનું મહેસાણામાં મોત, ગત 10 તારીખે વાણી હોસ્પિટલમાં થઈ હતી દાખલ - પરિવારમાં શોક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં મહેસાણાની વાણી હોસ્પિટલમાં IVF કરાવવા આવેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતક મહિલા મૂળ કડી તાલુકાના મેડા આદ10 વર્ષ બાદ IVF કરાવવા આવેલી મહિલાનું મોત1
- મેમદાવાદ ગામે 1100 દીવડાઓથી રામજી મંદિર ઝળહળી ઉઠ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રામજી મંદિર ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1