ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫થી નાના ખેડૂતને યોગ્ય આવક મળી રહે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના અન્વયે “રક્ષિત ખેતી” યોજના અમલીકરણમાં મૂકી હતી. રક્ષિત ખેતી (Protected Cultivation) એટલે અનુકૂળ વાતાવરણમાં પાક ઉછેરવાની પદ્ધતિ, જે જીવાત, રોગ અને અતિશય હવામાનથી પાકને બચાવે છે. જેનાથી ઓછા પાણી અને જમીનમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે છે. રક્ષિત ખેતીમાં શેડ-નેટ હાઉસ બનાવવામાં આવે છે. જેમાં વિવિધ હવામાન પરિસ્થિતિ મુજબ તંદુરસ્ત કલમો, છોડ, ધરૂ ઉછેરવામાં અને છોડનું હાર્ડનિંગ કરવામાં આવે છે. તેમાં ગુલાબ, જર્બેરા, કેપ્સિકમ, મરચી, ભીંડા, બ્રોકોલી, તુરીયાં, દૂધી અને કાકડી સહિતના પાકોની ખેતી કરવામાં આવે છે. વધુમાં લાભાર્થીશ્રીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈશ્રી કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫થી નાના ખેડૂતને યોગ્ય આવક મળી રહે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના અન્વયે “રક્ષિત ખેતી” યોજના અમલીકરણમાં મૂકી હતી. રક્ષિત ખેતી (Protected Cultivation) એટલે અનુકૂળ વાતાવરણમાં પાક ઉછેરવાની પદ્ધતિ, જે જીવાત, રોગ અને અતિશય હવામાનથી પાકને બચાવે છે. જેનાથી ઓછા પાણી અને જમીનમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવામાં આવે છે. રક્ષિત ખેતીમાં શેડ-નેટ હાઉસ બનાવવામાં આવે છે. જેમાં વિવિધ હવામાન પરિસ્થિતિ મુજબ તંદુરસ્ત કલમો, છોડ, ધરૂ ઉછેરવામાં અને છોડનું હાર્ડનિંગ કરવામાં આવે છે. તેમાં ગુલાબ, જર્બેરા, કેપ્સિકમ, મરચી, ભીંડા, બ્રોકોલી, તુરીયાં, દૂધી અને કાકડી સહિતના પાકોની ખેતી કરવામાં આવે છે. વધુમાં લાભાર્થીશ્રીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈશ્રી કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Maheshbhai uteriya1
- अमेरिकिराष्ट्रपती ताजाखबर।1
- पर्यटन विभाग द्वारा 3 दिवसीय मेवाड़ महोत्सव का आयोजन 21 मार्च से1
- Gujarati1
- પાંડેસરા તથા ભેસ્તાન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસ.ઓ.જી.1
- oઆ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ શ્રી એમ. જે. પરાશર સાહેબ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમયના સચિવ શ્રી એચ. જે. બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રી તેમજ બાર કાઉન્સિલ બોટાદના પ્રમુખશ્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ બાર એસોસિએશન તથા જિલ્લા અદાલતના સ્ટાફના સહયોગથી આ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.1
- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Maheshbhai uteriya1