logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, શરૂઆતમાં આત્મહત્યા જણાતો બનાવ ખરેખરમાં એક ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચારિત્ર્યની શંકા રાખીને એક હોમગાર્ડ પતિએ જ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને પછી તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો, જે ધોરાજી પોલીસે (ભાયાવદર) નિષ્ફળ બનાવ્યો છે. મૃતક ઇલાબેન (ઉર્ફે ઇશાબેન) બગડાનો મૃતદેહ ગામની સીમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવતા ચકચાર મચી હતી. ઇલાબેનના લગ્નને આશરે 14 વર્ષ થયા હતા અને તેમને એક દીકરો તથા એક દીકરી છે. તેમના પતિ હિતેન્દ્રભાઈ બગડા દિવસ દરમિયાન સેન્ટિંગનું કામ કરતા હતા અને રાત્રે ભાયાવદર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. લગ્નના 14 વર્ષ દરમિયાન પતિ હિતેન્દ્રભાઈ સતત પોતાની પત્ની પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હતા તથા તેના ચારિત્ર્ય પર કુશંકા રાખતા હતા. આ જ શંકાના આધારે આરોપી હિતેન્દ્રએ પત્નીને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તે ઇલાબેનને વાડી વિસ્તારમાં કામના બહાને લઈ ગયો અને ત્યાં મોકો મળતા જ તેમનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આ સમગ્ર બનાવ આત્મહત્યા જેવો લાગે તે માટે આરોપી પતિએ પોતાના ભાઈનો સહારો લીધો અને લાશને એવી રીતે ગોઠવી જેથી કોઈને શંકા ન જાય. જોકે, મૃતકના માવતરે દીકરીની હત્યા થઈ હોવાના સ્પષ્ટ આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો. સત્ય બહાર લાવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસ તંત્રએ આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, જેમાં અંતે પતિનો જ ભાંડો ફૂટી ગયો હતો. ફોરેન્સિક રિપોર્ટ અને કડક પૂછપરછ સામે હત્યારો પતિ ટકી શક્યો નહીં. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે આ ખુલાસો કર્યો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ હિતેન્દ્ર બગડાની ધરપકડ કરી લીધી છે. એક શંકાના કારણે આજે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

13 hrs ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
13 hrs ago

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, શરૂઆતમાં આત્મહત્યા જણાતો બનાવ ખરેખરમાં એક ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચારિત્ર્યની શંકા રાખીને એક હોમગાર્ડ પતિએ જ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને પછી તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો, જે ધોરાજી પોલીસે (ભાયાવદર) નિષ્ફળ બનાવ્યો છે. મૃતક ઇલાબેન (ઉર્ફે ઇશાબેન) બગડાનો મૃતદેહ ગામની સીમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવતા ચકચાર મચી હતી. ઇલાબેનના લગ્નને આશરે 14 વર્ષ થયા હતા અને તેમને એક દીકરો તથા એક દીકરી છે. તેમના પતિ હિતેન્દ્રભાઈ બગડા દિવસ દરમિયાન સેન્ટિંગનું કામ કરતા હતા અને રાત્રે ભાયાવદર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. લગ્નના 14 વર્ષ દરમિયાન પતિ હિતેન્દ્રભાઈ સતત પોતાની પત્ની પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હતા તથા તેના ચારિત્ર્ય પર કુશંકા રાખતા હતા. આ જ શંકાના આધારે આરોપી હિતેન્દ્રએ પત્નીને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તે ઇલાબેનને વાડી વિસ્તારમાં કામના બહાને લઈ ગયો અને ત્યાં મોકો મળતા જ તેમનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આ સમગ્ર બનાવ આત્મહત્યા જેવો લાગે તે માટે આરોપી પતિએ પોતાના ભાઈનો સહારો લીધો અને લાશને એવી રીતે ગોઠવી જેથી કોઈને શંકા ન જાય. જોકે, મૃતકના માવતરે દીકરીની હત્યા થઈ હોવાના સ્પષ્ટ આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો. સત્ય બહાર લાવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસ તંત્રએ આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી, જેમાં અંતે પતિનો જ ભાંડો ફૂટી ગયો હતો. ફોરેન્સિક રિપોર્ટ અને કડક પૂછપરછ સામે હત્યારો પતિ ટકી શક્યો નહીં. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે આ ખુલાસો કર્યો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ હિતેન્દ્ર બગડાની ધરપકડ કરી લીધી છે. એક શંકાના કારણે આજે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

More news from ગુજરાત and nearby areas
  • રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને રવિભાઈ મકવાણા નામના એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકની માતા નિર્મળાબેન મકવાણાએ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો — દેવાંગ ભાવેશભાઈ વિરડા, જસ્મીન અરવિંદભાઈ ચાવડા, મિહીર જીતેશભાઇ ચોવટીયા અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ — સામે નામજોગ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, રવિભાઈને ખેતીકામમાં સુધારણા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સીદસર ગૌશાળા ખાતે દેવાંગ ભાવેશભાઈ વિરડા સાથે તેમનો સંપર્ક થયો હતો. રવિભાઈએ દેવાંગ પાસેથી પહેલા રૂ. ૨ લાખ અને પછી રૂ. ૪ લાખ, એમ કુલ રૂ. ૬ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા, જે વ્યાજ અને મૂળ રકમ સાથે ચૂકવી દેવાયા હતા. જોકે, છ મહિના પહેલા રવિભાઈએ ફરી દેવાંગ પાસેથી ૩ ટકા વ્યાજે રૂ. ૭ લાખ લીધા હતા, જેનું તેઓ દર મહિને રૂ. ૨૧,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. આ વ્યાજની રકમ ભરવા માટે રવિભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી પણ નાણાં લીધા હતા, જેમાં જસ્મીન અરવિંદભાઈ ચાવડા પાસેથી રૂ. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે, મિહીર જીતેશભાઇ ચોવટીયા પાસેથી રૂ. ૫૦ હજાર ૩ ટકા વ્યાજે, અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ પાસેથી રૂ. ૩ લાખ ૩ ટકા વ્યાજે મેળવ્યા હતા. રવિભાઈ આ તમામ લોકોને નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં, લોકડાઉન કે અન્ય આર્થિક ભીંસના કારણે જ્યારે વ્યાજ ચૂકવવામાં વિલંબ થતો ત્યારે આ વ્યાજખોરો અવારનવાર રૂબરૂ આવીને અને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આત્મહત્યા કરતા પહેલા રવિભાઈએ પોતાની માતાને જણાવ્યું હતું કે તેઓ વ્યાજના ડાકણમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને વ્યાજખોરો મૂળ રકમ કરતાં પણ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. માતાએ તેમને સાંત્વના આપી હતી કે બધું સારું થઈ જશે, પરંતુ વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલો માનસિક ત્રાસ સહન ન થતાં અંતે રવિભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. ભાયાવદર પોલીસે માતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ફરાર આરોપી મિહીર ચોવટીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી છે અને મૃતકની માતાએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
    1
    રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને રવિભાઈ મકવાણા નામના એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકની માતા નિર્મળાબેન મકવાણાએ ભાયાવદર પોલીસ મથકે ચાર વ્યાજખોરો — દેવાંગ ભાવેશભાઈ વિરડા, જસ્મીન અરવિંદભાઈ ચાવડા, મિહીર જીતેશભાઇ ચોવટીયા અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ — સામે નામજોગ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, રવિભાઈને ખેતીકામમાં સુધારણા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સીદસર ગૌશાળા ખાતે દેવાંગ ભાવેશભાઈ વિરડા સાથે તેમનો સંપર્ક થયો હતો. રવિભાઈએ દેવાંગ પાસેથી પહેલા રૂ. ૨ લાખ અને પછી રૂ. ૪ લાખ, એમ કુલ રૂ. ૬ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા, જે વ્યાજ અને મૂળ રકમ સાથે ચૂકવી દેવાયા હતા. જોકે, છ મહિના પહેલા રવિભાઈએ ફરી દેવાંગ પાસેથી ૩ ટકા વ્યાજે રૂ. ૭ લાખ લીધા હતા, જેનું તેઓ દર મહિને રૂ. ૨૧,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. આ વ્યાજની રકમ ભરવા માટે રવિભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી પણ નાણાં લીધા હતા, જેમાં જસ્મીન અરવિંદભાઈ ચાવડા પાસેથી રૂ. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે, મિહીર જીતેશભાઇ ચોવટીયા પાસેથી રૂ. ૫૦ હજાર ૩ ટકા વ્યાજે, અને ઇન્દ્રજીતસિંહ ખીમસીહ ચૌહાણ પાસેથી રૂ. ૩ લાખ ૩ ટકા વ્યાજે મેળવ્યા હતા. રવિભાઈ આ તમામ લોકોને નિયમિત વ્યાજ ચૂકવતા હોવા છતાં, લોકડાઉન કે અન્ય આર્થિક ભીંસના કારણે જ્યારે વ્યાજ ચૂકવવામાં વિલંબ થતો ત્યારે આ વ્યાજખોરો અવારનવાર રૂબરૂ આવીને અને ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આત્મહત્યા કરતા પહેલા રવિભાઈએ પોતાની માતાને જણાવ્યું હતું કે તેઓ વ્યાજના ડાકણમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે અને વ્યાજખોરો મૂળ રકમ કરતાં પણ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. માતાએ તેમને સાંત્વના આપી હતી કે બધું સારું થઈ જશે, પરંતુ વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલો માનસિક ત્રાસ સહન ન થતાં અંતે રવિભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું.

ભાયાવદર પોલીસે માતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી દેવાંગ વિરડા, જસ્મીન ચાવડા અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ફરાર આરોપી મિહીર ચોવટીયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજીના ASP સિમરન ભારદ્વાજે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી છે અને મૃતકની માતાએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • ૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી. રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.
    1
    ૨૮ જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ દિવસ નિમિત્તે વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ દિવસે તમામ પોલિયો બુથ પર રસીકરણ સ્ટાફ દ્વારા સુચારુ આયોજન સાથે ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લીધી હતી અને વાલીઓને પણ બાળકોને રસી અપાવવા અપીલ કરી હતી.

રસીકરણના બીજા દિવસે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામ તેમજ વાડી વિસ્તારોમાં ઘર-ઘર મુલાકાત લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ મુલાકાતનો હેતુ પ્રથમ દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવી સંપૂર્ણ આવરી લેવાનો છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો, આંગણવાડી બહેનો તેમજ ગ્રામજનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    13 hrs ago
  • જૂનાગઢના કેશોદમાં વેરાવળ રોડ પર પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકીની હાજરીથી સમગ્ર આયોજન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જો કાર્યક્રમમાં ફક્ત અધિકૃત અને અપેક્ષિત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો પછી આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એક તરફ 'માત્ર અપેક્ષિત કાર્યકરો'ની વાત કરવામાં આવે અને બીજી તરફ નાની બાળકી ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં હાજર જોવા મળે, ત્યારે નિવેદન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? અને શું પક્ષના આંતરિક નિયમો તથા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે કે પછી નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત રહી ગયા છે? આ સમગ્ર ઘટનાએ માત્ર કાર્યક્રમના આયોજન પર જ નહીં, પરંતુ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
    4
    જૂનાગઢના કેશોદમાં વેરાવળ રોડ પર પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત કાર્યકરોને જ હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે, કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરેલી એક નાની વયની બાળકીની હાજરીથી સમગ્ર આયોજન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જો કાર્યક્રમમાં ફક્ત અધિકૃત અને અપેક્ષિત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો પછી આ બાળકી કયા આધારે અને કોની મંજૂરીથી હાજર રહી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં સગીર વયના બાળકને સામેલ કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવતા ભાજપના સ્થાનિક નેતૃત્વની કામગીરી અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એક તરફ 'માત્ર અપેક્ષિત કાર્યકરો'ની વાત કરવામાં આવે અને બીજી તરફ નાની બાળકી ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં હાજર જોવા મળે, ત્યારે નિવેદન અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે, શું રાજકીય કાર્યક્રમોમાં બાળકોની હાજરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? અને શું પક્ષના આંતરિક નિયમો તથા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે કે પછી નિયમો માત્ર જાહેર નિવેદનો પૂરતા જ સીમિત રહી ગયા છે? આ સમગ્ર ઘટનાએ માત્ર કાર્યક્રમના આયોજન પર જ નહીં, પરંતુ જવાબદાર હોદ્દેદારોની ભૂમિકા અને રાજકીય કાર્યક્રમોમાં સગીર બાળકોની હાજરી અંગે પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ હવે સંબંધિત આગેવાનો અને આયોજકોએ આપવા જરૂરી બન્યા છે.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    5 hrs ago
  • જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી બંને સિસ્ટર્સને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    1
    જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી બંને સિસ્ટર્સને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
    user_Vijay Kumar Parmar
    Vijay Kumar Parmar
    Farmer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • રાજકોટ શહેરમાં ભૂતખાના ચોક નજીક આવેલી મોરીશ રેસ્ટોરન્ટમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
    1
    રાજકોટ શહેરમાં ભૂતખાના ચોક નજીક આવેલી મોરીશ રેસ્ટોરન્ટમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    8 hrs ago
  • અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.
    1
    અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મોહરમ પર્વ દરમિયાન કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બગસરાના નટવર નગરના દલિત સમાજના યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને આઇસક્રીમનું વિતરણ કરીને ભાઈચારા અને કોમી સદ્ભાવનો સંદેશો આપવામાં આવ્યો.
    user_Ashok manvar
    Ashok manvar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • આજે રાજકોટ-સોમનાથ હાઇવે પર વંથલી નજીક કાકરી ભરેલું એક ડમ્પર અચાનક પલટી ખાઈ જતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જેને બાદમાં પોલીસે સુચારૂ બનાવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, જુનાગઢ તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાકરી ભરેલું ડમ્પર રસ્તાની બાજુએ પલટી ખાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડમ્પરમાં ફસાયેલા ડ્રાઈવર તથા ક્લિનરને બહાર કાઢ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હોવાનું અને હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વંથલી પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    આજે રાજકોટ-સોમનાથ હાઇવે પર વંથલી નજીક કાકરી ભરેલું એક ડમ્પર અચાનક પલટી ખાઈ જતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જેને બાદમાં પોલીસે સુચારૂ બનાવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, જુનાગઢ તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાકરી ભરેલું ડમ્પર રસ્તાની બાજુએ પલટી ખાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ડમ્પરમાં ફસાયેલા ડ્રાઈવર તથા ક્લિનરને બહાર કાઢ્યા હતા.

બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હોવાનું અને હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વંથલી પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.