Shuru
Apke Nagar Ki App…
ગોધરા ભાજપ સરકારે બસ ભાડુ વધારે ગોધરા થી અમદાવાદ જવા માટે બસ ભાડુ વધારે ભાજપ સરકાર અમદાવાદ 😭 ટિકિટ ફોટો મૂક્યો જોઈ લેજો બસ ટિકિટ ફોટો
INDRAJ PARMAR
ગોધરા ભાજપ સરકારે બસ ભાડુ વધારે ગોધરા થી અમદાવાદ જવા માટે બસ ભાડુ વધારે ભાજપ સરકાર અમદાવાદ 😭 ટિકિટ ફોટો મૂક્યો જોઈ લેજો બસ ટિકિટ ફોટો
More news from ગુજરાત and nearby areas
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- સંજેલીના ચમારિઆ ગામે હોળી ફળિયા ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલીના ચમારિઆ ગામે ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સંજેલી તાલુકાના ચમારિઆ ગામના હોળી ફળિયા ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક માહોલ વચ્ચે ગણેશજીની પૂજા-અર્ચના કરી **“ગણપતિ બાપ્પા મોરિયા”**ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. 🙏 શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.2
- સંજેલીમાં HP ગેસ એજન્સી પર ગ્રાહકો પાસેથી રૂ.5 વધુ વસૂલાતનો આક્ષેપ ઓનલાઈન મેસેજમાં રૂ.965, એજન્સીના માણસો ગ્રાહકો પાસેથી રૂ.970 મોઢે માંગતા હોવાનો આક્ષેપ સંજેલી તાલુકામાં અનાજ માર્કેટની બાજુમાં આવેલી HP ગેસ એજન્સી ખાતે ગ્રાહકો પાસેથી ગેસ સિલિન્ડરની કિંમત કરતાં રૂ.5 વધુ વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ, ગેસ બુકિંગ બાદ મળતા ઓનલાઈન મેસેજમાં સિલિન્ડરની રકમ રૂ.965 દર્શાવવામાં આવે છે, પરંતુ એજન્સી ખાતે સિલિન્ડર લેવા પહોંચતા ગ્રાહકો પાસેથી એજન્સીના માણસો દ્વારા રૂ.970 મોઢે માંગવામાં આવે છે. ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઈન મેસેજમાં સ્પષ્ટપણે રૂ.965ની રકમ દર્શાવાતી હોવા છતાં વધારાના રૂ.5 શા માટે લેવામાં આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ વધારાની વસૂલાત અંગે અનેક સવાલો ઉભા થયા છે. જો સત્તાવાર બિલ અથવા ઓનલાઈન મેસેજમાં રૂ.965 જ ચૂકવવાની રકમ દર્શાવવામાં આવી હોય, તો વધારાના રૂ.5 વસૂલવા પાછળનું કારણ શું છે? શું આ રકમ માટે ગ્રાહકને યોગ્ય રસીદ આપવામાં આવે છે? જો વધારાની રકમ કોઈ અધિકૃત ચાર્જના ભાગરૂપે લેવામાં આવતી હોય તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ બિલ અથવા રસીદમાં કેમ કરવામાં આવતો નથી? તેવા સવાલો ગ્રાહકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ગ્રાહકોની માંગ છે કે સંબંધિત HP ગેસ કંપની તથા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને જો નિયમ વિરુદ્ધ વધારાની વસૂલાત થતી હોવાનું બહાર આવે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપતી વખતે કંપની દ્વારા દર્શાવેલી સત્તાવાર કિંમત મુજબ જ રકમ વસૂલવામાં આવે અને દરેક ગ્રાહકને યોગ્ય બિલ/રસીદ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. નોંધ: આ બાબતે એજન્સીનો પક્ષ અને સંબંધિત અધિકારીઓનો જવાબ મળ્યા બાદ સમાચારને વધુ સ્પષ્ટતા સાથે રજૂ કરી શકાય છે.1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા1
- રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષકોના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને ગૌરવ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ બાબુભાઈ પંચાલ અને મનોજભાઈ પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખ છોટુભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજના વાસ્તવિક નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સાચી દિશાનું માર્ગદર્શન પણ આપે છે. સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત શ્રેષ્ઠ શિક્ષકોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં સુરેશભાઈ વાલાભાઈ બામણિયા, યોગેશકુમાર લાલાભાઈ સોલંકી, જશવંતકુમાર મુલાભાઈ નલવાયા, ગિરીશકુમાર રાયસિંઘભાઈ પરમાર, પ્રેમલતાબેન માનસિંઘભાઈ સોલંકી, મુકેશકુમાર રમણસિંઘ ગોહિલ અને સાધના જિતેશકુમાર વાઘવારેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હંસમુખભાઈ અગ્રવાલ, સચિવ વીરેન્દ્રકુમાર ભટનાગર, કોષાધ્યક્ષ દીપેન્દ્રસિંઘ સિસોદિયા, સંયોજક ખાનચંદ ઉધવાણી, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોશી, ડૉ. અમરસિંઘ ચૌહાણ, દીપક મહેતા, રામ રોટી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ પંચાલ, મનોજભાઈ પરમાર સહિત ક્લબના સભ્યો, પરિવારજનો અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન શિક્ષકોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ દાહોદમાં દીપડો પાંજરે પૂરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ રળિયાતી-મુવાલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલા દીપડાને વનવિભાગ અને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો ઝડપાતા વિસ્તારમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. દીપડાના પગમાર્ક અને તેની અવરજવરના આધારે અર્બન હોસ્પિટલની પાછળ આવેલા એક ખેતરમાં વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. શિકારની લાલચે દીપડો પાંજરા સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરની વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો ઝડપાયા બાદ વનવિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ દીપડાને યોગ્ય પ્રક્રિયા મુજબ ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. દીપડો પાંજરે પૂરાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.1