Shuru
Apke Nagar Ki App…
ભોરોલ જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર જોગાજી રાજપૂત દ્વારા જનજભા નું આયોજન
Ashvinbhai
ભોરોલ જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર જોગાજી રાજપૂત દ્વારા જનજભા નું આયોજન
More news from ગુજરાત and nearby areas
- થરાદ વિસ્તારના મેસરા ગામે પીલુડા જિલ્લા પંચાયત ચૂંટણી ની સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આગામી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી એક જાહેર સભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે ખાસ કરીને મોંઘવારી અને સરહદી વિસ્તારની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી જનતાને જાગૃત થવા હાકલ કરી હતી ગુલાબસિંહ રાજપૂતે પાડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતમાં ગેસના બાટલાના ભાવની સરખામણી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સમયમાં જે ગેસનો બાટલો 500 રૂપિયામાં મળતો હતો તે જ બાટલો ગુજરાતમાં મોંઘા ભાવે મળી રહ્યો છે તેમણે મોંઘવારીના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો સરહદી સુરક્ષા અને નશાના કારોબાર પર ચિંતા સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બોલતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે અત્યારે બોર્ડર પર સુરક્ષાની જગ્યાએ દારૂ અને નશાનો કારોબાર વકરી રહ્યો હોય તેમ જણાય છે તેમણે આ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તમામ સમાજને સાથે મળી લડવા હાકલ વિડીયોમાં ગુલાબસિંહ રાજપૂતે વિવિધ સમાજ જેવા કે રબારી દરબાર બ્રાહ્મણ, રાજપૂત પટેલ ઠાકોર નાઈ અને વણકર સહિતના તમામ નાના-મોટા સમાજના લોકોને એક થઈને કોંગ્રેસ પક્ષને જીતાડવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ સશક્ત હશે તો જ લોકોના કામ થશે સભાના અંતે તેમણે તમામ કાર્યકરોનો આભાર માની આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સૌને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું3
- Post by MOHAN SUTHAR3
- Post by H P Banna1
- Post by Ashvinbhai2
- Post by Shailesh bhai j.darji1
- Post by Dashrath thakor1
- Post by RAJUJI ZALA1
- વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામમાં આજે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. ગામના તળાવમાં નર્મદા મૈયાના પવિત્ર જળનું આગમન થતાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વાજતે-ગાજતે જળના વધામણાં કરવામાં આવ્યા હતા નર્મદાના નીર તળાવમાં આવતા જ ગામના વડીલો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ અબીલ-ગુલાલ કંકુ અને ચોખાથી જળનું પૂજન કરી નર્મદા મૈયા કી જય ના નાદ સાથે વધામણાં કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર શંકરભાઈ ચૌધરીના સતત પ્રયત્નો અને મહેનતને કારણે જ આજે ગામના આંગણે નર્મદાના નીર પહોંચ્યા છે જે ખેતી અને પશુપાલન માટે આશીર્વાદરૂપ સાબિત થશે લાંબા સમયની પ્રતિક્ષા બાદ પાણી આવતા ખેડૂતોમાં ગૌરવ અને ખુશીની લાગણી જોવા મળી હતી વીડિયોમાં ગ્રામજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવતા અને આનંદ વ્યક્ત કરતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ યુવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નર્મદાના નીરને વધાવી લીધા હતા1