Shuru
Apke Nagar Ki App…
થરાદમાં દારૂના ધંધાને મોટો ફટકો! ટ્રકમાંથી 8,232 બોટલ દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ ઝડપાયો.... 🚨 થરાદ પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી! ભારતમાલા ચેકપોસ્ટ પર બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.... દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો....
H P Banna
થરાદમાં દારૂના ધંધાને મોટો ફટકો! ટ્રકમાંથી 8,232 બોટલ દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ ઝડપાયો.... 🚨 થરાદ પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી! ભારતમાલા ચેકપોસ્ટ પર બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.... દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો....
More news from ગુજરાત and nearby areas
- મોરીખા દલિત ની હત્યા કર્યા ને ને 84 દિવસ બાદ મૃતદેહને બહાર કાઢવા મા આવ્યો રિ. પોસ્ટમોર્ટમ માટે બોડી ને અમદાવાદ મુકવામાં આવી. પથુભાઈ રાઠોડ નુ ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- થરાદમાં દારૂના ધંધાને મોટો ફટકો! ટ્રકમાંથી 8,232 બોટલ દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ ઝડપાયો.... 🚨 થરાદ પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી! ભારતમાલા ચેકપોસ્ટ પર બંધ બોડી ટ્રકમાંથી 8,232 બોટલ વિદેશી દારૂ ઝડપાયો.... દારૂ સહિત રૂ.31.79 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો....1
- साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया। कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया। इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया। इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया। कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ1
- લાખણી-દિયોદરના ખેડૂતોની વીડિયો કોલથી રજૂઆતને ત્વરિત પ્રતિસાદ, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો લાંબા સમયથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. ચોમાસાની અનિયમિતતા વચ્ચે ખેતરમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વીડિયો કોલના માધ્યમથી સીધી રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ વીડિયો કોલમાં કેનાલ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી અને તાત્કાલિક પાણી છોડવા વિનંતી કરી હતી. ખેડૂતોની આ લાગણી અને માંગને માનનીય અધ્યક્ષશ્રીએ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતા સમગ્ર લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોએ માનનીય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની આ ત્વરિત કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.1
- નેપાળમાં કુદરતી આફત: અચાનક પૂરે મચાવી તબાહી તિબેટ તરફથી આવેલા અચાનક પૂરના કારણે નેપાળના રાસુવા જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ. નેપાળમાં કુદરતી આફત: તિબેટથી આવેલા અચાનક પૂરે સર્જી ભારે તબાહી, 1000 જેટલા લોકો તણાયા હોવાની આશંકા કાઠમંડુ / રાસુવા: નેપાળમાં કુદરતી આફતે ભારે કહેર મચાવ્યો છે. તિબેટ તરફથી આવેલા અચાનક પૂરે નેપાળના રાસુવા જિલ્લામાં મોટા પાયે તબાહી સર્જી છે. ભોટેકોશી નદીમાં આવેલા આ પ્રચંડ અને ધસમસતા પૂરના પ્રવાહમાં અંદાજે 1,000 જેટલા લોકો તણાઈ ગયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે રાસુવા જિલ્લાના તિમુર બજાર સહિતના આસપાસના વિસ્તાર અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના કારણે પુલ ધરાશાયી થવાના, વાહનો તણાવવાના અને વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.3
- રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.1
- રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.4
- 84 દિવસ બાદ મોરીખા મડર નું દફન કરાયેલ મૃતદેહ રી. પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં પોલીસ ની સંપૂર્ણ તૈયારી. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1