Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર જિલ્લાના માનાવાડા ગામમાં આવેલા તળાવની સલકી (આઉટલેટ) તૂટી જવાને કારણે તળાવમાં પાણી ટકતું નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની સલકીનું સમારકામ શરૂ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે.
ઠાકોર સંજય
સુરેન્દ્રનગર જિલ્લાના માનાવાડા ગામમાં આવેલા તળાવની સલકી (આઉટલેટ) તૂટી જવાને કારણે તળાવમાં પાણી ટકતું નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની સલકીનું સમારકામ શરૂ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર જિલ્લાના માનાવાડા ગામમાં આવેલા તળાવની સલકી (આઉટલેટ) તૂટી જવાને કારણે તળાવમાં પાણી ટકતું નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની સલકીનું સમારકામ શરૂ કરાવવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે.1
- સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે સબ સ્ટેશન પાછળ ચાલી રહેલા ગેરકાયદે પથ્થર ખનન પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતું આશરે ₹30 લાખની કિંમતનું એક JCB મશીન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં ભરાડા ગામના લાલાભાઈ રણછોડભાઈ ભરવાડનું નામ સામે આવ્યું છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ખાણ અને ખનીજ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ સાથે મળીને આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.1
- કડી ખાતે આયોજિત વિદ્યાર્થી સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા તારક ઠાકોરે OBC સમાજ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં OBC સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકત્ર થશે. આ એકત્ર થવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો રહેશે.1
- દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.4
- Post by Pankaj Parmar1
- viral videos belonging to the same person who is the same person who is1
- સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ તરફથી બાંધરી મળ્યા બાદ ખેડૂત આગેવાનોએ સમિતિને આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સાણંદ તાલુકાના ડરણ ગામે ડ્રેનેજ લાઇનના વિરોધમાં સરકાર સામે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન આજે તેના દસમા દિવસે સમાપ્ત થયું, જેના પગલે ખેડૂતોએ પોતાનો વિજય જાહેર કર્યો.1
- સુરેન્દ્રનગર SOG ટીમે જોરાવરનગર પોલીસ મથક વિસ્તારના રતનપર બાયપાસ રોડ પર આવેલા ભંગારના એક ડેલામાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. SOGએ કોઈ પણ આધાર-પુરાવા વગર રાખવામાં આવેલા 74 કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે રજવાડુ હોટલ પાછળ આવેલા આ ભંગારના ડેલામાં તપાસ દરમિયાન, કુલ 74 ભારત ગેસના કોમર્શિયલ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 8 ભરેલા અને 66 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીની ઓળખ અશોકભાઈ કાનાભાઈ કાવેટીયા તરીકે થઈ છે, જે રતનપર બાયપાસ રોડ, તાલુકો વઢવાણનો રહેવાસી છે. સિલિન્ડર અંગે કોઈ પણ કાયદેસર આધાર-પુરાવા રજૂ ન કરી શકવાને કારણે, પોલીસે આશરે ₹1 લાખ 86 હજાર 900 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી. આરોપીને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1