ખંડોળીમાં ક્ષત્રિય કેળવણી મંડળનો 22મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, સાંસદ અને ધારાસભ્ય એ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા. તાલુકાના ખંડોળી ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા 22મા ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવયુગલોને આશીર્વાદ આપીને પ્રસન્ન અને પ્રેમાળ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સેવાકીય અને સામાજિક પ્રકલ્પોનું આયોજન એ સમાજની એકતા અને ઉન્નતિનાં દર્શન કરાવે છે. આવા સમૂહ લગ્નોત્સવથી સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે અને આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળે છે. સાંસદ રાજપાલસિંહ જાદવે સફળ આયોજન બદલ કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના સર્વે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વર-વધૂના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખંડોળીમાં ક્ષત્રિય કેળવણી મંડળનો 22મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, સાંસદ અને ધારાસભ્ય એ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા. તાલુકાના ખંડોળી ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા 22મા ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવયુગલોને આશીર્વાદ આપીને પ્રસન્ન અને પ્રેમાળ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સેવાકીય અને સામાજિક પ્રકલ્પોનું આયોજન એ સમાજની એકતા અને ઉન્નતિનાં દર્શન કરાવે છે. આવા સમૂહ લગ્નોત્સવથી સમાજમાંથી કુરિવાજો દૂર થાય છે અને આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળે છે. સાંસદ રાજપાલસિંહ જાદવે સફળ આયોજન બદલ કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના સર્વે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વર-વધૂના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- સમસ્ત પાટીદાર સમાજ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું 'સરદાર ગૌરવ રત્ન' દ્વારા સન્માન કરવામાં આવ્યું1
- વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ વડોદરામાં અનોખી ઉજવણી: રેસકોર્સ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ૧૪ કેક સાથે ભવ્ય કાર્યક્રમ1
- વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.1
- વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેડમ ખાતે ખુલ્લેઆમ છુટ્ટાહાથની મારામારી થઈ. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1
- આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.1
- બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઉત્તેજના ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. બંગાળમાં મળેલી જીતનો ઉત્સાહ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ અનુભવાઈ રહ્યો છે, જે દેશવ્યાપી માહોલ દર્શાવે છે.1
- ઇન્દોરની ચોંકાવનારી ઘટના: બસ નીચે સફાઈ કરતી મહિલા પર ઉપરથી પાર્સલ ફેંકાયું, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત1
- ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.1
- ભરૂચના ગંઘાર ગામમાં આવેલી ઇદગાહમાં અચાનક આગ લાગી હતી. આ આગ ઝડપથી નજીકના ઘરોમાં પણ ફેલાઈ ગઈ, જેના કારણે હાહાકાર મચી ગયો. ભરૂચ ફાયર વિભાગે તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.1