Shuru
Apke Nagar Ki App…
જનતા રેડ વિવાદ વચ્ચે ગાંધીધામ 'આપ' શહેર પ્રમુખનું રાજીનામું નાદુરસ્ત તબિયતનું કારણ ધરી પ્રમુખપદ પરથી રાજીનામું ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.
Bharti Makhijani
જનતા રેડ વિવાદ વચ્ચે ગાંધીધામ 'આપ' શહેર પ્રમુખનું રાજીનામું નાદુરસ્ત તબિયતનું કારણ ધરી પ્રમુખપદ પરથી રાજીનામું ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.
More news from Patan and nearby areas
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત જીવણભાઈ ભોજાભાઈ ગામ ગરાબડી #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews1
- Post by Dinesh Kalu bhai1
- બ્રેકીંગ ધોરાજી ધોરાજી ના ગેલેક્સી ચોક થી જમનાવડ સુધી સીસી રોડ પંદર દિવસ પહેલા ખુલો મુકાયેલ પંદર દિવસમાજ સીસી રોડ ઉપર કાંકરી દેખાવા લાગી સીસી રોડ ઉપર જ્યાં જોવો ત્યાં ખાડાઓ પડવા લાગતા કોંગ્રેસ ભ્રસ્ટાચાર ના લગાવીયા આક્ષેપ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય એ ધોરાજી મા રોડ મા ભ્રસ્ટાચાર થયા નો લગાવીયો આક્ષેપ ધોરાજી ગેલેક્સી ચોક થી જમનાવડ રોડ મા લોટ પાણી ને લાકડા કહેવત પ્રમાણે બનાવીયો ખુલો મુકવા ની સાથેજ તૂટી ગયો સરકારી તંત્ર ને આ સીસી રોડ બાબતે અનેક વાર રજુવાત કરી છે સરકાર ને સરકારી અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી કે આ સીસી રોડ ફરીથી બનાવવા મા નહીં આવે તો 18 મી માર્ચ કોંગ્રેસ કાર્યકર્તા ને સાથે રાખી મશીનરી લઈ રોડ ખોદી નાખવા ની ચેલેન્જ આપી સરકાર ને ખુલ્લી ચેલેન્જ આપી કે તાકાત હોઈ તો રોકી બતાવજો કોન્ટ્રાકટર પાસેથી કોન્ટ્રાકટ ધારાસભ્ય એ રાખ્યો છે અને તેમના મળતીયા દ્વારા આ સીસી રોડ બનાવીયો છે તંત્ર દ્વારા આ સીસી રોડ ના નમૂના લઈ કાર્યવાહી કરવા માગ કરી બાઈટ.. લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય2
- *આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિ.મી. લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ* પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે અંદાજે બે કિલોમીટર લાંબો અને ૧.૯૦ મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આધુનિક અને દીર્ઘદૃષ્ટિવાળું વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે પોરબંદર શહેરને એક આકર્ષક અને સુવિધાસભર માર્ગ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારનો આઇકોનિક રોડ બનાવવાનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાનો તથા શહેરની સૌંદર્યવૃદ્ધિ સાથે પર્યાવરણમિત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરમાં રોકાણ અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થાય, પ્રોપર્ટી વેલ્યુ વધે અને પ્રવાસનને પ્રોત્સાહન મળે તેવો સરકારનો અભિગમ છે. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાંયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં ૦.૬૦ મીટર પહોળો ડીવાઈડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે ૧.૨ મીટર (૪ થી ૬ ફૂટ) ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા વૃક્ષ રોપવામાં આવશે. બંને બાજુ ૬.૫૦ મીટર પહોળો મુખ્ય માર્ગ, ૧.૭૦ મીટર પાર્કિંગ જગ્યા અને ૧.૫૦ મીટર પહોળી ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહનચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેંચ અને ડસ્ટબીન મુકવામાં આવશે. માર્ગ પર ૧૦ મીટરના અંતરે કુલ ૪૫૦ ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઈન બોર્ડ મુકવામાં આવશે. ૧૨ અતિ આધુનિક બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે, ૩૫૦ બેંચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૩૨ ડસ્ટબીન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલીંગ બનાવવામાં આવશે જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઈન, ગેસ લાઈન, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે. નાગરિકોની સલામતીમાં વધારો થશે, ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે, પ્રોપર્ટી રેવન્યુમાં વૃદ્ધિ થશે અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનશે. પોરબંદર શહેરના વિકાસમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે.1
- બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત પુંજાભાઈ દેવદાનભાઈ ગામ રોઝુ #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના ગેલેક્સી ચોક થી પોસ્ટ ઓફિસ સુધી નો આર સી સી રોડ આજે ફરી તોડવામાં આવી રહયો છે કારણકે આ રસ્તો લોટ પાણી ને લાકડા અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ લલીત ભાઈ વસોયા કર્યા બાદ ચિમકી ઉચ્ચાર્યા બાદ તંત્ર અને કોન્ટ્રાકટર હરક્ત માં આવ્યું આ આર સી સી રોડ ફરી તોડવામાં આવ્યો અને કોંગ્રેસ આગેવાન સ્થળ મુલાકાતે પહોંચ્યા : વિઓ : ધોરાજી નાં કોંગ્રેસ પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ એ મિડીયા સમક્ષ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર ગુજરાત ની અંદર રોડ રસ્તા ઓ નાં કામ અને બ્રિજ નાં કામો અને વિકાસ નાં કામો જે વાતો થઈ રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહયો છે ક્યાંક નેં ક્યાંક કોન્ટ્રાકટરો અને ભારતીય જનતા પાર્ટી નાં આગેવાનો જ છે પસંદ દિવસ પહેલા ભારત નાં ગવર્મેન્ટ ગુજરાત એ જે ધોરાજી નાં ગેલેક્સી ચોક થી પોસ્ટ ઓફિસ સુધી નો સિમેન્ટ રોડ માં ભયંકર ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ આગેવાન અને કોંગ્રેસ પક્ષના પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કરવામાં આવ્યો હતો આજે સરકારે આ વાત સ્વીકારી લીધી છે અને જો કોંગ્રેસ દ્વારા આ રસ્તો તોડવામાં આવશે તેવી ચિમકી આપી હતી અને તે પહેલાં જ આજે આ રોડ ફરી તોડવામાં આવી રહયો છે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે સરકાર કોઈ પગલાં લેશે કે કેમ એવો સવાલ ધોરાજી ની જનતા પુછી રહી છે કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ મા આવે તેવી માંગ ધોરાજી કોંગ્રેસ કરી રહીં છે ધોરાજી નાં જુનાગઢ રોડ પર ઘણા સમય પહેલા જે રોડ રસ્તા નું કામ થયું હતું અને ત્યારે ધોરાજી કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કર્યો અને ત્યારે ધોરાજી અને ઉપલેટા ભાજપ મહેન્દ્ર ભાઈ પાડલીયા એ પણ ત્યાં ની મુલાકાત લીધા બાદ તેણે જણાવ્યું હતું કે આ કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ માં મુકીશું આજ કોન્ટ્રાકટર ફરી અત્યાર નો કોન્ટ્રાકટર છે અને અન્ય કામગીરી માટે નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાકટર નેં બ્લેક લિસ્ટ માં મુકાવી શકો તેમ છો કે પછી અમે લડાઈ લડી એ તેવી પ્રતિક્રિયા આપી હતી : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય2
- બોટાદ. આ ઘટના ત્રણેક માસ પહેલા બની હોવાનું પ્રાથમિક તપાસ મા સામે આવ્યું છે જ્યારે મેડિકલ રીપોર્ટ બાદ ખ્યાલ આવશે કે સગીરાને કેટલા માસનો ગર્ભ છે..1