Shuru
Apke Nagar Ki App…
Pankaj Parmar
More news from ગુજરાત and nearby areas
- Post by Pankaj Parmar1
- આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...4
- વડનગરમાં વધુ એક રોડના કામમાં ભષ્ટ્રાચાર...🚧1
- ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.1
- થરાદ તાલુકાના રાજગઢ ગામે રમેશભાઈ પ્રમોશન રાજપૂત દ્વારા વાલ્મિકી સમાજની સફાઈ કામદાર બહેનોને સાડી તથા રાશનકિટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પણ યોગદાન આપી રહ્યા છે. આ પ્રસંગે સચિનભાઈ ઠક્કર અને તેમના મિત્રવર્તુળે હાજરી આપી સહયોગ આપ્યો હતો. રમેશભાઈના આ કાર્યથી યુવાનોમાં સેવાભાવના પ્રેરણા ફેલાઈ રહી છે.1
- વાવ–થરાદ વિસ્તારમાં ઠરાદ ખાતે આવેલી મોડલ સ્કૂલની KGBV (કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય) ગર્લ્સ હોસ્ટેલમાં આજે વિદ્યાર્થીનીઓ દ્વારા હલ્લાબોલ મચાવાયો હતો. ગૃહમાતા આશાબેનને ફરીથી મુકવાની ચર્ચા વચ્ચે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા હોસ્ટેલના ગેટ પર જ અડિંગો જમાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ આશાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી “ગૃહમાતાની બદલી કરો” જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં વાલીઓ પણ હોસ્ટેલ પહોંચતા મામલો વધુ ગરમાયો હતો. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ ઠરાદ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને KGBV ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. અગાઉ આશાબેન અહીં ગૃહમાતા તરીકે હતા ત્યારે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમને અહીંથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સોનલબેન ગૃહમાતા તરીકે આવ્યા અને હોસ્ટેલની વ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી. પરંતુ હવે જિલ્લા કક્ષાએ થયેલી બદલીના કારણે સોનલબેનને હટાવી ફરી આશાબેનને મુકવાની ચર્ચા સામે આવી છે. જેને લઇ વિદ્યાર્થીનીઓએ સ્પષ્ટ કહ્યું કે તેમને આશાબેન સ્વીકાર્ય નથી અને સોનલબેનને જ યથાવત રાખવાની માંગણી કરી છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ મુદ્દે તેઓએ ઠરાદની વિવિધ કચેરીઓમાં અરજીઓ અને પત્રો આપ્યા છે, છતાં તેમની વાત સાંભળવામાં આવી નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવી તેમની વાત સાંભળે તેવી માંગ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓએ વધુમાં કહ્યું કે તેઓ સવારથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે અને હાલ તેમની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, છતાં ન્યાય માટે તેમને આ રીતે વિરોધ કરવો પડી રહ્યો છે. *અહેવાલ પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ*1
- Post by Vaghela Janak1
- Post by Pankaj Parmar1