Shuru
Apke Nagar Ki App…
લખતર તાલુકામાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી 'ઘર-ઘર સંપર્ક' અભિયાનનો પ્રારંભ ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
Shailesh Vaniya
લખતર તાલુકામાં ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી 'ઘર-ઘર સંપર્ક' અભિયાનનો પ્રારંભ ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે લખતર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભાજપે ઘર-ઘર સંપર્ક અભિયાન આદર્યું છે.જયેશભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દશરથસિંહ રાણા અને રવિરાજભાઈ વાઢેર સહિતના અગ્રણીઓની આગેવાનીમાં કાર્યકરો સીધા જનતાના સંપર્કમાં રહી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસંવાદ દ્વારા સંગઠનને મજબૂત કરી આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મતદારોને રૂબરૂ મળી પક્ષની વિચારધારા અને વિકાસકાર્યોથી માહિતગાર કરી રહ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- • ઝાલાવાડ પંથકના માત્ર એક જ વિધાર્થીની પસંદગી થઈ ધ્રાંગધ્રા તપોવન વિધાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિધાર્થી ઝાલા ધર્મરાજસિંહની પ્રિનેશનલ ક્રિકેટ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેમાં 26 એપ્રિલથી 1મે સુધી તેલંગાણા રાજ્ય ખાતે યોજાનારા નેશનલ ક્રિકેટ સ્પર્ધા માટે 9 એપ્રિલથી 23 એપ્રિલ સુધી અમદાવાદ ખાતે પ્રિનેશનલ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ઝાલાવાડ પંથકમાંથી માત્ર એક ધર્મરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવતા સ્કૂલ, પરિવાર અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની લાગણી છવાઈ છે.1
- Post by Pankaj Parmar1
- Post by Natvar D Solanki1
- Post by સુમિત લકુમ1
- अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by Pankaj Parmar1
- અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1
- અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSI ની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી.1