Shuru
Apke Nagar Ki App…
सुपर गांव अपडेट मोहम्मद
રોહિત પરમાર
सुपर गांव अपडेट मोहम्मद
More news from Kheda and nearby areas
- ક્ષત્રિય વિર ભાથીજી મહારાજના દર્શન સાથે તાલુકા જાહેર થવાનો હર્ષ ફાગવેલ | રાજ્ય સરકાર દ્વારા ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારવા માટે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ ના દર્શન અને પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના બારીયાના મુવાડા સરપંચ શ્રી, ખડોલ સરપંચ શ્રી, માલ ઈંટાડી બારીયા ભાગના સરપંચ પ્રતિનિધિ, વડોલ સરપંચ શ્રીના પ્રતિનિધિ, વડોલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી, માલ ઈંટાડી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ઠાસરા તાલુકાના ખડ ગોધરા સરપંચ શ્રી, ભાટ વાસણા સરપંચ શ્રી સહિત ફાગવેલ સરપંચ શ્રી, ફાગવેલ જિલ્લા સદસ્ય શ્રી, ફાગવેલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરડા (ફાગવેલ) ના સરપંચ શ્રી અને તાલુકા સદસ્ય શ્રી, દાદાના મુવાડાના સરપંચ શ્રી, લસુન્દ્રા સરપંચ શ્રી, ફૂલ છત્રપુરા સરપંચ શ્રી, ચારણ નિકોલ સરપંચ શ્રી, વિશ્વનાથપૂરા સરપંચ શ્રી, લાડવેલ સરપંચ શ્રી, લક્ષ્મણપુરા સરપંચ શ્રી તેમજ અનેક ગામોના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બધા જ પ્રતિનિધિઓએ એકસ્વરે જણાવ્યું હતું કે ફાગવેલને તાલુકો અને વડુ મથક જાહેર કરવો એ સમગ્ર વિસ્તાર માટે વિકાસનો નવો અધ્યાય છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. કાર્યક્રમ દરમિયાન “જય વિર ભાથીજી મહારાજ”ના ગગનભેદી નાદ સાથે ફાગવેલ તાલુકા જાહેર થવાના નિર્ણયને ખુલ્લેઆમ આવકારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને વિકાસના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું.. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- હાલોલમાં આવેલ ગુજરાતનો સૌથી પહેલો Cello Studio (સેલો સ્ટુડિયો) આપની માટે લાવ્યા છે 2026ના નવા વર્ષની ધમાકેદાર ઓફર.. સેલોની 2 પ્રોડક્ટ ખરીદવા ઉપર 1 પ્રોડક્ટ તદ્દન ફ્રી.. ખરીદો 2 મેળવો 3 આ ઓફર 1લી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી 2026 સુધી સીમિત છે તો રાહ કોની જુઓ છો? આજે જ પહોંચો સેલો સ્ટુડિયો હાલોલ ખાતે અને હા સેલો પ્રોડક્ટ ખરીદી google રીવ્યુ આપવા ઉપર વધુ 5 ટકા પણ વધુ ડિસ્કાઉન્ટ પણ મળશે. 📱 70410 01142 👇 સ્થળ 👇 સેલો સ્ટુડિયો ટાઉન સ્ક્વેર મોલ ગ્રાઉન્ડ ફ્લોર વડોદરા રોડ,હાલોલ.1
- હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી; વાહન ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા1
- 4 वर्षीय बच्ची के साथ बला##त्कार1
- આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.1
- Post by Nil Patel4
- Post by Sanjay Zala Official1
- *સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4