Shuru
Apke Nagar Ki App…
પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ
Vijay Kumar Joshi
પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ
More news from Sabar Kantha and nearby areas
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ1
- ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.4
- Post by S B CHAUHAN1
- Post by Nareandrasinh Rathod3
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1
- Post by Mukeshsinh bhikhusinh chauhan4
- વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.1
- Post by S B CHAUHAN1