Shuru
Apke Nagar Ki App…
પાલનપુર પંથકમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વીરપુર ગામ નજીક એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Gujarat crime news
પાલનપુર પંથકમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વીરપુર ગામ નજીક એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
More news from Gujarat and nearby areas
- Post by Pooja patel1
- ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્રી પૂનમની આરતી આરતી ના સમયે કીડીયારુ ઉભરાયુ હોય એવા દશ્યો ત્રિ-દિવસીય મેળામાં દર્શન વહેલી સવારે 6 વાગ્યે થી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચૈત્રી પૂનમના દિવસે, ગુરુવારે સવારે 6 કલાકે મંગલા આરતી થઈ હતી અને સાંજે 7 કલાકે આરતી કરવામાં આવશે. પૂનમના દિવસે દર્શન સવારે 6 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી દર્શનાથીઓ માટે મંદિર માં દર્શન ખુલ્લા રહેશે.4
- વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ ડેનું આયોજન વિજાપુર, તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુરમાં આજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પરેડ સાથે કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોમાં વિભાજિત થયેલા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પરેડે સમગ્ર વાતાવરણને ઉત્સાહી અને આકર્ષક બનાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને રમતગમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ, ટીમ વર્ક અને રમતગમતની સાચી ભાવના વિકસાવવામાં મહત્વનો યોગદાન મળ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. આ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થઈ છે.1
- આજે જે ભાભર ફોર્ચ્યુન હોટલમાં ભાજપ ના કાર્યક્રમમાં જેના ખોટા નામ જાહેર કરવામાં આવ્યા છે જેઓ કાર્યક્રમ હાજર નોતા અને જેમનુ નામ ભાજપ પાર્ટી માં જોડાઈ રહ્યા છે તેવું જાહેર મંચ પરથી ખોટું નામ જાહેર કરવામાં આવ્યું છે એમની વિરોધ લીગલી પ્રોસેસ કરવામાં આવશે (માનહાનિ નો દાવો) કાંતિલાલ સનેસડા બીયોક બે દિવસ પેલા ગયા તા તેવો એ સ્વરૂપજી ને એવી વાત કરી કે મારે કોન્ટ્રાકટર નું લાઇસન્સ છે તેમાં મને કામ અપાવજો એટલે તેવો ભાજપ માં જોડાય છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે બીજા પણ જે આગેવાનો જોડાયા છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જોડાયા છે માટે કોઈ આગેવાન ના હાથા ના બનો.... ભૂતકાળ માં તમે પણ જાણો છો જે આગેવાનો ભાજપ માં છે તેમના દીકરા. દીકરી.. સગા સબંધી ને બનાસ ડેરી અને બનાસ બેંક માં લાયકાત વગર નોકરી આપી છે એટલે આ આગેવાનો હવે કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ને ડેરી અને બેંક માં નોકરી આપવાની લાલચો આપી છેતરી રહ્યા છે જે છેતરવા આવે છે એમનો ઇતિહાસ ચેક કરો એમના દીકરા દીકરી ડેરી અને બેંક માં નોકરી કરી રહ્યાં છે એટલે એ થરાદ ના સાહેબ ના સૂચન મુજબ ... કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ની ભોળવી રહ્યા છે... એમની વાત માં ના આવો.... એમનો1
- Ghayal song tranding short reels1
- Post by Thakor Suresh1
- Post by Pooja patel1
- બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.1
- Post by Pravin Thakor1