Shuru
Apke Nagar Ki App…
ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં સુરેશભાઈ દરજી (SK)ને શહેર મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ વરણી થતાં જ ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે કાર્યકરોએ સુરેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
Journalist bharmal mali
ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં સુરેશભાઈ દરજી (SK)ને શહેર મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ વરણી થતાં જ ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે કાર્યકરોએ સુરેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
More news from ગુજરાત and nearby areas
- ભાભર શહેરમાં તસ્કર ટોળકી ફરી સક્રિય થતાં વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગત રાત્રે અજાણ્યા ચોરોએ શહેરની ચાર અલગ-અલગ દુકાનોને નિશાન બનાવી તેમના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, કોઈ માલસામાનની ચોરી ન થતાં દુકાનદારોને રાહત મળી છે. મળતી માહિતી મુજબ, તિરુપતિ માર્કેટ વિસ્તારમાં આવેલી રામદેવ મોબાઇલ, ફોનવાલા મોબાઇલ અને એક દરજીની દુકાન ઉપરાંત લાટી બજારમાં આવેલી ચામુંડા મોબાઇલ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. એક જ રાત્રે ચાર દુકાનોને નિશાન બનાવવાની આ ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આવા બનાવો સતત વધી રહ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વેપારીઓ અને સ્થાનિક લોકોએ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા તેમજ મુખ્ય બજાર વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે જો સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી ચોરીની ઘટનાઓ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં, સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને એક જ રાત્રે ચાર દુકાનોના તાળા તોડવાની આ ઘટનાએ ભાભર પોલીસ માટે એક પડકાર ઉભો કર્યો છે. તસ્કરોને ઝડપી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓ અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.3
- વાવ-થરાદ જિલ્લાનું ભાભર શહેર આગામી સમયમાં CCTV કેમેરાથી સજ્જ બનશે. માત્ર સુરક્ષા જ નહીં, ભાભરના નગરજનો માટે દિવસભર ભક્તિમય માહોલ બનાવવા સ્પીકરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે, જ્યાં સવાર-સાંજ હનુમાન ચાલીસા, ધૂન અને આરતી સંભળાશે. ભાભર શહેરને સુરક્ષિત અને વધુ સુવિધાભર બનાવવા માટે સ્થાનિક નગરપાલિકા દ્વારા લોકભાગીદારીથી આ મહત્વનું પગલું ભરાયું છે. સમગ્ર ભાભર શહેરમાં 50થી વધુ મુખ્ય સ્થળોએ CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાભર શહેરમાં ટ્રાફિક નિયમન, સલામતી અને ગુનાખોરી પર અંકુશ લાવવા માટે આ પગલું લેવાયું છે. ભાભર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અમરત માળી અને તેમની ટીમે લોકભાગીદારીથી આ કામગીરી શરૂ કરાવતા નગરજનોમાં આનંદ છવાયો છે. લોકોનું કહેવું છે કે હવે 'ત્રીજી આંખ'થી ભાભરની રોનક બદલાશે અને ગુનેગારોમાં ફફડાટ ફેલાશે, તેમજ ચોરી-લૂંટ જેવી ઘટનાઓ બંધ થશે. માત્ર CCTV જ નહીં, નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ સ્પીકર લગાવવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. વહેલી સવારે હનુમાન ચાલીસા અને સાંજે આરતી વગાડી શહેરને ધાર્મિક અને ભક્તિમય માહોલ બનાવાશે, એવી માન્યતા સાથે કે સવારે હનુમાન ચાલીસા સંભળાશે તો આખો દિવસ સારો જશે. સાથે જ કોઈપણ ઈમરજન્સી સમયે નગરજનોને તાત્કાલિક માહિતી આપવા માટે પણ આ સ્પીકર સિસ્ટમનો ઉપયોગ કરાશે. સુરક્ષાની સાથે આસ્થાનો સમન્વય કરી ભાભર નગરપાલિકા શહેરને સ્માર્ટ અને ભક્તિમય બનાવવા તરફ આગળ વધી રહી છે, અને લોકભાગીદારીથી થઈ રહેલી આ કામગીરીને નગરજનો આવકારી રહ્યા છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામમાં ૧૬ વર્ષીય શિક્ષિકા ભાવિકાબેન ભોકલવાને બદલી મળતા તેમને વિદાય આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ અશ્રુભીની આંખો સાથે તેમને ભાવભીની વિદાય આપી, જે તેમની સાથે જોડાયેલી લાગણીઓને દર્શાવે છે.1
- રાજકોટમાં છેડતીના એક મામલામાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં પરિવારના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યા બાદ બે યુવકોએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.1
- વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સૂચનાથી અને સુઈગામ પી.આઈ. એચ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ, મોરવાડા આઉટ પોસ્ટ બીટના એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે મળીને છેલ્લા 15 દિવસથી ગામમાં દેશી-વિદેશી દારૂ અને નશીલી ગોળીઓના વેચાણ પર રોક લગાવવા માટે ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે રવિવારે મોરવાડા ગામના શ્રી મહાકાળી માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા ગામમાં સંપૂર્ણ દારૂબંધી જળવાઈ રહે તે માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ તેમની કડક કાર્યવાહીની સરાહના કરી હતી અને પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. તેમણે ખાતરી આપી કે ગામમાં કે આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ દારૂ કે નશીલા પદાર્થો વેચતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોએ જણાવ્યું કે ગ્રામજનોની જાગૃતિ અને પોલીસની કડક કાર્યવાહીના કારણે વિસ્તારમાં દારૂ તેમજ નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પાબંધી આવી ગઈ છે. મોરવાડા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ બોરૂચાએ પણ પુષ્ટિ કરી કે એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીના આગમન બાદ ગામમાં દેશી દારૂ અને નશીલી દવાઓનું વેચાણ સદંતર બંધ થયું છે, અને પોલીસે ખાતરી આપી છે કે આવા વેચાણને સંપૂર્ણપણે બંધ કરવામાં તેઓ ગ્રામજનો સાથે રહેશે. વધુમાં, ગામમાં સુરક્ષા વધારવાના ભાગરૂપે ચાર રસ્તા પર અધ્યતન સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ફાળો આપ્યા બાદ ગ્રામજનોએ પણ ₹2 લાખ ઉપરાંતનો ફાળો આપ્યો છે. એ.એસ.આઈ. પ્રકાશભાઈ ચૌધરીએ ગ્રામજનોને અપીલ કરી હતી કે જો ક્યાંય પણ નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેમને અથવા સુઈગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને માહિતી આપે, જેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આ બેઠકમાં મોરવાડા સરપંચ વિક્રમભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ બોરૂચા, તાલુકા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ વાધેલા, એડવોકેટ રાજુજી ઠાકોર, કરણસિંહ વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, ગોરાભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ વાઘેલા, હરેશ ઠાકોર, પહલાદજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના ગ્રામજનો હાજર રહ્યા હતા.1
- પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામેથી ₹500ની બનાવટી ચલણી નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાંથી આ કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પાટણ એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત રેડ કરી 492 બનાવટી નોટો એટલે કે ₹2,46,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયરના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ સફળતા મળી છે. એલસીબી પાટણના પીઆઈ આર.જી. ઉનાગર અને સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. પટેલ અને સ્ટાફે સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એલસીબીના એ. હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર ગોવિંદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેલમાલ ગામે રેડ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ, કાતર અને વાહન સહિત કુલ ₹1,01,100ની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં નિકુલજી હમીરજી, ધીરજ ચૌહાણ, પપુ ઠાકોર અને કૈલાશ નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 489એ, 489બી અને 489સી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા અને બનાવટી નોટોનો જથ્થો ક્યાં-ક્યાં વટાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.1
- વાવ થરાદ જિલ્લામાં આવેલું ભાભર બજાર હવે સીસીટીવીની ત્રીજી આંખથી સુસજ્જ બનશે.1
- ઉત્તર પ્રદેશના લખનઉમાં આવેલા એક ગેમિંગ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.1