જાંબુઘોડાના ડુંગરવાટ રોડ પર વીજ કંપનીની બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી, જ્યાં લીમડાના ઝાડની ડાળ તૂટી પડતા બે વીજપોલ ધરાશાયી થયા હતા. કુંભરવાળા પાસેના લીમડાના ઝાડને અડીને જ એમજીવીસીએલ દ્વારા વીજપોલ ઊભા કરાયા હતા, પરંતુ લાંબા સમયથી વૃક્ષોની છંટણી ન થવાને કારણે આ ઘટના બની હતી. લીમડાની મોટી ડાળ વીજલાઈન પર પડતા એમજીવીસીએલના બે વીજપોલ ધરાશાયી થયા અને ૨૪ કલાક વાહનોથી ધમધમતો ડુંગરવાટ રોડ બંને બાજુથી બ્લોક થઈ ગયો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલ ધરાશાયી થયાના ૨૦ મિનિટ બાદ પણ વીજ કંપનીનો કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યો ન હતો, કે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો ન હતો. રોડ પર જીવંત વીજ વાયરો તૂટીને પડ્યા હોવા છતાં કંપનીની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે, ઘટનાના ૨૦ મિનિટ બાદ વીજ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા અને લાઈન બંધ કરીને કામગીરી શરૂ કરી હતી. જોકે, વીજ વાયરો કાપવાની પ્રક્રિયા દરમિયાન નજીકમાં આવેલી દુકાનો પાસેનો વધુ એક વીજપોલ પણ ધરાશાયી થયો હતો. સદનસીબે, તે સમયે ત્યાં ઊભેલી એક બાળકીએ સમયસૂચકતા વાપરી તુરંત જ ત્યાંથી ખસી જતા તે આબાદ બચી ગઈ હતી. આ ધરાશાયી થયેલો વીજપોલ દુકાન આગળ પડેલી ત્રણ બાઈકો ઉપર પડ્યો હતો, જેના કારણે બાઈકોને પણ નુકશાન થયું હતું. જો બાળકી ત્યાંથી ન હટી હોત તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા હતી. વારંવારની રજૂઆત છતાં વીજપોલ પાસે આવેલા વૃક્ષોની છંટણી ન કરવા અને તંત્રની આ ઢીલી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જાંબુઘોડાના ડુંગરવાટ રોડ પર વીજ કંપનીની બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી, જ્યાં લીમડાના ઝાડની ડાળ તૂટી પડતા બે વીજપોલ ધરાશાયી થયા હતા. કુંભરવાળા પાસેના લીમડાના ઝાડને અડીને જ એમજીવીસીએલ દ્વારા વીજપોલ ઊભા કરાયા હતા, પરંતુ લાંબા સમયથી વૃક્ષોની છંટણી ન થવાને કારણે આ ઘટના બની હતી. લીમડાની મોટી ડાળ વીજલાઈન પર પડતા એમજીવીસીએલના બે વીજપોલ ધરાશાયી થયા અને ૨૪ કલાક વાહનોથી ધમધમતો ડુંગરવાટ રોડ બંને બાજુથી બ્લોક થઈ ગયો, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલ ધરાશાયી થયાના ૨૦ મિનિટ બાદ પણ વીજ કંપનીનો કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યો ન હતો, કે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો ન હતો. રોડ પર જીવંત વીજ વાયરો તૂટીને પડ્યા હોવા છતાં કંપનીની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે, ઘટનાના ૨૦ મિનિટ બાદ વીજ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા અને લાઈન બંધ કરીને કામગીરી શરૂ કરી હતી. જોકે, વીજ વાયરો કાપવાની પ્રક્રિયા દરમિયાન નજીકમાં આવેલી દુકાનો પાસેનો વધુ એક વીજપોલ પણ ધરાશાયી થયો હતો. સદનસીબે, તે સમયે ત્યાં ઊભેલી એક બાળકીએ સમયસૂચકતા વાપરી તુરંત જ ત્યાંથી ખસી જતા તે આબાદ બચી ગઈ હતી. આ ધરાશાયી થયેલો વીજપોલ દુકાન આગળ પડેલી ત્રણ બાઈકો ઉપર પડ્યો હતો, જેના કારણે બાઈકોને પણ નુકશાન થયું હતું. જો બાળકી ત્યાંથી ન હટી હોત તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા હતી. વારંવારની રજૂઆત છતાં વીજપોલ પાસે આવેલા વૃક્ષોની છંટણી ન કરવા અને તંત્રની આ ઢીલી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
- Post by Rathod Sandip sinh1
- વડોદરા શહેરના દુધવાલા મોહલા વિસ્તારમાં બે જુથો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના બની હતી. આ અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.1
- AIMIM પાર્ટીના અધ્યક્ષ શાહિદ મન્સુરી દ્વારા ગાયો ભરેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકવામાં આવ્યો છે. આ ટેમ્પો શંકાસ્પદ રીતે ગાયોને લઈ જઈ રહ્યો હતો, અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગાયોને કતલખાને લઈ જવામાં આવી રહી હતી.1
- વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક રિક્ષાચાલક દ્વારા જીવલેણ સ્ટંટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે જો આ પ્રકારના સ્ટંટને કારણે કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે.1
- વડોદરા શહેરના બાજવા ગામમાં આવેલી સી. એન. ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર દિવસદહાડે ગેસ સિલિન્ડરની ચોરી થતાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ બોટલ ભરેલા એક ટેમ્પામાંથી બે બાઈક સવાર ગઠિયાઓએ થોડી જ પળોમાં એક ગેસ સિલિન્ડર ઉઠાવી લીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. દિવસના સમયે આવી નિર્ભય ચોરી થતા પોલીસ પેટ્રોલિંગની કાર્યક્ષમતા સામે પણ સવાલો ઉભા થયા છે. હાલ, પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ચોરોને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- રસ્તા પર સતત વહેતા એક દ્રવ્ય, અલગ અલગ નંબર પ્લેટવાળા વાહનો અને સમગ્ર શંકાસ્પદ પરિસ્થિતિને કારણે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે આખરે સાચી હકીકત શું હશે. આ મામલાની તાત્કાલિક તપાસ ખાદ્ય સુરક્ષા વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા થવી જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે આ મુદ્દો માત્ર કોઈ દ્રવ્ય કે દૂધ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સીધો લોકોના આરોગ્ય અને તેમના વિશ્વાસ સાથે જોડાયેલો છે.1
- નવાપુરા પોલીસ, રાવપુરા સ્ટેશનના અધિકારીઓ અને એસ.આર.પી.ના જવાનો દ્વારા 'બકરી'ને ધ્યાનમાં રાખીને શહેરમાં સંપૂર્ણ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.1
- રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ચાલી રહી છે, ત્યારે પંપ માલિકો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક મહિલાએ વીડિયો બનાવીને આવા પંપ માલિકોની પોલ ખોલી છે, જેમાં તેમની અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો.1
- બોડેલી સેશન્સ કોર્ટે આખરે વડોદરાના કોંગ્રેસ મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશીને જામીન મંજૂર કર્યા છે. આ જામીન સંખેડા પોલીસ દ્વારા દારૂ મંગાવાના બહાને અને રાજકીય કિન્નાખોરી રાખીને, ભાજપના ઇશારે કરવામાં આવેલ ખોટા કેસ સામે આપવામાં આવ્યા છે.1