logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

2 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
2 hrs ago

મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં! ૨૬ એપ્રિલે લોકોનો અવાજ ગુંજશે
મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી.
રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૬મી એપ્રિલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્રે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨,૨૭,૭૭૨ મતદારો માટે ૧૪૭૧ મતદાન મથકો, નગરપાલિકા વિસ્તારોમાં ૧,૮૭,૩૨૯ મતદારો માટે ૧૮૯ મથકો અને મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧,૭૩,૬૯૫ મતદારો માટે ૧૬૯ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૨ બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન થશે.
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ચકાસણી ૧૩ એપ્રિલ અને ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે.
પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી જશવંત કે. જેગોડા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    12 hrs ago
  • વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વડાલી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. પત્રિકાઓમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો સાથે ગંભીર આક્ષેપો કરાયા છે. તેમાં પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા દાવા કરીને તંત્રની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય જેવા મહત્ત્વપૂર્ણ પદોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા તંત્રની છબી બગાડવાનો ઈરાદો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકતો બહાર આવશે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    2
    વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વડાલી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. પત્રિકાઓમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો સાથે ગંભીર આક્ષેપો કરાયા છે. તેમાં પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા દાવા કરીને તંત્રની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય જેવા મહત્ત્વપૂર્ણ પદોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા તંત્રની છબી બગાડવાનો ઈરાદો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકતો બહાર આવશે તેવી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ ખબર વડાલી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • દામાવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસે ખુલ્લી જગ્યામાંથી ₹9,270નો 26 બોટલ દારૂ જપ્ત કર્યોખેડબ્રહ્મા પોલીસે દામાવાસ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹9,270ની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દામાવાસ ગામના અનિલભાઈ વણઝારા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેપાર કરતા હતા. આ બાતમીના આધારે પોલીસે અનિલભાઈ વણઝારાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 26 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે અનિલભાઈ વણઝારાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
    1
    દામાવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસે ખુલ્લી જગ્યામાંથી ₹9,270નો 26 બોટલ દારૂ જપ્ત કર્યોખેડબ્રહ્મા પોલીસે દામાવાસ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ₹9,270ની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, દામાવાસ ગામના અનિલભાઈ વણઝારા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખીને વેપાર કરતા હતા.
આ બાતમીના આધારે પોલીસે અનિલભાઈ વણઝારાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 26 બોટલ વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.
પોલીસે અનિલભાઈ વણઝારાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • lusadiya ni ધરતી ઉપર મંદિર આવેલ છે
    1
    lusadiya ni ધરતી ઉપર મંદિર આવેલ છે
    user_Bhagora “BHAVESH” Bhavesh
    Bhagora “BHAVESH” Bhavesh
    ભિલોડા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    6 hrs ago
  • અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે વિધર્મીઓને વેચી દેવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક કર્યવાહી કરવામાં આવી નથી, જે લાખો સનાતની શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે. આ મંદિરની જમીન મુસ્લિમ બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચીને વેચવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજી મહારાજ સંડોવાયેલા હોવાની અમને શંકા છે. તેથી આ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર મામલાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અતુલ દવેએ આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગણી કરી છે. સામાજિક આગેવાન અતુલભાઈ દવેની માંગણીઓ મુજબ: 1. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે 2. સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે 3. સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે 4. મંદિરની જમીન ફરીથી પરત મેળવવામાં આવે આ મુદ્દે આગામી સમયમાં કરોડો લોકો દ્વારા વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવશે અને જન સમર્થન મેળવવા માટે MISSED CALL કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. – શ્રી અતુલભાઈ દવે (સામાજિક આગેવાન)
    1
    અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની કરોડો રૂપિયાની કિંમતી જમીન પાણીના ભાવે વિધર્મીઓને વેચી દેવાનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ મુદ્દે મંદિરના ટ્રસ્ટને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ અસરકારક કર્યવાહી કરવામાં આવી નથી, જે લાખો સનાતની શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે.
આ મંદિરની જમીન મુસ્લિમ બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચીને વેચવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજી મહારાજ સંડોવાયેલા હોવાની અમને શંકા છે. તેથી આ તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ ગંભીર મામલાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાજિક આગેવાન અતુલ દવેએ આ મુદ્દે તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગણી કરી છે.
સામાજિક આગેવાન અતુલભાઈ દવેની માંગણીઓ મુજબ:
1. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે
2. સમગ્ર કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે
3. સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે
4. મંદિરની જમીન ફરીથી પરત મેળવવામાં આવે
આ મુદ્દે આગામી સમયમાં કરોડો લોકો દ્વારા વડાપ્રધાનને પત્ર મોકલવામાં આવશે અને જન સમર્થન મેળવવા માટે MISSED CALL કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
– શ્રી અતુલભાઈ દવે
(સામાજિક આગેવાન)
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • લ્યો બોલો! ઈડર તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર તો એટલા 'ફાસ્ટ' નીકળ્યા કે પાર્ટી હજુ તો મેન્ડેટના કાગળિયાં શોધતી હતી, ત્યાં તો ભાઈએ સોશિયલ મીડિયા પર પ્રચારના શ્રી ગણેશ પણ કરી નાખ્યા!પાર્ટી ટિકિટ આપે કે ન આપે, પણ સાહેબે તો જનતાના દિલમાં (અને ફેસબુકની ટાઈમલાઈન પર) પોતાની સીટ અત્યારથી જ કન્ફર્મ કરી લીધી હોય એવું લાગે છે.હવે જોવાનું એ રહ્યું કે, પક્ષ આ 'ઉતાવળા સાહેબ'ને આશીર્વાદ આપે છે કે પછી મેન્ડેટના બદલે માત્ર 'લાઈક્સ' આપીને સંતોષ મનાવે છે
    1
    લ્યો બોલો! ઈડર તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર તો એટલા 'ફાસ્ટ' નીકળ્યા કે પાર્ટી હજુ તો મેન્ડેટના કાગળિયાં શોધતી હતી, ત્યાં તો ભાઈએ સોશિયલ મીડિયા પર પ્રચારના શ્રી ગણેશ પણ કરી નાખ્યા!પાર્ટી ટિકિટ આપે કે ન આપે, પણ સાહેબે તો જનતાના દિલમાં (અને ફેસબુકની ટાઈમલાઈન પર) પોતાની સીટ અત્યારથી જ કન્ફર્મ કરી લીધી હોય એવું લાગે છે.હવે જોવાનું એ રહ્યું કે, પક્ષ આ 'ઉતાવળા સાહેબ'ને આશીર્વાદ આપે છે કે પછી મેન્ડેટના બદલે માત્ર 'લાઈક્સ' આપીને સંતોષ મનાવે છે
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.