Shuru
Apke Nagar Ki App…
*શ્રી દયાનંદ સરસ્વતી પ્રા. શાળા નં. 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની એક દિવસીય તાલીમ યોજવામાં આવી.* શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
Vagadiya chintan dilipbhai
*શ્રી દયાનંદ સરસ્વતી પ્રા. શાળા નં. 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની એક દિવસીય તાલીમ યોજવામાં આવી.* શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
More news from ગુજરાત and nearby areas
- બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા. સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા. ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા. આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.1
- સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો1
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1
- જય અખંડ ધણી1
- સુરતમાં ધૂળેટી પર યોજાશે અનોખું ‘મડફેસ્ટ’, ઓર્ગેનિક માટી સાથે માણી શકાશે રંગોઉત્સવની મજા1
- સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર1