*સાબરકાંઠાના પોશીના ખાતે પાર્ટી કરવાના બહાને લઈ જઈ યુવકની હત્યા; પોશીના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા* અજાણ્યા મૃતદેહની ઓળખથી હત્યાનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી આરોપીઓ ઝડપાયા પોશીના, તા. 16 સપ્ટેમ્બર 2026: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછોર ગામની સીમમાંથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહના મામલે પોશીના પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, છોછોર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ અ.મોતની નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જાહેર પ્રસિદ્ધિ, CCTV કેમેરાની ચકાસણી અને ખાનગી હ્યુમન સોર્સ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન અંગે માહિતી મળતાં ટેકનિકલ તપાસના આધારે મૃતકની ઓળખ સુધી પોલીસ પહોંચી હતી. ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશકુમાર કાળાભાઈ પરમાર ઉર્ફે વાણાકરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ રાકેશભાઈ કાળાભાઈ પરમારને પાર્ટી કરવાના બહાને લઈ જઈ ગળું દબાવી તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવ્યા બાદ છોછોર ગામની સીમમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ રાકેશભાઈને કારમાં બેસાડી અંબાજી તરફ જવાના બહાને લઈ ગયા હોવાની અને બાદમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવી છોછોર ગામે મૃતદેહ મૂકી કાર લઈને નાસી ગયા હતા ઝડપાયેલા આરોપીઓ 1. રવીભાનસિંહ કેવલિબહાદુર રાજપૂત, ઉંમર 30 વર્ષ 2. ભાવનાબેન ઉર્ફે ભાવનાબેન, ઉંમર 29 વર્ષ 3. ગીતાબેન ઉર્ફે મોહીનીબેન, ઉંમર 36 વર્ષ આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, PSI વી.બી. મેઘનાથી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
*સાબરકાંઠાના પોશીના ખાતે પાર્ટી કરવાના બહાને લઈ જઈ યુવકની હત્યા; પોશીના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા* અજાણ્યા મૃતદેહની ઓળખથી હત્યાનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી આરોપીઓ ઝડપાયા પોશીના, તા. 16 સપ્ટેમ્બર 2026: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછોર ગામની સીમમાંથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહના મામલે પોશીના પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, છોછોર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ અ.મોતની નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જાહેર પ્રસિદ્ધિ, CCTV કેમેરાની ચકાસણી અને ખાનગી હ્યુમન સોર્સ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન અંગે માહિતી મળતાં ટેકનિકલ તપાસના આધારે મૃતકની ઓળખ સુધી પોલીસ પહોંચી હતી. ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશકુમાર કાળાભાઈ પરમાર ઉર્ફે વાણાકરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ રાકેશભાઈ કાળાભાઈ પરમારને પાર્ટી કરવાના બહાને લઈ જઈ ગળું દબાવી તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવ્યા બાદ છોછોર ગામની સીમમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ રાકેશભાઈને કારમાં બેસાડી અંબાજી તરફ જવાના બહાને લઈ ગયા હોવાની અને બાદમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવી છોછોર ગામે મૃતદેહ મૂકી કાર લઈને નાસી ગયા હતા ઝડપાયેલા આરોપીઓ 1. રવીભાનસિંહ કેવલિબહાદુર રાજપૂત, ઉંમર 30 વર્ષ 2. ભાવનાબેન ઉર્ફે ભાવનાબેન, ઉંમર 29 વર્ષ 3. ગીતાબેન ઉર્ફે મોહીનીબેન, ઉંમર 36 વર્ષ આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, PSI વી.બી. મેઘનાથી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
- બનાસકાંઠા: રાજસ્થાન સરકારના 'નો એન્ટ્રી' આદેશથી કંડલા હાઈવે પર ટ્રકોની માઈલો લાંબી કતારો મોટો નિર્ણય : રાજસ્થાનના શિરોહી-રેવદર-મંડાર નેશનલ હાઈવે (NH-168) પર સવારે ૭:૦૦ થી રાત્રે ૯:૦0 વાગ્યા સુધી (૧૪ કલાક) ભારે અને કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ.📍 બનાસકાંઠા પર અસર: રાજસ્થાનના આ આદેશને કારણે ગુજરાતના બનાસકાંઠામાંથી પસાર થતા કંડલા હાઈવે પર કિલોમીટરો સુધી ટ્રકો અને કન્ટેનરોની લાંબી લાઈનો લાગી ગઈ છે.📅 ક્યારથી લાગુ: આ નિયમ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી આગામી આદેશ સુધી અમલમાં મૂકવામાં આવ્યો છે.⚠️ પ્રતિબંધનું કારણ: હાઈવે પર ટોલ ટેક્સ નાબૂદ થયા બાદ વધતી જતી ટ્રાફિક સમસ્યા, અકસ્માતો અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિરોહી કલેક્ટરે આ આદેશ આપ્યો છે.🚛 ડ્રાઈવરોની હાલાકી: ૧૪ કલાક સુધી વાહનો થંભી જતાં હજારો ચાલકો ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ખાવા-પીવા જેવી પ્રાથમિક સુવિધાઓ વિના અટવાયા છે.💼 વેપારીઓની માંગ: બંને રાજ્યો વચ્ચે માલસામાનનું પરિવહન ખોરવાતા ટ્રાન્સપોર્ટરો દ્વારા વહેલી તકે વૈકલ્પિક રસ્તો આપવા અથવા સમય મર્યાદા ઘટાડવા માંગ કરાઈ રહી છે...3
- અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક...... અરવલ્લી માં ભારે વરસાદ થી નદીઓમાં ભારે પાણી ની આવક..મેઘરજ ના વૈડી ડેમ માં પાણી ની આવક..ડેમ માં ૨૯૧૩ ક્યુસેક પાણી ની આવક..ઉપરવાસ ના ભારે વરસાદ ના કારણે વૈડીડેમ ઓવરફ્લો ની તૈયારી માં..હાલ ડેમમાંથી ૩૭૬૧ ક્યુસેક પાણી ની જાવક..ડેમ ની મુખ્ય સપાટી ૧૯૯.૮૪ મીટર..2
- શામળાજી ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો; 3 આરોપી ઝડપાયા, ₹11.23 લાખનો મુદ્દામાલ કબજે — 7 ગુનાઓ ડિટેક્ટ થયાનો પોલીસનો દાવો શામળાજી ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો; 3 આરોપી ઝડપાયા, ₹11.23 લાખનો મુદ્દામાલ કબજે — 7 ગુનાઓ ડિટેક્ટ થયાનો પોલીસનો દાવો1
- મોડાસા ગાજણ ટોલ પ્લાઝા નજીક ફૌજી વિસામાનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા શામળાજી હાઇવે ગાજણ ટોલ પ્લાઝા નજીક ગાજણ સરદારસિંહ પરમાર ચાલીસ વર્ષ દેશ સેવા કરીને રિટાયડ થયા બાદ હાલ પોતાના માદરે વતન ગાજણ ટોલ પ્લાઝા નજીક અંબાજી જતા પદ યાત્રી ઓની સેવા કરવા ધાર્મિક વૃત્તિ ધરવાનાર સરદારસિંહ પરમાર &ફ્રેન્ડ્સ સર્કલ ધ્વરા ફૌજી વિસામા નુ આયોજન કર્તા તેમને મીડિયા માઁ જણાવ્યું કે પહેલા દેશ સેવા બાદ માઈ ભક્તો ની સેવા કરી મારું જીવન ધન્યતા અનુભવું છું. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006504
- અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા આમોદરા ગામે માનનીય વડા પ્રધાન નરેંદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવણી.. ભારત નાં લોક લાડીલા વડા પ્રધાન નરેદ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ ની ઉજવણી કરી... ધનસુરા તાલુકા નાં આમોદરા ગામ નાં સરપંચ કમલેશ ભાઈ તેમજ ભૂત પૂર્વ ભાજપ નાં પ્રમુખ રૂમાલ સિંહ તેમજ વડીલો તેમજ નાના બારકો દિવા પ્રગટાવી ને જન્મ દિવસ ઉજવણી કરી.1
- મેઘરજ ગામ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા ઊપર વાસ માં પડેલ વરસાદ ના લીધે ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે મેઘરજ ની વાત્રક નદી માં નવા નીર આવ્યા1
- અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા. અરવલ્લી જિલ્લાના મોડાસા ની મુલાકાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા.વડનગરથી વારાણસી જતાં બાઈક રેલીનો પ્રારંભ..ભાજપ કમલમ કાર્યાલય થી બાઈક પર સવાર થયા ભાજપ પ્રમુખ.માલપુર રૉડ પર ભાજપ દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી..પદયાત્રીઓ સાથે જગદીશ વિશ્વકર્મા એ વાતચીત કરી...4
- *સાબરકાંઠાના પોશીના ખાતે પાર્ટી કરવાના બહાને લઈ જઈ યુવકની હત્યા; પોશીના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા* અજાણ્યા મૃતદેહની ઓળખથી હત્યાનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી આરોપીઓ ઝડપાયા પોશીના, તા. 16 સપ્ટેમ્બર 2026: સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના છોછોર ગામની સીમમાંથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહના મામલે પોશીના પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, છોછોર ગામની સીમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવ્યા બાદ અ.મોતની નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા જાહેર પ્રસિદ્ધિ, CCTV કેમેરાની ચકાસણી અને ખાનગી હ્યુમન સોર્સ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહન અંગે માહિતી મળતાં ટેકનિકલ તપાસના આધારે મૃતકની ઓળખ સુધી પોલીસ પહોંચી હતી. ત્યારબાદ મૃતકના ભાઈ દિનેશકુમાર કાળાભાઈ પરમાર ઉર્ફે વાણાકરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ મુજબ રાકેશભાઈ કાળાભાઈ પરમારને પાર્ટી કરવાના બહાને લઈ જઈ ગળું દબાવી તથા માથાના ભાગે ઈજા કરી મોત નિપજાવ્યા બાદ છોછોર ગામની સીમમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓએ રાકેશભાઈને કારમાં બેસાડી અંબાજી તરફ જવાના બહાને લઈ ગયા હોવાની અને બાદમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તાર તરફ લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવી છોછોર ગામે મૃતદેહ મૂકી કાર લઈને નાસી ગયા હતા ઝડપાયેલા આરોપીઓ 1. રવીભાનસિંહ કેવલિબહાદુર રાજપૂત, ઉંમર 30 વર્ષ 2. ભાવનાબેન ઉર્ફે ભાવનાબેન, ઉંમર 29 વર્ષ 3. ગીતાબેન ઉર્ફે મોહીનીબેન, ઉંમર 36 વર્ષ આ ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સમગ્ર કામગીરી પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, PSI વી.બી. મેઘનાથી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*1