Shuru
Apke Nagar Ki App…
અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
VAISHALI
અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.2
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું1
- ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.1
- લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.4
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર 🅱️reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો1
- રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.4