ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ શરૂ નગરપાલિકા પ્રમુખ અને સદસ્યોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ શરૂ નગરપાલિકા પ્રમુખ અને સદસ્યોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ખેડબ્રહ્મા-અમદાવાદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો દ્વારા કુમકુમ તિલક અને ફુલહાર કરીને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા એસટી વિભાગને બે નવી બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતે કુલ 182 બસોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ખેડબ્રહ્મા ડેપોને આ બે બસો મળી છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા લીલી ઝંડી આપીને બસને રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ કેવલીયા, શ્રીમતી લતાબેન ભાવસાર અને બસ ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.4
- ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો1
- ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા માતાજીના ભક્તો દ્વારા પોતાના ઘરે કળશની શુભ મુહૂર્ત માં સ્થાપના કરવામાં આવેલ ભક્તિ અને શક્તિના સંગમ એવા ચૈત્રી નવરાત્રી શરૂઆત થતા જ મંદિરમાં પણ વિશેષ પૂજા કરવામાં આવતી હોય ત્યારે તારીખ 19 ને ગુરૂવારના રોજ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં ભક્તો દ્વારા માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવેલ1
- dtd.20.03.2026 राजस्थान में NH 62 हाइवे पर अकस्मात।ट्रक का एक्सीडेंट होने पर एंबुलेंस से जख्मी को सारवार हेतु हॉस्पिटल भेजा गया।2
- આંબાઘાટા ગામે સમી સાંજે રાત્રિ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદ નું આગમન થયું1
- ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા ભક્તો દ્વારા માતાજી ના કળશ ની કરવામાં આવેલ સ્થાપના ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા માતાજીના ભક્તો દ્વારા પોતાના ઘરે કળશની શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવેલ ભક્તિ અને શક્તિના સંગમ એવા ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતા જ મંદિરમાં પણ વિશેષ પુજા કરવામાં આવતી હોય ત્યારે તારીખ 19 ને ગુરુવારના રોજ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાં ભક્તો દ્વારા માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવેલ1
- વિજાપુરમાં ૧૭ વર્ષથી અવિરત ચાલતી રમજાનની હૃદયસ્પર્શી રોજદારોને રોઝા-ખોલાવવાની સેવા વિજાપુર, તા. [રમજાન મુજબ] : પવિત્ર રમજાન મહિનામાં રોજદાર ભાઈઓને રોજા ખોલાવવાનું કાર્ય ઇસ્લામમાં અતિ મહાન સવાબનું અને પુણ્યમય અમલ માનવામાં આવે છે. રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું છે કે, “જે વ્યક્તિ રોજદારને રોજો ખોલાવે તેને રોજદાર જેટલું જ સવાબ મળે છે, રોજદારના સવાબમાંથી કંઈ ઘટાડા વિના.”આ હદીસની રોશનીમાં વિજાપુરના ચક્કર વિસ્તારમાં આવેલ અર્શ ફ્લેટ ખાતેના નૂર ચાઇનીઝ ગામમાં છેલ્લા સત્તર વર્ષથી એક અતિ સુંદર, નિ:સ્વાર્થ તથા અવિરત સેવા ચાલી રહી છે. આ સ્થળે બહારગામથી આવેલા મુસાફરો, રોજદાર મજૂરો તથા આસપાસના વેપારી ભાઈઓ માટે રોજા ખોલાવવાની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવે છે. આ પવિત્ર પરંપરાની શરૂઆત મરહુમ ઇસામોદ્દીન કાજીએ કરી હતી. તેમના પુત્ર નિજામોંદ્દીન કાજીએ હૃદયથી જણાવ્યું કે, “પિતાશ્રીએ શરૂ કરેલી આ મહાન સેવાને અમે અત્યંત નિષ્ઠા અને ઈખ્લાસ સાથે આજે પણ ચાલુ રાખીએ છીએ. રમજાનના દરેક દિવસે અહીં રોજદાર ભાઈઓને તાજાં ફળફળદી, વિવિધ ફાસ્ટ ફૂડની વાનગીઓ અને મધુર લીંબુ શરબત વડે ઇફ્તાર કરાવવામાં આવે છે.” આ સેવામાં નિજામોંદ્દીન કાજીના મોટા ભાઈ સરફરાઝભાઈ કાજી, બચુભાઈ સહિત અનેક સ્વયંસેવકો રોજાના સમયે હાજર રહીને રોજદારોની આરામદાયક વ્યવસ્થા સંભાળે છે. આ કાર્ય દ્વારા માત્ર શારીરિક ભૂખ સંતોષાતી નથી, પરંતુ અલ્લાહના માર્ગમાં મોટા સવાબની કમાણી થાય છે; ભાઈચારો, સહાનુભૂતિ અને રમજાનની પવિત્ર ભાવના વધુ ગાઢ બને છે. સ્થાનિક લોકો અને રોજદાર ભાઈઓ આ અનોખી સેવાને હૃદયપૂર્વક આભાર માને છે અને તેને સમાજમાં એક અમર પરંપરા તરીકે ગણે છે. આવી નિ:સ્વાર્થ સેવાઓ રમજાનને વધુ આધ્યાત્મિક, માનવીય તથા સવાબથી ભરપૂર બનાવી રહી છે.1
- ખેડબ્રહ્મા ના હવામાનમાં અચાનક પલટો, પવન ફુકાયો કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં... સાબરકાંઠા- જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને વાતાવરણ બદલાયું છે.... ખેડબ્રહ્મા શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદ ના અમી છાંટણા થયા છે.... ખેડબ્રહ્મા શહેરમાં કમોસમી વરસાદ (માવઠું) ના છાંટા પડ્યા છે. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા બાદ ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ શરૂ થયો.... વરસાદથી ચણા, ધાણા અને ઘઉં જેવા પાકેલા પાકને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે.... લણણી સમયે આવેલા આ વરસાદથી શહેરી વિસ્તારના ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ આવી ગઈ છે.વઘુ વરસાદ પડે તો હાથ મા આવેલ કોળિયો છીનવાઇ જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતો માટે 'કડવો અને લીમડો' (મુશ્કેલી પર મુશ્કેલી) ની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ભારે ચિંતા થઈ રહી છે....3