અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તારમાં સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર વિશે સમજણ આપવાની સાથે, ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા શહેરી વિસ્તારમાં સ્થિત વિમલમાતા સ્કૂલ ખાતે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મચ્છરના જીવનચક્ર વિશે સમજણ આપવાની સાથે, ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા અને સાવચેતીના સંદેશને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
- લીંબડી શહેરમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) છેલ્લા ઘણા દિવસોથી પોતાની મનમાની ચલાવી રહી હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કાળજાળ ગરમી વચ્ચે દિવસ અને રાત્રિના સમયે પણ કલાકો સુધી વીજળી ગુલ કરી દેવામાં આવતી હોવાથી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અવારનવાર થતા વીજકાપને કારણે લીંબડી શહેરના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે, વીજળી ગુલ થતાં પ્રજા દ્વારા PGVCLના મોબાઈલ તેમજ લેન્ડલાઈન નંબર પર ફોન કરવામાં આવે ત્યારે ફોન પણ સાઈડમાં મૂકી દેવામાં આવતા હોવાના આક્ષેપો છે. લીંબડી શહેરના વાસીઓ દ્વારા એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે શહેર અંધારપટમાં ડૂબેલું દેખાય છે. અંધારપટના કારણે લીંબડીના યુવાનો જ્યારે PGVCL ઓફિસે પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ ટાળમટોળ કરીને ફોન ચાલુ હોવાનું જણાવ્યું હતું, પરંતુ યુવાનો દ્વારા તેમની વાતનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો હતો. PGVCL કચેરી તેમજ ઈજનેરને કોલ કરવા છતાં કોઈ રિસીવ કરતું નથી, અને અધિકારીઓ પોતાની કચેરીઓમાં લાઈટ ચાલુ રાખી મોજ માણી રહ્યા છે, જ્યારે પ્રજા ગરમીમાં પીસાઈ રહી છે. આવી સ્થિતિમાં, લીંબડી શહેરમાં સિવિલ હોસ્પિટલ પણ આવેલી હોવાથી, જો ગરમીના કારણે કોઈ પણ તકલીફ ઊભી થશે કે કોઈ હાનિ પહોંચશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પ્રજા પૂછી રહી છે. લોકોનો સ્પષ્ટપણે આક્ષેપ છે કે PGVCL પોતાની મનમાની આદરીને લીંબડી શહેરની પ્રજાને પરેશાન કરી રહ્યું છે.4
- આજ રોજ સાણંદ તાલુકાના બકરાણા ગામે પર્યાવરણની જાળવણી અને ગ્રીન વિલેજના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગામમાં અંદાજે ૭૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યક્રમનું સફળ આયોજન બકરાણા ગ્રામ પંચાયત અને સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે થયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન પણ કર્યું. પર્યાવરણ જાગૃતિના સંદેશાને વેગ આપવા માટે બકરાણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ મિત્રોએ પણ વૃક્ષારોપણમાં ખાસ હાજરી આપી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિં વાઘેલા, હોદ્દેદારો, મંડળીના સભ્યો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.4
- આજ ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે અત્યંત ગર્વનો દિવસ છે, જ્યાં INS દુનાગિરી, INS સંશોધક અને INS અગ્રેનું કમિશનિંગ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ કમિશનિંગ દેશની સતત વધતી જતી નૌકા ક્ષમતાઓ તેમજ આત્મનિર્ભર ભારતની શક્તિ અને પ્રગતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે.1
- સુરેન્દ્રનગર જિલ્લામાં બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કચોલીયા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો છે.1
- જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં થોડા દિવસો પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને યોગ્ય વળતર ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને કારણે વીજપોલ નાખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, અને આજરોજ જસદણ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.4
- લીંબડી પોલીસે ભલગામડા ગામે પરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 14 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹32,62,270નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, અને લીંબડીના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારની સૂચનાથી કરવામાં આવી હતી. લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. કોડિયાતર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. બારૈયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભલગામડા ગામે પરા વિસ્તારમાં આવેલી ઉતારાની ઓરડીમાં ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે રેડ દરમિયાન ₹52,270 રોકડા, ₹1,60,000ની કિંમતના 14 મોબાઈલ ફોન અને ₹30,50,000ની કિંમતના 4 વાહનો સહિત કુલ ₹32,62,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા તમામ 14 લોકો સામે જુગારધારા મુજબનો ગુન્હો નોંધીને તેમની ધોરણસરની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- અંજારના વરસામેડી વિસ્તારમાં જૂની અદાવતને કારણે હિંસક ઘટના બની હતી. આ હિંસક ઘટનામાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.1