દિયોદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...
દિયોદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ
કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...
- નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...2
- Post by Meladi Maa Chhoru1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏1
- પિલવાઈ બ્રહ્માણી માતાજીની વાડીમાં શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજના ૩૩મા સમૂહલગ્નમાં ૨૦ યુગલોના ભવ્ય લગ્ન, બ્રહ્માણી માતાજીના આશીર્વાદથી સપન્ન મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ ભુવનમાં, જ્યાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું પવિત્ર મંદિર આવેલું છે અને આ સ્થળ સમાજની વાડી તરીકે સમગ્ર પ્રજાપતિ સમાજમાં જાણીતું છે, ત્યાં સંવત ૨૦૮૨ના ફાગણ સુદ-૫ એટલે કે રવિવાર, તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ૩૩મો સમૂહલગ્નોત્સવ અત્યંત ભવ્ય, ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો. શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી આ પવિત્ર સ્થળે ૨૦ નવદંપતીઓએ એકસાથે પ્રભુતાના પગલાં પાડીને જીવનની નવી સફર શરૂ કરી, જેનાથી આખું વાતાવરણ હર્ષોલ્લાસ અને આશીર્વાદોથી ગુંજી ઊઠ્યું હતું. સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી અશોકભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ, કોલવડા), મંત્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિ (સ્ટેમ્પ વેન્ડર) તથા અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વર-કન્યાના માતા-પિતાની ઉપસ્થિતિમાં આયોજિત આ મહાપ્રસંગમાં સમાજના તમામ આગેવાનો, વડીલો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એક દિવસ અગાઉ શનિવાર, તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ગણેશ સ્થાપના અને ૮.૩૦ વાગ્યે ગ્રહશાંતિ વિધિથી થઈ હતી. મુખ્ય લગ્ન દિવસે સવારે ૭.૩૦ વાગ્યે જાન આગમન થયું અને સવારે નવ વાગ્યે હસ્ત મેળાપનો પવિત્ર પ્રસંગ શરૂ થયો. હસ્ત મેળાપનો આ પ્રસંગ અનેરો અને અવિસ્મરણીય રહ્યો. અલગ-અલગ ચોરીઓમાં વરપક્ષ અને કન્યાપક્ષના સગા-સંબંધીઓ, મિત્રો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક જ સમયે, વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ સાથે તમામ ૨૦ જોડીઓના લગ્ન વિધિ પાર પડી. દરેક ચોરી પર માતા-પિતાએ કન્યાદાનની પવિત્ર વિધિ કરી અને સમગ્ર સમાજ વચ્ચે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા. શંખનાદ, ઘંટડીઓના અવાજ અને “જય બ્રહ્માણી માતાજી”ના જયકારાઓથી આખું ભુવન ભક્તિ અને ઉમંગથી ભરાઈ ગયું હતું. સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલેલ ભોજન સમારંભમાં તાજા અને સ્વાદિષ્ટ વ્યંજનોની વિપુલ વ્યવસ્થા હતી. સમાજના સ્વયંસેવકોએ અત્યંત નિષ્ઠાપૂર્વક વ્યવસ્થા સંભાળી જેથી કોઈને કોઈ અગવડ ન પડી. વિશેષ કરીને વરિષ્ઠ સિનિયર સિટીઝન્સ, હેન્ડિકેપ્ડ વ્યક્તિઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો માટે અલગથી ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને પ્રાથમિકતા આપીને સેવા પૂરી પાડવામાં આવી, જેથી સમાજની સંવેદનશીલતા અને વડીલો પ્રત્યેના આદરનું સુંદર દર્શન થયું. બપોરે એકથી ચાર વાગ્યા સુધી ચાલેલ સત્કાર સમારંભના પ્રમુખ તરીકે નટવરભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી દક્ષાબેન, મહેન્દ્રભાઈ રામચંદ્ર પ્રજાપતિ તથા શ્રીમતી મંજુલાબેન (રોકડીયા, વરસોડા – હાલ સાયન્સ સીટી, અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીઓએ સ્વ. શ્રી રામચંદ્ર મુલચંદ્ર પ્રજાપતિ અને સ્વ. શ્રીમતી મેનાબેન રામચંદ્ર પ્રજાપતિની પવિત્ર સ્મૃતિમાં આ ઉદાર યોગદાન આપ્યું હતું. સત્કાર સમારંભના મુખ્ય મહેમાન તરીકે સુ. શ્રીમતી રેવાબેન ભુદરભાઈ પ્રજાપતિ, શ્રી વિપુલભાઈ પ્રજાપતિ તથા શ્રીમતી ભાવનાબેન અને તેમની પુત્રી કુ. રૂદ્રા (મુ. ચરાડા – હાલ ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમારોહ વધુ યાદગાર બન્યો હતો. આ પ્રસંગમાં એક વિશેષ અને પ્રેરણાદાયી ક્ષણ ત્યારે આવી જ્યારે સમાજના મંત્રીશ્રી શ્રી મુકુંદકુમાર પ્રજાપતિના પુત્ર પણ આ સમૂહલગ્નમાં જોડાયા અને અન્ય નવયુગલો સાથે પ્રભુતાના પગલાં પાડ્યા. આ જોડાણે સમગ્ર સમાજને મજબૂત સંદેશ આપ્યો કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક રીતે નબળા પરિવારો માટે જ નથી, પરંતુ તે સાદગી, સમાનતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે, જેને સમાજના દરેક વર્ગે અપનાવવું જોઈએ. સમારોહમાં લગ્નના ઉમંગ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સભ્યો, આગેવાનો અને મહેમાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને જીવનદાન આપ્યું. આ કેમ્પે લગ્ન પ્રસંગને વધુ પવિત્ર અને સમાજસેવાભર્યો બનાવ્યો.હતો આ સમૂહલગ્નોત્સવમાં સમાજમાં સમૂહ લગ્નના અનેક ફાયદાઓ સાક્ષાત્ થયા – આર્થિક બોજમાં ઘટાડો, સમાજની એકતા અને ભાઈચારો વધારો, સાદગી તથા પવિત્રતા જળવાઈ રહે, વડીલો અને વિશેષ જરૂરિયાતમંદોને સન્માન મળે અને નવદંપતીઓને આખા સમાજ તરફથી મજબૂત આશીર્વાદ મળે તેવા શુભ ઉદ્દેશ થી યોજવામાં આવે છે સાંજે ચાર વાગ્યે જાન વિદાય સાથે આ અણમોલ અવસર પૂર્ણ થયો. બ્રહ્માણી માતાજીના આશીર્વાદ અને સમાજના સહકારથી યોજાયેલ આ સમૂહલગ્નોત્સવ પ્રજાપતિ સમાજની એકતા, સેવાભાવના અને પરંપરાને નવી ઊંચાઈ આપી છે. નવદંપતીઓને સમગ્ર સમાજ તરફથી હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી1
- ઈડર હિંમતનગર હાઇવે રોડ ઉપરના નેત્રામલી નજીક લગ્ન પૂર્ણ કરી જાનૈયા સાથે પરત ફરી રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી અને ત્યારબાદ રોડ કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે લક્ઝરી બસમાં સવાર તમામ જાનૈયા સદનસીબે સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી1
- પોશીના તાલુકાના લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જઈ રહેલાં જીપડાલાએ લાંબડીયા પારસ વિદ્યાલય પેટ્રોલ પંપથી આગળ એકાએક પલટી મારતા દોડધામ મચી જવા પામેલ જોકે રોડ પર જીપડાલાએ પલટી મારતા સદનશીબે કોઈ જાનહાનિ ન થવા પામેલ ડાલામાં ભરીને લઈ જવાતા દરવાજા ઓને નુકસાન થતા અન્ય લોકોની મદદથી રોડ પર પલટી મારેલ જીપ ડાલાને ઉભું કરવામાં આવે1
- સાણંદમાં નિર્મિત ફ્લોરા ખાતે ગટર સમસ્યા મુદ્દે ભડક્યો જનરોષ – નગરપાલિકા અને ઔડા એકબીજાને દોષારોપણમાં વ્યસ્ત સાણંદ (અમદાવાદ ગ્રામ્ય): સાણંદ શહેરમાં વર્ષોથી ચાલતી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા હવે જનઆક્રોશમાં ફેરવાઈ ગઈ છે. નિર્મિત ફ્લોરા તથા આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગટરનાં ગંદા પાણીથી સ્થાનિકોની રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. નગરપાલિકા અને ઔડા (AUDA) એકબીજાને ખો આપી રહ્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે એથોરિટી દ્વારા એન.ઓ.સી. (NOC) આપવામાં આવતી નથી,જેના કારણે ગટરનું કામ આગળ વધારી શકાય તેમ નથી. જ્યારે બીજી તરફ ઔડા અને અન્ય વિભાગો જવાબદારી સ્વીકારવા તૈયાર નથી સ્થાનિક લોકોએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી. પરિણામે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને અંતે મહિલાઓ,બાળકો તથા વડીલો રોડ પર ઉતરી આવ્યા. મુખ્ય હાઈવે હોવાના કારણે ભારે વાહનવ્યવહાર સતત ચાલુ રહે છે. વાહનો પસાર થતા ગટરનું ગંદુ પાણી ઉછળે છે,જેના કારણે મહિલાઓના કપડાં બગડે છે, બાળકોને ભારે તકલીફ પડે છે અને આસપાસ રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ બન્ને સોસાયટીઓની વચ્ચે જ જૈન તીર્થ આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર આગળ જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી દુર્ગંધથી દર્શનાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. મંદિરના પ્રાંગણ સુધી ગંદુ પાણી ફરી વળતા ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ગટરનાં ગંદા પાણીનો કાયમી નિવારણ નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “નગરપાલિકા હાઈ હાઈ” અને “ઔડા હાઈ હાઈ”ના નારા લગાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. હવે જોવું રહ્યું કે જવાબદારી ટાળવામાં વ્યસ્ત તંત્ર ક્યારે જાગે છે અને સાણંદના નાગરિકોને આ ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે છે કે નહીં.4
- સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે. ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે. સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે. લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.1