Shuru
Apke Nagar Ki App…
આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏 આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏
VADGAM SAMACHAR PUSHKAR Goswam
આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏 આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏
More news from ગુજરાત and nearby areas
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏1
- સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવી મહોર અને જૂની મહોર ગામના ઠાકોર સમાજે મોંઘવારી અને વધતા સામાજિક ખર્ચાઓ સામે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. સમાજના અગ્રણીઓ અને ગ્રામજનોની બેઠકમાં સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોને રોકવા માટે સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ગામના આગેવાનોનું માનવું છે કે પ્રસંગોમાં વધતા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવામાં ફસાઈ રહ્યા છે, જેનાથી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજે સાદગીપૂર્ણ ઉજવણી તરફ પગલું ભર્યું છે. ઠાકોર દશરથજી ડાયાજીએ જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં દેખાદેખી અને ખોટા ભપકાને કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડતી હતી. આથી સમાજની બેઠકમાં નક્કી કરાયું છે કે હવેથી કોઈ પણ પ્રસંગમાં અતિશય ખર્ચ કે ભવ્યતા દર્શાવવાની સ્પર્ધા નહીં થાય અને સાદગીપૂર્ણ ઉજવણીને પ્રાથમિકતા અપાશે. સમાજ દ્વારા લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં મરણ પ્રસંગનો સમાવેશ થાય છે. મૃત્યુ બાદ યોજાતા બારમાના જમણવારમાં મિષ્ટાન્ન અને પકવાન પીરસવાની પરંપરા બંધ કરીને હવેથી માત્ર ખીચડી અને કઢી જ પીરસવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે અને સામાજિક સમાનતા જળવાશે. લગ્ન પ્રસંગોમાં થતા લાખોના ખર્ચને નિયંત્રિત કરવા માટે સમાજે વરરાજાની જાનમાં ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ, દીકરીના લગ્નમાં સામે પક્ષે આવતી જાનમાં પણ ડીજે લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણયથી લગ્ન પ્રસંગોમાં થતો ઘોંઘાટ ઘટશે તેમજ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. સમાજે અન્ય પ્રસંગોમાં પણ મર્યાદિત ખર્ચ રાખવાનો સંકલ્પ કર્યો છે. હોળીના તહેવાર દરમિયાન ઉજવાતા ઢુંઢ પ્રસંગને મર્યાદિત રીતે ઉજવવો, સગર્ભા સ્ત્રીના ખોળો ભરાવવાના પ્રસંગને પારિવારિક રાખીને સાદગીથી ઉજવવો અને વિવિધ ધાર્મિક વ્રતોના અંતે થતા ભવ્ય આયોજનોમાં બિનજરૂરી ખર્ચ ટાળવો સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડીજે, આતશબાજી અને ભારે જમણવારમાં થતા ખર્ચની બચત હવે બાળકોના શિક્ષણ, પરિવારના સ્વાસ્થ્ય અને સામાજિક વિકાસ માટે ઉપયોગી બનશે. સમાજના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને અન્ય ગામો માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.1
- ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.1
- ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.1
- ખેરોજ થી લાંબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલી વેઠ1
- હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી1
- शराब सप्लाई करने का यह तरीका तो AI भी नहीं बता सकता था।🤣🤣 बिहारी सारी दुनियां पर भारी — जुगाड़ में इनका कोई तोड़ नहीं हैं😆😆1
- વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.1