logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાટણ જિલ્લાના રાધનપુર–સમી હાઇવે પર એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી ઇકો કારને એક ટ્રેલરે પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત ઇકો ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

12 hrs ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
12 hrs ago

પાટણ જિલ્લાના રાધનપુર–સમી હાઇવે પર એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી ઇકો કારને એક ટ્રેલરે પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્ત ઇકો ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • પાટણના રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    1
    પાટણના રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કૃષિ-સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ત્રિવિધ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં UGVCLની ચોથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં જલીયાણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના બાકી વીજ બિલ ભરીને એક ઉત્કૃષ્ટ અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. વીજ બિલ બાકી હોવાના કારણે જે ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, તેમના બાકી નાણાં લોક અદાલતના માધ્યમથી ચૂકવીને જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર અને નિલેશભાઈ ઠક્કર દ્વારા આ પરિવારોના ઘરોમાં ફરી અજવાળું પાથરવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. હારીજ કોર્ટ ખાતે યોજાયેલી આ ચોથી લોક અદાલત અંતર્ગત કુલ ૧૪૩ ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી હાજર રહેલા ૬૦ ગ્રાહકો સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરીને તેમના રૂ. ૧.૪૩ લાખના બાકી નાણાં જલીયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લાંબા સમયથી બિલ ન ભરી શકતા ગ્રાહકો પર વ્યાજ અને પેનલ્ટીનો મોજ વધી જાય છે અને UGVCL દ્વારા કેસ તથા નોટિસો જારી કરાય છે, ત્યારે દર ત્રણ મહિને યોજાતી આ લોક અદાલતમાં સમાધાન પ્રક્રિયા દ્વારા દંડ અને પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપવામાં આવે છે. જલીયાણ ગ્રુપ દ્વારા આ અગાઉ યોજાયેલી ત્રણેય લોક અદાલતોમાં પણ આ જ પ્રકારે ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. અગાઉ ૧૧ જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૬૦ ગ્રાહકોના રૂ. ૧.૪૦ લાખ, ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અદાલતમાં ૪૧ વીજ ગ્રાહકોના રૂ. ૩.૬૦ લાખ અને ૧૩ ડિસેમ્બરના રોજ ૯ ગ્રાહકોના રૂ. ૨૫ હજાર ચૂકવવામાં આવ્યા હતા. આમ, ચોથી લોક અદાલતના રૂ. ૧.૪૩ લાખ સહિત ચારેય તબક્કામાં કુલ મળીને અંદાજે રૂ. ૮ લાખ જેટલી માતબર રકમ ચૂકવીને જરૂરિયાતવાળા પરિવારોના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.
    4
    પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં UGVCLની ચોથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં જલીયાણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના બાકી વીજ બિલ ભરીને એક ઉત્કૃષ્ટ અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. વીજ બિલ બાકી હોવાના કારણે જે ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, તેમના બાકી નાણાં લોક અદાલતના માધ્યમથી ચૂકવીને જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર અને નિલેશભાઈ ઠક્કર દ્વારા આ પરિવારોના ઘરોમાં ફરી અજવાળું પાથરવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે.

હારીજ કોર્ટ ખાતે યોજાયેલી આ ચોથી લોક અદાલત અંતર્ગત કુલ ૧૪૩ ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી હાજર રહેલા ૬૦ ગ્રાહકો સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરીને તેમના રૂ. ૧.૪૩ લાખના બાકી નાણાં જલીયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લાંબા સમયથી બિલ ન ભરી શકતા ગ્રાહકો પર વ્યાજ અને પેનલ્ટીનો મોજ વધી જાય છે અને UGVCL દ્વારા કેસ તથા નોટિસો જારી કરાય છે, ત્યારે દર ત્રણ મહિને યોજાતી આ લોક અદાલતમાં સમાધાન પ્રક્રિયા દ્વારા દંડ અને પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપવામાં આવે છે.

જલીયાણ ગ્રુપ દ્વારા આ અગાઉ યોજાયેલી ત્રણેય લોક અદાલતોમાં પણ આ જ પ્રકારે ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. અગાઉ ૧૧ જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૬૦ ગ્રાહકોના રૂ. ૧.૪૦ લાખ, ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અદાલતમાં ૪૧ વીજ ગ્રાહકોના રૂ. ૩.૬૦ લાખ અને ૧૩ ડિસેમ્બરના રોજ ૯ ગ્રાહકોના રૂ. ૨૫ હજાર ચૂકવવામાં આવ્યા હતા. આમ, ચોથી લોક અદાલતના રૂ. ૧.૪૩ લાખ સહિત ચારેય તબક્કામાં કુલ મળીને અંદાજે રૂ. ૮ લાખ જેટલી માતબર રકમ ચૂકવીને જરૂરિયાતવાળા પરિવારોના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
    4
    બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે.

આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • ગુજરાત સરકાર દ્વારા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડનારા વિદ્યાર્થીઓ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા ઉદ્દેશ સાથે 'બેક ટુ સ્કૂલ મિશન' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજતાથી વાતચીત કરીને તેમના અભ્યાસ, શાળા છોડવાના કારણો અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે દેશનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ, જેના માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી પહેલો શરૂ કરવામાં આવી હતી. હવે શિક્ષકોની જવાબદારી માત્ર ભણાવવાની નથી, પરંતુ શાળા છોડનારા બાળકોને શોધીને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાની પણ છે. આ પ્રસંગે ધોરણ-૧૦માં અભ્યાસ છોડ્યા બાદ શિક્ષકોના સમજાવવાથી ફરી અભ્યાસ શરૂ કરી બોર્ડની પરીક્ષા પાસ કરનારી સુહાની નામની દીકરીએ જણાવ્યું કે મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 'બેક ટુ સ્કૂલ મિશન' હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં કુલ ૩૭,૪૧૫ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી કુલ ૨૯,૪૫૧ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે, જેમાં ૧૪,૮૭૫ કુમારો અને ૧૪,૫૭૬ કન્યાઓ સામેલ છે. પુનઃપ્રવેશ મેળવનારા બાળકોમાંથી ૨૩,૦૩૨ વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે ૬,૩૬૮ વિદ્યાર્થીઓને નિયમિત શાળાઓમાં પુનઃપ્રવેશ આપવામાં આવ્યો છે.
    4
    ગુજરાત સરકાર દ્વારા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડનારા વિદ્યાર્થીઓ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા ઉદ્દેશ સાથે 'બેક ટુ સ્કૂલ મિશન' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજતાથી વાતચીત કરીને તેમના અભ્યાસ, શાળા છોડવાના કારણો અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીએ ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે દેશનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ, જેના માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી પહેલો શરૂ કરવામાં આવી હતી. હવે શિક્ષકોની જવાબદારી માત્ર ભણાવવાની નથી, પરંતુ શાળા છોડનારા બાળકોને શોધીને ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાની પણ છે. આ પ્રસંગે ધોરણ-૧૦માં અભ્યાસ છોડ્યા બાદ શિક્ષકોના સમજાવવાથી ફરી અભ્યાસ શરૂ કરી બોર્ડની પરીક્ષા પાસ કરનારી સુહાની નામની દીકરીએ જણાવ્યું કે મુખ્યમંત્રી સાથેની વાતચીત બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં 'બેક ટુ સ્કૂલ મિશન' હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં કુલ ૩૭,૪૧૫ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી કુલ ૨૯,૪૫૧ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે, જેમાં ૧૪,૮૭૫ કુમારો અને ૧૪,૫૭૬ કન્યાઓ સામેલ છે. પુનઃપ્રવેશ મેળવનારા બાળકોમાંથી ૨૩,૦૩૨ વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે ૬,૩૬૮ વિદ્યાર્થીઓને નિયમિત શાળાઓમાં પુનઃપ્રવેશ આપવામાં આવ્યો છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • દિયોદર તાલુકાના ઈસરવા નજીક પુરપાટ ઝડપે જતી એક કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો આ યુવક દિયોદર તાલુકાના મેસરા ગામનો રહેવાસી અને નાગજીભાઈ ભુવાજીનો દીકરો હતો. તે પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્પીડ વધુ હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    1
    દિયોદર તાલુકાના ઈસરવા નજીક પુરપાટ ઝડપે જતી એક કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માતનો ભોગ બનેલો આ યુવક દિયોદર તાલુકાના મેસરા ગામનો રહેવાસી અને નાગજીભાઈ ભુવાજીનો દીકરો હતો. તે પોતાની ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સ્પીડ વધુ હોવાને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માત સર્જાતા જ આસપાસથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Farmer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.