સયાજીગંજ પોલીસ સ્ટેશન ફતેગંજ કમાટીપુરા વિસ્તાર માં ઇદ તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ વડોદરા: આગામી પવિત્ર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા ફતેગંજ અને કમાટીપુરા જેવા વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે આ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કમાટીપુરા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે રૂટ માર્ચ કરવામાં આવી. તહેવારની ઉજવણી ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવા પોલીસે સ્થાનિકોને અપીલ કરી. શંકાસ્પદ ઈસમો અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસના આ પગલાથી વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની અહેસાસ અનુભવાયો છે અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સતત એલર્ટ મોડ પર રહેશે. કેમેરામેન અસરૂદ્દીન સૈયદ સાથે રિપોર્ટર સૈયદ ફુરકાન FM GUJARAT NEWS વડોદરા
સયાજીગંજ પોલીસ સ્ટેશન ફતેગંજ કમાટીપુરા વિસ્તાર માં ઇદ તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ વડોદરા: આગામી પવિત્ર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા ફતેગંજ અને કમાટીપુરા જેવા વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે આ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કમાટીપુરા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે રૂટ માર્ચ કરવામાં આવી. તહેવારની ઉજવણી ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવા પોલીસે સ્થાનિકોને અપીલ કરી. શંકાસ્પદ ઈસમો અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસના આ પગલાથી વિસ્તારના નાગરિકોમાં સુરક્ષાની અહેસાસ અનુભવાયો છે અને તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સતત એલર્ટ મોડ પર રહેશે. કેમેરામેન અસરૂદ્દીન સૈયદ સાથે રિપોર્ટર સૈયદ ફુરકાન FM GUJARAT NEWS વડોદરા
- राहुल गांधी पागल है, पागल था, वो पागल ही रहेगा..."- हिमंता बिस्वा सरमा1
- ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા ઈદ-એ-મિલાદ નિમિત્તે તરસાલીમાં ભવ્ય શોભાયાત્રા, સેવાભાવી ગ્રુપોએ કરી ઠંડા પીણા-નાસ્તાની સેવા વડોદરા શહેરના તરસાલી આદેશનગર ખાતે પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા તરસાલી ગામ સ્થિત હઝરત સૈયદ રહેમાનશાહ બાવા દરગાહ ખાતે પહોંચી હતી. આ દરમિયાન નૂરે અલી ફ્રેન્ડ સર્કલ ગ્રુપ તેમજ ઇમામ અલી રજા ગ્રુપ દ્વારા સેવાભાવે જ્યુસ, શરબત, પાણી, નાસ્તો, બદામ શેક સહિતની વિવિધ વસ્તુઓનું વિતરણ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી.1
- સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.1
- વડોદરા શહેરના યાકુતપુરા થી મદાર મોહલ્લા સુધી ઈદે મિલાદુન નબી પર્વને લયે રોડ રસ્તા સંઘારવામાં આવ્યા4
- ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત1
- આજ રોજ 112 પોલીસ ની ગાડી નુ ઉજગાટન હર્ષભાઈ સંઘવી સાહેબ ના હાથે કરવામા આવ્યુ...500 નવી ગાડી1
- જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.1
- ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ *વધતી મોંઘવારી સામે AAPનો અનોખો વિરોધ, સામાન્ય લોકોને રાહત આપવા સરકાર પાસે માંગ* *ખાંડ મોંઘી થતાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું, AAPએ વટવામાં સરકાર સામે ઉઠાવ્યો અવાજ* *મોંઘવારી કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ,ખાંડ વહેંચીને AAP કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ* *અમદાવાદ/ગુજરાત* અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નિશાંત ઠક્કર અને જતીન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી AAPએ તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા અને સામાન્ય લોકોને રાહત આપવા માંગ કરી હતી. AAP ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ખાંડ જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી આવશ્યક ચીજવસ્તુના ભાવમાં સતત વધારો સામાન્ય પરિવાર માટે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા મોંઘવારીના મુદ્દે માત્ર નિવેદનો આપવાને બદલે ભાવ નિયંત્રણ માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વટવા વિસ્તારમાં કરવામાં આવેલા આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા AAPએ સરકારનું ધ્યાન સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો અને જો મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવવામાં આવે તો જનહિતના મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી.1