Shuru
Apke Nagar Ki App…
ખેડા જિલ્લા પંચાયત નડીઆદ ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની પગાર વેતન વધારાની માંગ અંગે ઉગ્ર આંદોલન
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
ખેડા જિલ્લા પંચાયત નડીઆદ ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની પગાર વેતન વધારાની માંગ અંગે ઉગ્ર આંદોલન
More news from Kheda and nearby areas
- બાલાસિનોર એસ.ટી.ડેપોથી નવિન બસોનુ લોકાર્પણ માન. ધારાસભ્યશ્રી, માનસિંહ કે ચૌહાણ, ૧૨૧ બાલાસિનોર વિધાનસભા, તથા પ્રમુખશ્રી ગાયત્રીબેન જે. ત્રિવેદી, (ન.પા.બાલાસિનોરનાઓના પ્રતિનિધિ) તથા ભા.જ.પા. કાર્યકરોના વરદ્દ હસ્તે થવા પામેલ. આજ રોજ તા.૨૦/૦૩/૨૦૨૬ના રોજ બાલાસિનોર ડેપો ખાતે એસ.ટી.નિગમ ધ્વારા નવી ફાળવવામાં આવેલ ૨(બે) બસો હાલમાં બાલાસિનોર ડેપો ખાતેથી સંચાલિત થતા શિડયુલ ૧૮(અઢાર) માટે બંન્ને બસ બાલાસિનોર-લીમડી-ગારીયાધાર એક્ષપ્રેસ રૂટ ઉપર ફાળવવામાં આવેલ છે. તેમજ એક્ષપ્રેસ રૂટ ઉપર નવીન ૨(બે) બસો મુસાફરો માટે દોડશે જેથી પ્રવાસી મુસાફરોની સુવિધામાં વધારો થશે. આજે નવિન બસોનું લોકાર્પણ બાલાસિનોર ડેપો ખાતેથી બાલાસિનોર ૧૨૧ મત વિસ્તારના માનનિય ધારાસભ્યશ્રી, માનસિંહ કે ચૌહાણ, તથા નગર પાલિકાના પ્રમુખ શ્રી ગાયત્રીબેન જે. ત્રિવેદીના પ્રતિનિધી તેમજ કા.અધ્યક્ષશ્રી પરસોત્તમદાસ કટારિયા તેમજ નગર પાલિકાના કાઉન્સીલરો, તાલુકા ભાજપા સંગઠનના કાર્યકર્તાઓ તેમજ એસ.ટી.ડેપો મેનેજરશ્રી કૌશિક આર.પટેલ તેમજ એસ.ટી. ડેપોના તમામ સુપરવાઈઝરગણ અને કર્મચારીગણ અને એસ.ટી.માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિનાઓ તેમજ પ્રવાસી મુસાફરો હાજર રહી ઉપસ્થિત મહાનુભાવોનું શ્રી અશ્વિનભાઇ કે. ચૌહાણ જુ.આસી. ધ્વારા શાબ્દીક પ્રવચનથી સ્વાગત કરેલ. આ અવસરે માન્ય ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવી બસો ઉમેરાતા પરિવહન સેવાઓમાં ગુણવત્તા તથા સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થશે. અંતે શ્રી કૌશિક આર પટેલ, ડેપો મેનેજરશ્રી દ્રારા હાજર રહેલ તમામ મહાનુભાવો તથા સર્વે પદાઅધિકારીઓ અને એસ.ટી.પરિવારના તમામનો આભાર વ્યકત કરી સર્વે ટીમ સહિત એસ.ટી.બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતુ.3
- Post by Gautam Patel1
- Post by मोहम्मद शफी अंसारी सुल्तानी4
- પરી સ્કેચ સાથે સ્ટેડિયમે ઉભી રહી પણ ફેવરિટ ક્રિકેટરને મળી શકી નહીં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને મળવાની ઈચ્છા ધરાવતી 15 વર્ષની પરી પટેલે સૂર્ય કુમાર અને હાર્દિક પંડ્યાનો સ્કેચ બનાવ્યો હતો. તેણે મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્યુરિટીના કારણે તે કોઈ ખેલાડીને મળી શકી ન હતી. હનુમાન મંદિરે પ્રાર્થના કરી ને બીજી જ મિનિટે હાર્દિક-સૂર્યા સામે દેખાયા ત્યાર બાદ પરી પટેલ નિરાશ થઈને મોદી સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી મંદિરે ભગવાનને એ સ્કેચ બતાવવા માટે પહોંચી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારે હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને મળવું છે. જાણે હનુમાન દાદાએ કોઈ ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો બીજી જ મિનિટે જોવા મળ્યા. સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધો પરી પટેલ સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના ત્રણ સ્કેચ લઈને મંદિરમાં ઉભી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પરીના હાથમાં સ્કેચ જોઈને સૂર્યકૂમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખુશ થઈને તેને મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્કેચ પર તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. ઓટોગ્રાફ લીધા બાદ પરી બીજા દિવસે ફરી હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે સ્કેચ લઈને પહોંચી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પરી પટેલે જણાવ્યું હતું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત વર્લ્ડકપ જીતી ગયું, તેથી મને ખૂબ જ આનંદ થયો.1
- Post by Patel nil bhai1
- प्रेस नोट दिनांक: 20 मार्च 2026 स्थान: अहमदाबाद, गुजरात गीता मंदिर आरोग्य भवन, अहमदाबाद में हजारों आंगनवाड़ी कार्यकर्ताओं का जोरदार प्रदर्शन गुजरात हाईकोर्ट के आदेश की अनुपालन की मांग, अनुपालन न होने पर गांधीनगर में मुख्यमंत्री कार्यालय घेराव की चेतावनी अहमदाबाद के गीता मंदिर आरोग्य भवन परिसर में आज हजारों की संख्या में आंगनवाड़ी कार्यकर्ताओं (बहनों) ने एकजुट होकर जोरदार प्रदर्शन किया। इस आंदोलन में रूपाबेन जासी बहन, नेहा बहन, संगीता बहन सहित बड़ी संख्या में आंगनवाड़ी सेविकाएं और सहायिकाएं शामिल हुईं। महिलाओं ने गुजरात सरकार से तत्काल गुजरात उच्च न्यायालय के हालिया आदेश का पूर्ण अनुपालन करने की मांग की, जिसमें आंगनवाड़ी कार्यकर्ताओं को न्यूनतम मासिक वेतन 24,800 रुपये और सहायिकाओं को 20,300 रुपये करने का निर्देश दिया गया है (प्रभावी तिथि 1 अप्रैल 2025 से)। प्रदर्शन के दौरान महिलाओं ने एक सुर में नारे लगाए और कहा कि वे वर्षों से कम मानदेय पर कार्यरत हैं, जो उनके परिवार की जीविका के लिए अपर्याप्त है। उन्होंने हाईकोर्ट के फैसले को लागू न करने पर सरकार की कड़ी निंदा की और चेतावनी दी कि यदि गुजरात सरकार जल्द से जल्द इस आदेश का पालन नहीं करती, तो वे बड़े स्तर पर आंदोलन तेज करेंगी और गांधीनगर में मुख्यमंत्री भूपेंद्र पटेल जी के कार्यालय का घेराव करेंगी। इस प्रदर्शन में डीवाईएफआई (DYFI) अहमदाबाद के प्रेसिडेंट फैसल अली सिद्दीकी भी शामिल हुए और आंगनवाड़ी बहनों का पूर्ण समर्थन जताया। उन्होंने कहा, "आंगनवाड़ी कार्यकर्ताएं समाज की रीढ़ हैं। वे बच्चों के पोषण, शिक्षा और स्वास्थ्य के लिए दिन-रात मेहनत करती हैं, लेकिन उन्हें उचित सम्मान और वेतन नहीं मिल रहा। हाईकोर्ट का आदेश स्पष्ट है – सरकार को इसे तुरंत लागू करना चाहिए। हम इन बहनों के साथ कंधे से कंधा मिलाकर लड़ेंगे।" मुख्य मांगें: गुजरात हाईकोर्ट के आदेश के अनुसार आंगनवाड़ी कार्यकर्ताओं और सहायिकाओं का वेतन तत्काल बढ़ाया जाए। बकाया राशि का भुगतान किया जाए। आंगनवाड़ी कार्यकर्ताओं को सरकारी कर्मचारियों के समान दर्जा और सुविधाएं प्रदान की जाएं। किसी भी प्रकार की दमनकारी कार्रवाई न की जाए। प्रदर्शन शांतिपूर्ण और अनुशासित रहा। महिलाओं ने स्पष्ट किया कि यह संघर्ष निष्पक्ष और संवैधानिक है, तथा वे न्याय के लिए लड़ रही हैं। यदि मांगें पूरी नहीं हुईं, तो आंदोलन को और तेज किया जाएगा।1
- દાહોદ:લીમખેડાના પ્રતાપુરામાં 17 વર્ષીય સગીરની જાન પરણવા જાય તે પહેલાં અટકાવાઈ બાતમીના આધારે વહેલી સવારે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગે સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા; વર-કન્યા પક્ષને કાયદાકીય સમજ આપી જાન રવાના થતા રોકી લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આજે વહેલી સવારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખૂબ જ સમયસૂચકતા પૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે. એક 17 વર્ષીય સગીર યુવકની જાન મહીસાગર જિલ્લામાં પરણવા માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં જ હતી, તે પૂર્વે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસની ટીમે આકસ્મિક સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા હતા. તંત્રની આ તાત્કાલિક અને સફળ કાર્યવાહીને પગલે સગીર વયે થતા લગ્નની કુપ્રથા રોકવામાં સફળતા મળી છે. ઘટનાની વિગતવાર માહિતી મુજબ, લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતા એક પરિવારના આશરે 17 વર્ષના સગીર પુત્રના લગ્ન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે નક્કી કરવામાં આવ્યા હતા. સગીર વરરાજાની જાન ધનજીભાઈ જીવાભાઈ રાવળની દીકરી નીલમકુમારી સાથે પરણવા માટે આજે તારીખ 20/03/2026 ના રોજ વહેલી સવારે ઘરેથી રવાના થવાની હતી. જાન નીકળવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, વાહનો તૈયાર હતા અને પરિવારજનોમાં લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જોકે, આ બાળ લગ્ન અંગેની ગુપ્ત ફરિયાદ અગાઉના દિવસે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, દાહોદની કચેરીને મળી હતી. ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વહેલી સવારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20મી માર્ચની વહેલી સવારે જ્યારે જાન પ્રતાપુરા ગામથી સીમલીયા જવા રવાના થવાની તૈયારીમાં જ હતી, ત્યારે જ લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સંયુક્ત ટીમે ગામમાં આકસ્મિક રીતે પહોંચીને સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વરરાજાના જરૂરી દસ્તાવેજો ચકાસતા તેની ઉંમર લગ્ન માટેની કાયદેસરની 21 વર્ષની વય કરતા ઓછી એટલે કે 17 વર્ષ માલુમ પડી હતી. જાન ઘરેથી નીકળે તે પૂર્વે જ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. ટીમ દ્વારા બંને પક્ષોને 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006' ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સગીર વયે લગ્ન કરવા એ કાયદાકીય ગુનો હોવાનું અને તેમાં થતી સજાની જોગવાઈઓ સમજાવતા પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિણામે, કાયદાના આદર સાથે જાન રવાના થતા પહેલા જ અટકાવી દેવામાં આવી હતી. આ મહત્વની કામગીરીમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીથી ચીફ પ્રોબેશન અધિકારી આર.પી. ખાટા, તાલુકા સહાયક વિક્રમભાઈ ચારેલ, વિજયભાઈ ભાભોર અને પરેશભાઈ મકવાણા જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.કે. તાવિયાડ, પ્રોટેક્શન અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) આર.પી. ભુરીયા તથા એન.બી. બરજોડ અને લીમખેડા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ પ્રશંસનીય અને જરૂરી કામગીરી કરવામાં આવી હતી. તંત્રની આ કામગીરીથી સમગ્ર પંથકમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિનો સંદેશ ફેલાયો છે. તસ્વીર -: દિપક રાવલ દાહોદ1
- ખેડા જિલ્લા પંચાયત નડીઆદ ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની પગાર વેતન વધારાની માંગ અંગે ઉગ્ર આંદોલન4