logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

4 hrs ago
user_Ibrahim Turk
Ibrahim Turk
Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
4 hrs ago

મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મુંદરામાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભવ્ય ઉજવણી: શાનદાર જુલૂસ નીકળ્યું, અમન-શાંતિ માટે દુઆ માંગવામાં આવી


ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના પાવન જન્મદિન નિમિત્તે મુંદરા શહેરમાં ‘જશને ઈદે મિલાદુન્નબી’ની ભારે ઉત્સાહ, શ્રદ્ધા અને અકીદત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મુબારક પ્રસંગે તબેલા ગ્રાઉન્ડ ખાતેથી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો, જે હસન પીર બઝાર, માંડવી ચોક, મેઈન બઝાર અને નદી વાળા નાકા થઈને બુખારી પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે પહોંચી સંપન્ન થયું હતું. સમગ્ર રૂટ દરમિયાન નાત શરીફ તેમજ “સરકાર કી આમદ... મરહબા”ના પવિત્ર નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
​બુખારી પીર દરગાહ શરીફ ખાતે પીર સૈયદ રઝા મોહમ્મદ રઝા મંજૂર હુસૈન દ્વારા વિશેષ તકરીર (ધાર્મિક પ્રવચન) ફરમાવવામાં આવી હતી અને દેશ તથા દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી.
​આ ભવ્ય જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે હુસૈની ફ્રેન્ડ્સ ગ્રુપ, મુંદરા તાલુકા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ અખિલ કચ્છ સમેજા-થેબા સમાજના ઉપપ્રમુખ સમેજા હુશેન સુલતાનભાઈ (સાડાઉં), મુંદરા શહેર મેમણ સમાજના પ્રમુખ રજાકભાઈ મેમણ, મુંદરા શહેર ધોબી સમાજના પ્રમુખ જાવેદભાઈ ધોબી તેમજ ભાવિક શાહ, નદીમ માંજોઠી, આસિફ માંજોઠી, નફીસ માંજોઠી, મતીન માંજોઠી, CA અમન માંજોઠી, મોહમ્મદ સફી માંજોઠી અને સમીર માંજોઠી સહિતના સામાજિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Ibrahim Turk
    Ibrahim Turk
    Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
  • અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    1
    અંજારમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો
અંજારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
રેલી/જુલૂસ દરમિયાન મોટી સંખ્યામાં લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુલૂસ દરમિયાન નાના બાળકો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન અંજારમાં સમગ્ર વાતાવરણમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
    user_VAISHALI
    VAISHALI
    Social worker અંજાર, કચ્છ, ગુજરાત•
    1 hr ago
  • ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી: 18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે. 15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે. 73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા: મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી. રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.
    1
    ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી
ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે.
ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે.
મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી:
18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે.
15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે.
73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે.
2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે.
ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા:
મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી.
રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર ભુજ, કચ્છ, ગુજરાત•
    11 hrs ago
  • મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    1
    મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
મોરબીમાં ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી  મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નું આયોજન શહેરના રાજમાર્ગો પર વિશાળ સંખ્યામાં જુલુસ નીકળ્યું સરકાર કી આમદ મરહબા નાં નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પોલીસ તંત્ર દ્વારા જુલુસ ને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • 🌧️ જ્યાં સુધી વરસાદ નહીં થાય, ત્યાં સુધી નહીં જાઉં! ડૉ. કમલ નારાયણજી આચાર્યની ઘોષણા | કચ્છ વર્ષા મહાયજ્ઞ પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે પાંચમો દિવસ છે. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર યજ્ઞાહુતિથી સમગ્ર યજ્ઞસ્થળ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યું છે. આ પ્રસંગે ડોક્ટર કમલ નારાયણજી આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં રોકાઈને વરસાદ માટેના ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞના પ્રયાસો ચાલુ રાખશે. મહાયજ્ઞમાં કચ્છમાં સારો વરસાદ થાય, ધરતી હરિયાળી બને, પશુધનને પૂરતો ચારો અને પાણી મળે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી ઈશ્વરચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, અનાજ, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિત વિવિધ પવિત્ર સામગ્રીની આહુતિ આપવામાં આવી રહી છે. કચ્છના વિવિધ ગામો અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી યજ્ઞાહુતિ આપી રહ્યા છે. “વરસાદ આવે, ધરતી ધન્ય બને અને જીવમાત્રનું કલ્યાણ થાય” તેવી પવિત્ર ભાવના સાથે જીવ કલ્યાણ સમિતિ દ્વારા સૌ કચ્છવાસીઓને આ આધ્યાત્મિક મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે
    1
    🌧️ જ્યાં સુધી વરસાદ નહીં થાય, ત્યાં સુધી નહીં જાઉં! ડૉ. કમલ નારાયણજી આચાર્યની ઘોષણા | કચ્છ વર્ષા મહાયજ્ઞ
પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે પાંચમો દિવસ છે. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર યજ્ઞાહુતિથી સમગ્ર યજ્ઞસ્થળ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યું છે.
આ પ્રસંગે ડોક્ટર કમલ નારાયણજી આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં રોકાઈને વરસાદ માટેના ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞના પ્રયાસો ચાલુ રાખશે.
મહાયજ્ઞમાં કચ્છમાં સારો વરસાદ થાય, ધરતી હરિયાળી બને, પશુધનને પૂરતો ચારો અને પાણી મળે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી ઈશ્વરચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.
યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, અનાજ, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિત વિવિધ પવિત્ર સામગ્રીની આહુતિ આપવામાં આવી રહી છે. કચ્છના વિવિધ ગામો અને શહેરોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચી યજ્ઞાહુતિ આપી રહ્યા છે.
“વરસાદ આવે, ધરતી ધન્ય બને અને જીવમાત્રનું કલ્યાણ થાય” તેવી પવિત્ર ભાવના સાથે જીવ કલ્યાણ સમિતિ દ્વારા સૌ કચ્છવાસીઓને આ આધ્યાત્મિક મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે
    user_Goswami Vinodgiri
    Goswami Vinodgiri
    Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
    1 hr ago
  • હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે. આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    2
    હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો


હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે.
આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી.
હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે?
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    4
    જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર:
મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે.
ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    22 min ago
  • નખત્રાણાના ટોડિયા ગામે શ્વાનોનો આતંક: વાડામાં ઘૂસી 40થી 50 ઘેટાં-બકરાંના બચ્ચાંનું કર્યું નિકંદન, માલધારી પરિવાર પર આર્થિક સંકટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે રખડતા અને હિંસક શ્વાનોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના એક માલધારી પરિવારના વાડામાં ઘૂસીને શ્વાનોના ટોળાએ 40થી 50 જેટલા નિર્દોષ ઘેટાં-બકરાંના બચ્ચાં પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. ​પરિવાર સવારના સમયે મોટા પશુઓને સીમ વિસ્તારમાં ચરાવવા માટે ગયો હતો અને નાના બચ્ચાં સુરક્ષિત રહે તે માટે તેમને વાડીમાં બનાવેલા વાડામાં રાખવામાં આવ્યા હતા. જોકે, સાંજે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે વાડાનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શ્વાનો વાડો તોડી અંદર ઘૂસ્યા હતા અને બચ્ચાંઓને નિર્દયતાથી ફાડી ખાધા હતા. સમગ્ર વાડામાં લોહીલુહાણ હાલતમાં બચ્ચાંઓના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા. ​એકસાથે 40થી 50 બચ્ચાંના મોતના પગલે પશુપાલન પર જ નિર્ભર રહેતા આ ગરીબ માલધારી પરિવાર પર અચાનક મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા સ્થાનિક તંત્ર તેમજ સરકાર સમક્ષ તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    1
    નખત્રાણાના ટોડિયા ગામે શ્વાનોનો આતંક: વાડામાં ઘૂસી 40થી 50 ઘેટાં-બકરાંના બચ્ચાંનું કર્યું નિકંદન, માલધારી પરિવાર પર આર્થિક સંકટ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે રખડતા અને હિંસક શ્વાનોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના એક માલધારી પરિવારના વાડામાં ઘૂસીને શ્વાનોના ટોળાએ 40થી 50 જેટલા નિર્દોષ ઘેટાં-બકરાંના બચ્ચાં પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે.
​પરિવાર સવારના સમયે મોટા પશુઓને સીમ વિસ્તારમાં ચરાવવા માટે ગયો હતો અને નાના બચ્ચાં સુરક્ષિત રહે તે માટે તેમને વાડીમાં બનાવેલા વાડામાં રાખવામાં આવ્યા હતા. જોકે, સાંજે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે વાડાનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શ્વાનો વાડો તોડી અંદર ઘૂસ્યા હતા અને બચ્ચાંઓને નિર્દયતાથી ફાડી ખાધા હતા. સમગ્ર વાડામાં લોહીલુહાણ હાલતમાં બચ્ચાંઓના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા.
​એકસાથે 40થી 50 બચ્ચાંના મોતના પગલે પશુપાલન પર જ નિર્ભર રહેતા આ ગરીબ માલધારી પરિવાર પર અચાનક મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે પીડિત પરિવાર દ્વારા સ્થાનિક તંત્ર તેમજ સરકાર સમક્ષ તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    user_Ibrahim Turk
    Ibrahim Turk
    Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.