"શાળાની દીકરી એ અમારી દીકરી "નવતર અભિગમ હેઠળ કાલોલના બાકરોલ પ્રાથમિક શાળામાં એડોલેશન્ટ એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો કન્યા કેળવણીને પ્રોત્સાહન અને કિશોરાવસ્થામાં જાગૃતિના ઉદ્દેશથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાકરોલ પ્રાથમિક શાળાની દીકરીઓને એડોલેશન્ટ એજ્યુકેશન આપવામાં આવ્યું .શાળાના શિક્ષિકા બહેનોના માધ્યમથી શાળાની દીકરીઓને સુરક્ષિત સ્પર્શ ,અસુરક્ષિત સ્પર્શ ,દીકરીઓને પોષણ આરોગ્ય અને સ્વચ્છતા અંગેની સમજ આપવામાં આવી.શાળાની ધોરણ - ૬ થી ૮ની દીકરીઓને સેનિટેશન પેડનું વિતરણ કરવામાં આવ્યું ."શાળાની દીકરી એ અમારી દીકરી"શાળાના આચાર્ય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવતર અભિગમ દ્વારા શાળાની બાલિકાઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું .શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ફોર ગર્લ્સ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે.તે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
"શાળાની દીકરી એ અમારી દીકરી "નવતર અભિગમ હેઠળ કાલોલના બાકરોલ પ્રાથમિક શાળામાં એડોલેશન્ટ એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો કન્યા કેળવણીને પ્રોત્સાહન અને કિશોરાવસ્થામાં જાગૃતિના ઉદ્દેશથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાકરોલ પ્રાથમિક શાળાની દીકરીઓને એડોલેશન્ટ એજ્યુકેશન આપવામાં આવ્યું .શાળાના શિક્ષિકા બહેનોના માધ્યમથી શાળાની દીકરીઓને સુરક્ષિત સ્પર્શ ,અસુરક્ષિત સ્પર્શ ,દીકરીઓને પોષણ આરોગ્ય અને સ્વચ્છતા અંગેની સમજ આપવામાં આવી.શાળાની ધોરણ - ૬ થી ૮ની દીકરીઓને સેનિટેશન પેડનું વિતરણ કરવામાં આવ્યું ."શાળાની દીકરી એ અમારી દીકરી"શાળાના આચાર્ય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવતર અભિગમ દ્વારા શાળાની બાલિકાઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું .શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ફોર ગર્લ્સ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે.તે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
- વિવેક ભુવાજી દ્વારા વહાણવટી સિકોતર માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી.માતાજી ના અનેક લાઈવ પરચા અને લોકો ને શ્રદ્ધા અને વિશ્વાસ થી લોકો માનતા રાખે છે અને જલ્દી કામ પુરા થાઈ છે અને સિકોતર માતાજી ની અનેક પરચા ડભોઈમાં પુરિયા છે જેને છોકરા ના હોઈ તે લોકો ખાસ માનતા રાખે છે અને જલ્દી થી પુરી કરે છે માં - ખૂંખાર સિકોતર ધામ - ડભોઈ (ડભોઈ ની સરકાર ) સ્થળ : B-૨૯ આશીર્વાદ સોસાયટી, ક્રિષ્ના ટોકીઝ ની સામે ડભોઈ...1
- છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.2
- મહીસાગરમાં વાતાવરણમાં અચાનક પલટો મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા હતા. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા. મહત્તમ 32 ડીગ્રી અને લધુમત્ત 19 ડીગ્રી સુધી તાપમાનનો પારો રહ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. જોકે, બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરી શાકભાજી અને અન્ય રવિ પાકોમાં ભેજવાળું વાતાવરણ જીવાત માટે અનુકૂળ બને છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે. આંબાના બગીચાઓમાં હાલ મોર (ભોહોર) આવેલી સ્થિતિમાં છે. સતત વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની અસર આંબાના મોર પર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જો વાતાવરણ લાંબા સમય સુધી આવું જ રહેશે, તો ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.3
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા1
- लखीमपुर खीरी: डीएम दुर्गा शक्ति नागपाल ने फूलबेहड़ क्षेत्र के कई परिषदीय विद्यालयों का औचक निरीक्षण कर पठन-पाठन, साफ-सफाई, मिड-डे मील व उपस्थिति की जांच की। कम उपस्थिति वाले स्कूलों पर नाराजगी जताते हुए अधिकारियों को सुधार के निर्देश दिए, जबकि बेहतर व्यवस्था पर प्रधानाध्यापिका को प्रशंसा पत्र देने को कहा। डीएम के निर्देश पर 18 फरवरी को जनपद के सभी परिषदीय विद्यालयों में “अभिभावक संग संवाद” कार्यक्रम आयोजित होगा, जिसमें अधिक उपस्थिति वाले छात्रों के अभिभावकों को सम्मानित कर शिक्षा व नियमित उपस्थिति पर जोर दिया जाएगा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- Post by Jasmin B Shah1
- દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા મુકામે GIDC અંગે બજેટમાં જાહેરાત કરાઈ આજે તારીખ 17/02/2026 બુધવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાતના બજેટમાં રાજ્યના આદિવાસી વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Government of Gujarat દ્વારા ઝાલોદ અને ગરબાડા તાલુકામાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની યોજના જાહેર કરાઈ છે. આ નવી વસાહતો દ્વારા Gujarat Industrial Development Corporationના માધ્યમથી સ્થાનિક યુવાનોને રોજગારીના નવા અવસરો મળશે અને વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. ખાસ કરીને દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય જિલ્લામાં રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના પ્રયત્નોને પ્રોત્સાહન મળશે. સરકારે જણાવ્યું છે કે નવી ઔદ્યોગિક વસાહતો ઉભી થવાથી નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે અને યુવાનોને પોતાના વિસ્તારમાં જ રોજગાર મળવાની તક વધશે. આ જાહેરાતને કારણે આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી આશા જન્મી છે અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.1
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા1