Shuru
Apke Nagar Ki App…
ભ્રષ્ટ ભાજપ'ને AAP નો ડર: પોલીસને આગળ ધરીને કાર્યકર્તાઓ પર FIR નો આક્ષેપ" ભ્રષ્ટ ભાજપ'ને AAP નો ડર: પોલીસને આગળ ધરીને કાર્યકર્તાઓ પર FIR નો આક્ષેપ"
Junagadh local news
ભ્રષ્ટ ભાજપ'ને AAP નો ડર: પોલીસને આગળ ધરીને કાર્યકર્તાઓ પર FIR નો આક્ષેપ" ભ્રષ્ટ ભાજપ'ને AAP નો ડર: પોલીસને આગળ ધરીને કાર્યકર્તાઓ પર FIR નો આક્ષેપ"
More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા, અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવા મજબૂર બન્યો છે. પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે. “અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું.” પરિવારએ આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં. ✍️ સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ4
- Post by Nasim1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી સાળંગપુરમાં ગુજરાતની સૌથી મોટી “શ્રી હનુમાન જયંતી” નિમિતે કૃતજ્ઞતા મહોત્સવની ઉજવણી, દાદાના જન્મોત્સવના દિવસે 2 લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ લીધો, આ બે દિવસના મહા મહોત્સવમાં 5 લાખથી વધુ ભક્તોએ હનુમાનજીના દર્શન કર્યા હતા “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આવી હતી. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા હતા. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા હતી. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવામાં આવ્યા હતા શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ 2026 અંતર્ગત કીર્તન આરાધના 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય હતી જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લીધો હતો રાજોપચાર પૂજન 01/04/2026, બુધવા,સમય સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન કર્યું હતું, રાજોપચાર પૂજનની વિશેષતા ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થઈ હતી કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાઈ હતી હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવ્યુ હતું સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો. યોજાયો હતો. શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવારે મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કર્યા હતા જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠયા હતા વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ 02/04/2026, ગુરુવાર,સમય સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થયો હતો 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો મહાઅન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો મહા અન્નક્ષેત્ર સમય બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ લીધો હતો. મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવી હતી. એવં રજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ईरानजंग ताज़ा खबर।1
- સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામા ચૂટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો.. જો પક્ષ દ્વારા ત્રણ વર્ષ થી ચૂટણી લડેલા તેમજ ૬૦ વર્ષ ની ઉંમરની મર્યાદા મુકાય તો અનેક નેતાઓના પત્તાં કપાય તેવી સંભાવના..1
- ભેંસાણના મુરલીધરપરા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મંજુલાબેન જેઠાભાઇ સોલંકીએ શારીરિક બીમારી અને અસહ્ય દુખાવાથી કંટાળીને ઝેરી દવા પી લેતાં તેમનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર, મંજુલાબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી પગ અને કમરના દુખાવાથી પીડાતા હતા. લાંબા સમયથી દવા ચાલુ હોવા છતાં કોઈ રાહત ન મળતાં અને શારીરિક રીતે સાવ ભાંગી પડતાં, આ પીડા સહન ન થવાથી તેમણે ગત તારીખ ૧ના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ પગલું ભર્યા બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ કમનસીબ બનાવ અંગે તેમના પતિ જેઠાભાઇ ડાયાભાઇ સોલંકીએ ભેંસાણ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- કેશોદ શહેરમાં વિકાસના નામે વિનાશ સર્જાતો હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોર્ડ નંબર ૫ અને ૬ ને જોડતા ડી.પી. રોડથી શેખ ગેરેજ સુધીના વોકળામાં ચાલી રહેલા બ્યુટીફીકેશન અને વોકવેના કામ સામે સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના વોર્ડ નં. ૬ ના રહિશો દ્વારા કરવામાં આવેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ટીલોળી નદી તરીકે ઓળખાતા આ વોકળામાં મેસવાણ અને કેવદ્રા વિસ્તારનું સમગ્ર વરસાદી પાણી આવે છે, જે ચોમાસામાં છલોછલ ભરાઈ જાય છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની ગઈ છે જ્યારે અંડરબ્રિજ બન્યા બાદ મેસવાણ ગાળીનુ તમામ પાણી હવે આ જ વોકળામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ વોકળાના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું હતું અને જીવન મુશ્કેલ બન્યું હતું. હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું બ્યુટીફીકેશન કામ લોકો માટે સુવિધા નહીં પરંતુ સંકટ બની રહ્યું છે. વોકળામાંથી કાઢેલો ગાર બન્ને બાજુ ચડાવી દેવાયો છે, પરંતુ વોકળાને પહોળો કે ઊંડો કરવામાં આવ્યો નથી. પરિણામે વોકળો વધુ સાંકડો બની રહ્યો છે. અને કામગીરી કરવામાં આવી રહી છે તે પણ લોટ પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ છે. રહિશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, જો આ જ રીતે કામ ચાલુ રહેશે તો આવનારા ચોમાસામાં પાણી સીધું જ ઘરોમાં ઘૂસી જશે અને વિસ્તારના લોકો માટે કાયમી મુશ્કેલી ઉભી થશે. “તાત્કાલિક કામ બંધ કરો, પહેલા વોકળો પહોળો અને ઊંડો બનાવો… નહીં તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.” રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન સાથે મતદાનનો બહિષ્કાર પણ કરશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી આ બ્યુટીફીકેશન પ્રોજેક્ટ શહેર માટે વિનાશનો કારણ બનશે. કેશોદમાંથી આ એક મોટી ચેતવણી છે—વિકાસના નામે જો લોકોની સુરક્ષા સાથે ખેલ થાય ત્યારે હવે વિશેષ નગરપાલિકા શું કાયમગીરી બતાવશે એ તો સમય બતાવશે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- Post by Nasim1